AIIMS રાજકોટમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી
પ્રથમ વર્ષ માટે 50 સીટની ફાળવણી કરવામાં આવી
એઈમ્સની કોલેજ સિવિલ હોસ્પિટલનાં બર્ન્સ વોર્ડમાં શરૂ કરવામાં આવશે - ડો. ગૌરવીબેન ધ્રુવે, નોડલ ઓફિસર - AIIMS
રાજકોટ. કેન્દ્રની મોદી સરકારે રાજકોટને AIIMSની ભેટ આપી છે. અને હાલ તેના નિર્માણ માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે આ સાથે AIIMS રાજકોટમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ માત્ર મેડિકલનાં પ્રથમ વર્ષ માટે 50 સીટની ફાળવણી કરવામાં આવી છે. આ માટે 17 પ્રોફેસરની ભરતી પણ કરી લેવામાં આવી છે.
રાજકોટ AIIMS નાં નોડલ ઓફિસર ડો. ગૌરવીબેન ધ્રુવે આ અંગેની વિગતો આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ એઈમ્સની કોલેજ સિવિલ હોસ્પિટલનાં બર્ન્સ વોર્ડમાં શરૂ કરવામાં આવશે. આ માટે AIIMS નાં સતાધીશો દ્વારા સિવિલ હોસ્પિટલને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બ્લુ પ્રિન્ટ મોકલવામાં આવી છે. આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ કોલેજના ક્લાસરૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.
[embed]https://youtu.be/QEDN6LVOedw[/embed]
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ AIIMS માટે સ્ટાફની ભરતીનાં ઇન્ટરવ્યુ લેવાયા હતા. જેમાં જોધપુર AIIMSનાં ડાયરેક્ટર ડૉ. મિશ્રા દ્વારા હાલ 17 જેટલા પ્રોફેસરની નિમણુંક કરવામાં આવી છે. સાથે જ હવે પછી ભરતી પ્રક્રિયા આગળ વધારવા માટે પોતાને ચાર્જ સોંપાયો હોવાનું જણાવતા ટૂંક સમયમાં વધુ સ્ટાફની ભરતી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.
- AIIMS રાજકોટમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી
- પ્રથમ વર્ષ માટે 50 સીટની ફાળવણી કરવામાં આવી
- એઈમ્સની કોલેજ સિવિલ હોસ્પિટલનાં બર્ન્સ વોર્ડમાં શરૂ કરવામાં આવશે - ડો. ગૌરવીબેન ધ્રુવે, નોડલ ઓફિસર - AIIMS
રાજકોટ. કેન્દ્રની મોદી સરકારે રાજકોટને AIIMSની ભેટ આપી છે. અને હાલ તેના નિર્માણ માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. ત્યારે આ સાથે AIIMS રાજકોટમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ માત્ર મેડિકલનાં પ્રથમ વર્ષ માટે 50 સીટની ફાળવણી કરવામાં આવી છે. આ માટે 17 પ્રોફેસરની ભરતી પણ કરી લેવામાં આવી છે.
રાજકોટ AIIMS નાં નોડલ ઓફિસર ડો. ગૌરવીબેન ધ્રુવે આ અંગેની વિગતો આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ એઈમ્સની કોલેજ સિવિલ હોસ્પિટલનાં બર્ન્સ વોર્ડમાં શરૂ કરવામાં આવશે. આ માટે AIIMS નાં સતાધીશો દ્વારા સિવિલ હોસ્પિટલને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની બ્લુ પ્રિન્ટ મોકલવામાં આવી છે. આ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ કોલેજના ક્લાસરૂમ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે ટૂંક સમયમાં કાર્યરત કરવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ AIIMS માટે સ્ટાફની ભરતીનાં ઇન્ટરવ્યુ લેવાયા હતા. જેમાં જોધપુર AIIMSનાં ડાયરેક્ટર ડૉ. મિશ્રા દ્વારા હાલ 17 જેટલા પ્રોફેસરની નિમણુંક કરવામાં આવી છે. સાથે જ હવે પછી ભરતી પ્રક્રિયા આગળ વધારવા માટે પોતાને ચાર્જ સોંપાયો હોવાનું જણાવતા ટૂંક સમયમાં વધુ સ્ટાફની ભરતી કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું છે.