યુવાને આપેલી ધમકીથી ડરીને સગીરાએ પરિવારને ભોજનમાં ઘેની દવા ખવડાવી
આંબરડી ગામના મનસુખ ઉર્ફે મનિષ બગડાએ તેના ગામની 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી
મોડીરાત્રે એકાદ વાગ્યાના સુમારે મનસુખ ઉર્ફે મનિષ આવ્યો અને સગીરાનું અપહરણ કરીને તેના ઘેર લઇ ગયો, ત્યાર બાદ તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું
અમરેલી : સાવરકુંડલા ખાતે દુષ્કર્મનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને આપેલી ધમકીથી ડરીને સગીરાએ પરિવારને ભોજનમાં ઘેની દવા ખવડાવી હતી. બાદમાં તરુણીનું અપહરણ કરીને યુવાને દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહીં આરોપીએ 181માં ફોન કરાવી તરૂણી પાસે તેના જ માતા-પિતા સામે ફરિયાદ પણ કરાવી હતી. જો કે તેની આ હરકતથી મામલાનો પર્દાફાશ થયો છે. અને આ ગામના મનસુખ ઉર્ફે મનિષ હરીભાઇ બગડા સામે અપહરણ સહિત દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે, આંબરડી ગામના મનસુખ ઉર્ફે મનિષ બગડાએ તેના ગામની 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પોતે કહે તેમ નહી કરે તો તેના પિતાને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. મનસુખ ઉર્ફે મનિષની ધમકીથી ડરીને સગીરાએ ખીચડીમાં ઘેની દવા નાખી દીધી હતી. તેના કારણે પરિવારજનો જમીને ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતાં.
બાદમાં મોડીરાત્રે એકાદ વાગ્યાના સુમારે મનસુખ ઉર્ફે મનિષ આવ્યો હતો. અને સગીરાનું અપહરણ કરીને તેના ઘેર લઇ ગયો હતો. ત્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચયું હતું. એ પછી તરુણીને 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરીને તેના માતા-િપતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. આથી 181ને ફોન કરવામાં આવતા ટીમ સગીરાનાં માતા-િપતા પાસે પહોંચી હતી. અને તેઓની પૂછપરછ દરમિયાન જ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.
- યુવાને આપેલી ધમકીથી ડરીને સગીરાએ પરિવારને ભોજનમાં ઘેની દવા ખવડાવી
- આંબરડી ગામના મનસુખ ઉર્ફે મનિષ બગડાએ તેના ગામની 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી
- મોડીરાત્રે એકાદ વાગ્યાના સુમારે મનસુખ ઉર્ફે મનિષ આવ્યો અને સગીરાનું અપહરણ કરીને તેના ઘેર લઇ ગયો, ત્યાર બાદ તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું
અમરેલી : સાવરકુંડલા ખાતે દુષ્કર્મનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં યુવાને આપેલી ધમકીથી ડરીને સગીરાએ પરિવારને ભોજનમાં ઘેની દવા ખવડાવી હતી. બાદમાં તરુણીનું અપહરણ કરીને યુવાને દુષ્કર્મ આચર્યુ હતું. એટલું જ નહીં આરોપીએ 181માં ફોન કરાવી તરૂણી પાસે તેના જ માતા-પિતા સામે ફરિયાદ પણ કરાવી હતી. જો કે તેની આ હરકતથી મામલાનો પર્દાફાશ થયો છે. અને આ ગામના મનસુખ ઉર્ફે મનિષ હરીભાઇ બગડા સામે અપહરણ સહિત દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે, આંબરડી ગામના મનસુખ ઉર્ફે મનિષ બગડાએ તેના ગામની 17 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપીને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં પોતે કહે તેમ નહી કરે તો તેના પિતાને જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. મનસુખ ઉર્ફે મનિષની ધમકીથી ડરીને સગીરાએ ખીચડીમાં ઘેની દવા નાખી દીધી હતી. તેના કારણે પરિવારજનો જમીને ગાઢ નિંદ્રામાં પોઢી ગયા હતાં.
બાદમાં મોડીરાત્રે એકાદ વાગ્યાના સુમારે મનસુખ ઉર્ફે મનિષ આવ્યો હતો. અને સગીરાનું અપહરણ કરીને તેના ઘેર લઇ ગયો હતો. ત્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચયું હતું. એ પછી તરુણીને 181 મહિલા હેલ્પ લાઇનમાં ફોન કરીને તેના માતા-િપતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. આથી 181ને ફોન કરવામાં આવતા ટીમ સગીરાનાં માતા-િપતા પાસે પહોંચી હતી. અને તેઓની પૂછપરછ દરમિયાન જ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો હતો.