પોતાના ભાગમાં આવેલા પાંચ રૂપિયા ન મળતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો
તરૂણના મોટા બાપુએ બંને ભાઈઓને 5-5 રૂપિયા વાપરવા આપ્યા
નાનાભાઈ મિતગીરીએ મોટાબાપુ દ્વારા આપવામાં આવેલા દસ રૂપિયા વાપરી નાખ્યા
પાંચ રૂપિયા વાપરવા નહીં મળતાં એક તરૂણે આપઘાત કરી લીધો
રાજકોટ : શહેરમાં કોરોના મહામારીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનેલા અનેક લોકોએ આપઘાત કરી પોતાનું જીવન સંકેલ્યું છે. ત્યારે શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે માત્ર પાંચ રૂપિયા વાપરવા નહીં મળતાં એક તરૂણે આપઘાત કરી લીધો છે. પોતાના ભાગમાં આવેલા પાંચ રૂપિયા ન મળતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં માસુમે ગળાફાંસો ખાઇ લીધો હતો. જેને પગલે પરિવારમાં આક્રંદ છવાયો છે.
જાણવા મળતી વિગત મુજબ, શહેરના કોઠારિયા રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા દર્શન ગિરી ગોસ્વામી નામના તરુણે તેના ઘરે ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું છે. સમગ્ર મામલે રાજકોટની આજીડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે મોકલી આપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા મૃતક તરુણના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા.
પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, તરૂણના મોટા બાપુએ બંને ભાઈઓને 5-5 રૂપિયા વાપરવા આપ્યા હતા. રૂપિયા મૃતકના નાના ભાઈને આપવામાં આવ્યા હતા. પણ નાનાભાઈ મિતગીરીએ મોટાબાપુ દ્વારા આપવામાં આવેલા દસ રૂપિયા વાપરી નાખ્યા હતા. જે બાદ મૃતક દર્શન કરીને પોતાના ભાગમાં આવેલા પાંચ રૂપિયા ન મળતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. અને ત્યારબાદ દર્શન ગીરીએ પોતે ગળાફાંસો ખાઇ લીધો હતો.
- પોતાના ભાગમાં આવેલા પાંચ રૂપિયા ન મળતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો
- તરૂણના મોટા બાપુએ બંને ભાઈઓને 5-5 રૂપિયા વાપરવા આપ્યા
- નાનાભાઈ મિતગીરીએ મોટાબાપુ દ્વારા આપવામાં આવેલા દસ રૂપિયા વાપરી નાખ્યા
- પાંચ રૂપિયા વાપરવા નહીં મળતાં એક તરૂણે આપઘાત કરી લીધો
રાજકોટ : શહેરમાં કોરોના મહામારીના કારણે આર્થિક સંકડામણનો ભોગ બનેલા અનેક લોકોએ આપઘાત કરી પોતાનું જીવન સંકેલ્યું છે. ત્યારે શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે માત્ર પાંચ રૂપિયા વાપરવા નહીં મળતાં એક તરૂણે આપઘાત કરી લીધો છે. પોતાના ભાગમાં આવેલા પાંચ રૂપિયા ન મળતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો અને બાદમાં માસુમે ગળાફાંસો ખાઇ લીધો હતો. જેને પગલે પરિવારમાં આક્રંદ છવાયો છે.
જાણવા મળતી વિગત મુજબ, શહેરના કોઠારિયા રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા દર્શન ગિરી ગોસ્વામી નામના તરુણે તેના ઘરે ગળાફાંસો ખાઇ પોતાનું જીવન ટુંકાવ્યું છે. સમગ્ર મામલે રાજકોટની આજીડેમ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલમાં આવેલ પીએમ રૂમ ખાતે મોકલી આપવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા મૃતક તરુણના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા.
પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે, તરૂણના મોટા બાપુએ બંને ભાઈઓને 5-5 રૂપિયા વાપરવા આપ્યા હતા. રૂપિયા મૃતકના નાના ભાઈને આપવામાં આવ્યા હતા. પણ નાનાભાઈ મિતગીરીએ મોટાબાપુ દ્વારા આપવામાં આવેલા દસ રૂપિયા વાપરી નાખ્યા હતા. જે બાદ મૃતક દર્શન કરીને પોતાના ભાગમાં આવેલા પાંચ રૂપિયા ન મળતાં બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો. અને ત્યારબાદ દર્શન ગીરીએ પોતે ગળાફાંસો ખાઇ લીધો હતો.