રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય ટપાલ વિભાગ દ્વારા જારી મહાત્મા ગાંધી મ્યુઝીયમનાં સ્પેશિયલ ડાક કવરનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અનાવરણ કર્યું
દેશને આઝાદ કરવામાં ગાંધીજીનાં અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી - મુખ્યમંત્રી
PM મોદીજી પણ ગાંધીનાં વિચારો પ્રત્યે ખૂબ આસ્થા ધરાવે છે
રાજકોટ : આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય ટપાલ વિભાગ દ્વારા જારી મહાત્મા ગાંધી મ્યુઝીયમનાં સ્પેશિયલ ડાક કવરનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અનાવરણ કર્યું હતું. શહેરનાં અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ રાજ્યમાં ખાદીની ખરીદી માટે 20 ટકા વળતરની જાહેરાત કરી ખાસ ‘‘આત્મનિર્ભર ભારત’’ના નિર્માણમાં પ્રદાન આપવા ખાદી ખરીદવા અનુરોધ પણ કર્યો હતો..
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદ કરવામાં ગાંધીજીનાં અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તત્કાલીન સમયમાં પણ જનજીવનને ઢંઢોળી તેને સામાજિક ઉત્થાનમાં સામેલ કરવામાં ગાંધીજીની મુખ્ય ભૂમિકા હતી. જેના થકી આપણને મહામૂલી આઝાદી મળી છે. રાજ્ય સરકાર આજના યુવાનોમાં અને નવી પેઢીમાં ગાંધી વિચારોનું આરોપણ કરવા પ્રયત્નશીલ છે.
આ તકે વડાપ્રધાન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, PM મોદીજી પણ ગાંધીનાં વિચારો પ્રત્યે ખૂબ આસ્થા ધરાવે છે. આથી જ તેમણે અમલી બનાવેલી વિવિધ લોક-કલ્યાણલક્ષી યોજનાઓમાં ગાંધીજીનાં વિચારોનો સ્પષ્ટ પડઘો પ્રતિબિંબિત થતો જોવા મળે છે. ગાંધીજીના સામાજિક, રાજકીય, આધ્યાત્મિક બાબતો અંગેના વિચારો આજના સાંપ્રત સમાજ માટે પણ એટલા જ ઉપયોગી છે, જેનાથી પ્રભાવિત થઇને વડાપ્રધાને આ તમામ યોજનાઓ અમલમાં મુકી છે.
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય ટપાલ વિભાગ દ્વારા જારી મહાત્મા ગાંધી મ્યુઝીયમનાં સ્પેશિયલ ડાક કવરનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અનાવરણ કર્યું
દેશને આઝાદ કરવામાં ગાંધીજીનાં અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી - મુખ્યમંત્રી
PM મોદીજી પણ ગાંધીનાં વિચારો પ્રત્યે ખૂબ આસ્થા ધરાવે છે
રાજકોટ : આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય ટપાલ વિભાગ દ્વારા જારી મહાત્મા ગાંધી મ્યુઝીયમનાં સ્પેશિયલ ડાક કવરનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અનાવરણ કર્યું હતું. શહેરનાં અટલ બિહારી વાજપેયી ઓડીટોરીયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ ખાસ હાજર રહ્યા હતા. આ તકે મુખ્યમંત્રીએ રાજ્યમાં ખાદીની ખરીદી માટે 20 ટકા વળતરની જાહેરાત કરી ખાસ ‘‘આત્મનિર્ભર ભારત’’ના નિર્માણમાં પ્રદાન આપવા ખાદી ખરીદવા અનુરોધ પણ કર્યો હતો..
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, દેશને આઝાદ કરવામાં ગાંધીજીનાં અમૂલ્ય યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તત્કાલીન સમયમાં પણ જનજીવનને ઢંઢોળી તેને સામાજિક ઉત્થાનમાં સામેલ કરવામાં ગાંધીજીની મુખ્ય ભૂમિકા હતી. જેના થકી આપણને મહામૂલી આઝાદી મળી છે. રાજ્ય સરકાર આજના યુવાનોમાં અને નવી પેઢીમાં ગાંધી વિચારોનું આરોપણ કરવા પ્રયત્નશીલ છે.
આ તકે વડાપ્રધાન વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, PM મોદીજી પણ ગાંધીનાં વિચારો પ્રત્યે ખૂબ આસ્થા ધરાવે છે. આથી જ તેમણે અમલી બનાવેલી વિવિધ લોક-કલ્યાણલક્ષી યોજનાઓમાં ગાંધીજીનાં વિચારોનો સ્પષ્ટ પડઘો પ્રતિબિંબિત થતો જોવા મળે છે. ગાંધીજીના સામાજિક, રાજકીય, આધ્યાત્મિક બાબતો અંગેના વિચારો આજના સાંપ્રત સમાજ માટે પણ એટલા જ ઉપયોગી છે, જેનાથી પ્રભાવિત થઇને વડાપ્રધાને આ તમામ યોજનાઓ અમલમાં મુકી છે.