નજીવી બાબતે સ્થાનિક ભરવાડ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો
ઘર્ષણમાં માથામાં ઇજા થતાં ત્રણેયને મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
કોઈ સાથે અમારે કોઈ અંગત અદાવત નથી. હુમલાખોરો અસામાજિક તત્વો છે - અશોકભાઈ ડાંગર
રાજકોટ. શહેરનાં પૂર્વ મેયર અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા સહિત ત્રણ પર લક્ષ્મીવાડી ખાતે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. સામું જોવા જેવી નજીવી બાબતે સ્થાનિક ભરવાડ શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હુમલામાં ઇજાગ્રસ્ત ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર, અશોક ડાંગરનાં ભાઇના દિકરાજયદિપ દિલીપભાઇ ડાંગર અને રાજેશ ભરતભાઇ ડાંગર લક્ષ્મીવાડીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામું જોવા જેવી નજીવી બાબતે ભરવાડ શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર થતા ભરવાડ શખ્સો મારામારી પર ઉતરી આવ્યા હતા. આ ઘર્ષણમાં માથામાં ઇજા થતાં ત્રણેયને મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ત્રણેયની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બાબતે અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, લગભગ 7 જેટલા હુમલાખોરો હતા. જેમણે હુમલો કર્યો છે. જો કે આ કોઈ સાથે અમારે કોઈ અંગત અદાવત નથી. હુમલાખોરો અસામાજિક તત્વો છે, અને નજીવી બાબતમાં આ હુમલો કરવામાં આવ્યો છે.
નજીવી બાબતે સ્થાનિક ભરવાડ શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો
ઘર્ષણમાં માથામાં ઇજા થતાં ત્રણેયને મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા
કોઈ સાથે અમારે કોઈ અંગત અદાવત નથી. હુમલાખોરો અસામાજિક તત્વો છે - અશોકભાઈ ડાંગર
રાજકોટ. શહેરનાં પૂર્વ મેયર અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા સહિત ત્રણ પર લક્ષ્મીવાડી ખાતે હુમલો થયો હોવાનું સામે આવ્યું છે. સામું જોવા જેવી નજીવી બાબતે સ્થાનિક ભરવાડ શખ્સો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. હુમલામાં ઇજાગ્રસ્ત ત્રણેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ સ્થાનિક પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર, અશોક ડાંગરનાં ભાઇના દિકરાજયદિપ દિલીપભાઇ ડાંગર અને રાજેશ ભરતભાઇ ડાંગર લક્ષ્મીવાડીમાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામું જોવા જેવી નજીવી બાબતે ભરવાડ શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર થતા ભરવાડ શખ્સો મારામારી પર ઉતરી આવ્યા હતા. આ ઘર્ષણમાં માથામાં ઇજા થતાં ત્રણેયને મધુરમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. જ્યાં ત્રણેયની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ બાબતે અશોકભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, લગભગ 7 જેટલા હુમલાખોરો હતા. જેમણે હુમલો કર્યો છે. જો કે આ કોઈ સાથે અમારે કોઈ અંગત અદાવત નથી. હુમલાખોરો અસામાજિક તત્વો છે, અને નજીવી બાબતમાં આ હુમલો કરવામાં આવ્યો છે.