'આપ' નાં કાર્યકરો દ્વારા ઝાડું વિસ્તારની સફાઈ કરી તંત્રને ભર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો
લક્ષ્મણ પાર્ક વિસ્તારમાં ગંદકી મામલે સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ 'આપ' સમક્ષ વેદના ઠાલવી
તંત્ર દ્વારા જે સફાઈ કામગીરી થવી જોઈએ તે આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ જ સ્થાનિકો સાથે મળીને કરતા લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા
રાજકોટ: શહેરનાં વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક વખત રજૂઆત કરવા છતાં લક્ષ્મણપાર્કમાં સફાઈ કરવામાં આવતી નહોતી. જેને પગલે 'આપ' નાં કાર્યકરો ઝાડું લઈને આ વિસ્તારમાં પહોંચી ગયા હતા. અને સમગ્ર વિસ્તારની સફાઈ કરી તંત્રને ભર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો..
જાણવા મળતી વિગત મુજબ કોરોના મહામારી વચ્ચે વોર્ડ નંબર 4માં આવેલ લક્ષ્મણ પાર્ક વિસ્તારમાં ગંદકી મામલે સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ 'આપ' સમક્ષ વેદના ઠાલવી હતી. અને પાર્ટી દ્વારા છેક કમિશ્નર સુધી રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે આમ છતાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.
જેને પગલે આજે આમ આદમી પાર્ટીનાં કાર્યકરો અને આગેવાનો ઝાડું લઈ આ વિસ્તારમાં પહોંચી ગયા હતા. અને જાતે આ વિસ્તારમાંથી ગંદકી દૂર કરવાનાં કામમાં લાગી ગયા હતા. આપ કાર્યકરો દ્વારા કરાતી આ સફાઈ કામગીરીમાં સ્થાનિકો પણ જોડાયા હતા. અને સમગ્ર વિસ્તારમાંથી ગંદકી દૂર કરી અનોખી રીતે તંત્રની ઘોર નિષ્ક્રિયતાનો જવાબ અપાયો હતો.
ઉલ્લેખનીય છે કે, એકતરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને તેને રોકવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ માટે ઠેર-ઠેર દંડની વસુલાત પણ કરાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા જે સફાઈ કામગીરી થવી જોઈએ તે આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ જ સ્થાનિકો સાથે મળીને કરતા લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.
- 'આપ' નાં કાર્યકરો દ્વારા ઝાડું વિસ્તારની સફાઈ કરી તંત્રને ભર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો
- લક્ષ્મણ પાર્ક વિસ્તારમાં ગંદકી મામલે સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ 'આપ' સમક્ષ વેદના ઠાલવી
- તંત્ર દ્વારા જે સફાઈ કામગીરી થવી જોઈએ તે આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ જ સ્થાનિકો સાથે મળીને કરતા લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઉઠ્યા
રાજકોટ: શહેરનાં વોર્ડ નંબર 4માં આમ આદમી પાર્ટી દ્વારા સફાઈ મુદ્દે અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક વખત રજૂઆત કરવા છતાં લક્ષ્મણપાર્કમાં સફાઈ કરવામાં આવતી નહોતી. જેને પગલે 'આપ' નાં કાર્યકરો ઝાડું લઈને આ વિસ્તારમાં પહોંચી ગયા હતા. અને સમગ્ર વિસ્તારની સફાઈ કરી તંત્રને ભર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો..
જાણવા મળતી વિગત મુજબ કોરોના મહામારી વચ્ચે વોર્ડ નંબર 4માં આવેલ લક્ષ્મણ પાર્ક વિસ્તારમાં ગંદકી મામલે સ્થાનિકોએ તંત્રને અનેક વખત રજૂઆત કરી હતી. તેમ છતાં કોઈ નિરાકરણ ન આવતા સ્થાનિકોએ 'આપ' સમક્ષ વેદના ઠાલવી હતી. અને પાર્ટી દ્વારા છેક કમિશ્નર સુધી રજૂઆત પણ કરવામાં આવી હતી. જોકે આમ છતાં નક્કર કાર્યવાહી કરવામાં આવી નહોતી.
જેને પગલે આજે આમ આદમી પાર્ટીનાં કાર્યકરો અને આગેવાનો ઝાડું લઈ આ વિસ્તારમાં પહોંચી ગયા હતા. અને જાતે આ વિસ્તારમાંથી ગંદકી દૂર કરવાનાં કામમાં લાગી ગયા હતા. આપ કાર્યકરો દ્વારા કરાતી આ સફાઈ કામગીરીમાં સ્થાનિકો પણ જોડાયા હતા. અને સમગ્ર વિસ્તારમાંથી ગંદકી દૂર કરી અનોખી રીતે તંત્રની ઘોર નિષ્ક્રિયતાનો જવાબ અપાયો હતો.
ઉલ્લેખનીય છે કે, એકતરફ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. અને તેને રોકવા માટે કોર્પોરેશન તંત્ર દ્વારા લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં આ માટે ઠેર-ઠેર દંડની વસુલાત પણ કરાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા જે સફાઈ કામગીરી થવી જોઈએ તે આમ આદમી પાર્ટીનાં કાર્યકરોએ જ સ્થાનિકો સાથે મળીને કરતા લોકોમાં તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.