આવાસ યોજનામાં લવજેહાદ થવા સહિત આવાસ યોજનાનાં ભયસ્થાનો જણાવી આ મંજૂરી ત્વરિત રદ્દ કરવાની માંગ કરી
દરરોજ 3 હજારથી પણ વધુ લોકો વોકિંગ અને કસરતો કરવા માટે આ કોમન પ્લોટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે અચાનક કોમન પ્લોટમાં આવાસ યોજના મંજૂર કરવી યોગ્ય નથી.
રાજકોટ. શહેરનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલી કોસમોસ પ્લસ એપાર્ટમેન્ટ સોસાયટીની બાજુમાં એક કોમન પ્લોટ છે. જેમાં આવાસ યોજના મંજૂર કરવામાં આવતા સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને સ્થાનિકો દ્વારા અરજી કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં લવજેહાદ થવા સહિત આવાસ યોજનાનાં ભયસ્થાનો જણાવી આ મંજૂરી ત્વરિત રદ્દ કરવાની માંગ કરી હતી.
સ્થાનિકોએ અરજીમાં જણાવ્યા મુજબ, અહીં કોમન પ્લોટમાં 400 આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ કારણે અમારી અને આસપાસની સોસયટીઓમાં રહેતા લોકોને અનેક મુશ્કેલીઓ પડવાની શક્યતા છે. આવાસ યોજનામાં રહેવા આવનાર લોકો સામાન્ય રીતે અનેક કૂટેવ-વ્યસન ધરાવતા હોય છે. સાથે જ માંસાહાર અને ઈંડા આરોગતા હોઈ શુદ્ધ આચરણ કરનાર લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ છે. આ સાથે જ આવાસ યોજનાનાં કારણે લવજેહાદનાં કિસ્સાઓ વધવાની શક્યતા પણ આ અરજીમાં વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે સાનિધ્ય ગ્રીન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ ટીલવાએ જણાવ્યું હતું કે, આ કોમન પ્લોટમાં સીએમ અને પીએમનાં હસ્તે વૃક્ષારોપણ થયું હતું. અને બાદમાં સોસાયટીએ સ્વખર્ચે વૃક્ષોના જતન માટે ખર્ચ કર્યો છે. હાલ દરરોજ 3 હજારથી પણ વધુ લોકો વોકિંગ અને કસરતો કરવા માટે આ કોમન પ્લોટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે અચાનક આ કોમન પ્લોટમાં આવાસ યોજના મંજૂર કરવી યોગ્ય નથી. એટલું જ નહીં આ માટે તંત્ર દ્વારા કોઈપણ જાણકારી પણ આપવામાં ન આવી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.
- આવાસ યોજનામાં લવજેહાદ થવા સહિત આવાસ યોજનાનાં ભયસ્થાનો જણાવી આ મંજૂરી ત્વરિત રદ્દ કરવાની માંગ કરી
- દરરોજ 3 હજારથી પણ વધુ લોકો વોકિંગ અને કસરતો કરવા માટે આ કોમન પ્લોટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે અચાનક કોમન પ્લોટમાં આવાસ યોજના મંજૂર કરવી યોગ્ય નથી.
રાજકોટ. શહેરનાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે આવેલી કોસમોસ પ્લસ એપાર્ટમેન્ટ સોસાયટીની બાજુમાં એક કોમન પ્લોટ છે. જેમાં આવાસ યોજના મંજૂર કરવામાં આવતા સોસાયટીના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અને સ્થાનિકો દ્વારા અરજી કરીને મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં લવજેહાદ થવા સહિત આવાસ યોજનાનાં ભયસ્થાનો જણાવી આ મંજૂરી ત્વરિત રદ્દ કરવાની માંગ કરી હતી.
સ્થાનિકોએ અરજીમાં જણાવ્યા મુજબ, અહીં કોમન પ્લોટમાં 400 આવાસ બનાવવામાં આવી રહ્યા છે. આ કારણે અમારી અને આસપાસની સોસયટીઓમાં રહેતા લોકોને અનેક મુશ્કેલીઓ પડવાની શક્યતા છે. આવાસ યોજનામાં રહેવા આવનાર લોકો સામાન્ય રીતે અનેક કૂટેવ-વ્યસન ધરાવતા હોય છે. સાથે જ માંસાહાર અને ઈંડા આરોગતા હોઈ શુદ્ધ આચરણ કરનાર લોકોની ધાર્મિક લાગણી દુભાય તેમ છે. આ સાથે જ આવાસ યોજનાનાં કારણે લવજેહાદનાં કિસ્સાઓ વધવાની શક્યતા પણ આ અરજીમાં વ્યક્ત કરવામાં આવી છે.
આ અંગે સાનિધ્ય ગ્રીન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ ટીલવાએ જણાવ્યું હતું કે, આ કોમન પ્લોટમાં સીએમ અને પીએમનાં હસ્તે વૃક્ષારોપણ થયું હતું. અને બાદમાં સોસાયટીએ સ્વખર્ચે વૃક્ષોના જતન માટે ખર્ચ કર્યો છે. હાલ દરરોજ 3 હજારથી પણ વધુ લોકો વોકિંગ અને કસરતો કરવા માટે આ કોમન પ્લોટનો ઉપયોગ કરવા લાગ્યા છે. ત્યારે અચાનક આ કોમન પ્લોટમાં આવાસ યોજના મંજૂર કરવી યોગ્ય નથી. એટલું જ નહીં આ માટે તંત્ર દ્વારા કોઈપણ જાણકારી પણ આપવામાં ન આવી હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો છે.