રાજકોટ મહાનગરપાલિકાના કરાર આધારિત કર્મચારીઓ ધરણાં પર ઉતર્યા છે. અને રજા મંજૂર કરવા, વધારાની ફરજનો પગાર આપવા તેમજ 2006થી કરાર પર ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં અગ્રતા આપવા માંગ કરી હડતાલ પર ઉતરી ગયા હતા.
કોવિડ-19 હેઠળની મહત્વની ફિલ્ડ કામગીરી બજાવે છે. સતત ફિલ્ડવર્કમાં સંજીવની રથ, ટેસ્ટીંગ વગેરે કામગીરી બજાવી રહ્યા છીએ એકપણ દિવસની રજા અપાતી નથી.
રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અને પ્રતિદિન પોઝીટીવ કેસ તેમજ મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. આજે પણ કાતિલ કોરોનાએ 22 દર્દીઓનાં ભોગ લીધા છે. એટલું જ નહીં ખુદ નાયબ આરોગ્ય અધિકારી અને એસ.ટી. નાં 10 કર્મચારીઓ સહિત બપોર સુધીમાં જ 46 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે આવા કપરા સમયમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. અને રજા મંજૂર કરવા, પગાર વધારવા સહિત કાયમી કરવામાં અગ્રતા આપવાની માંગ કરવામાં આવી છે.
આજે સવારથી જ રાજકોટ મહાનગરપાલિકાના કરાર આધારિત કર્મચારીઓ ધરણાં પર ઉતર્યા છે. અને રજા મંજૂર કરવા, વધારાની ફરજનો પગાર આપવા તેમજ 2006થી કરાર પર ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં અગ્રતા આપવા માંગ કરી છે. કોરોના મહામારીમાં કરાર આધારિત 150થી પણ વધુ કોરોના વોરિયર્સ ધરણાં પર બેસતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેની રજૂઆતમાં આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેઓ 11 મહિનાના કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવતા હોવા છતાં કાયમી કરાયા નથી.
હાલમાં કોવિડ-19 હેઠળની મહત્વની ફિલ્ડ કામગીરી બજાવે છે. સતત ફિલ્ડવર્કમાં સંજીવની રથ, ટેસ્ટીંગ વગેરે કામગીરી બજાવી રહ્યા છીએ એકપણ દિવસની રજા અપાતી નથી. એટલું જ નહીં આ માટેનો પગાર માત્ર 8થી સાડા 8હજાર પણ સમયસર મળતો નથી. જો કે આ બધી યાતના વચ્ચે પણ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબટેકનીશ્યન વગેરે શારીરિક - માનસિક રીતે મજબૂતાઇ દાખવી જીવના જોખમે કામગીરી કરે છે. જો કે કર્મચારીઓએ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરતા તેમણે ન્યાયિક પગલાં લેવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં વધતા સંક્રમણમાં ખડેપગે ફરજ બજાવતા કર્મચારીઓ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મનપાના આરોગ્ય અધિકારી બાદ હવે નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાયો છે. તો બીજીતરફ બસ પોર્ટમાં એસટી ડ્રાઇવર અને કંડકટર સહિતના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ થયા હતા. જેમાં પણ બપોર સુધીમાં 10 કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે.
રાજકોટ મહાનગરપાલિકાના કરાર આધારિત કર્મચારીઓ ધરણાં પર ઉતર્યા છે. અને રજા મંજૂર કરવા, વધારાની ફરજનો પગાર આપવા તેમજ 2006થી કરાર પર ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં અગ્રતા આપવા માંગ કરી હડતાલ પર ઉતરી ગયા હતા.
કોવિડ-19 હેઠળની મહત્વની ફિલ્ડ કામગીરી બજાવે છે. સતત ફિલ્ડવર્કમાં સંજીવની રથ, ટેસ્ટીંગ વગેરે કામગીરી બજાવી રહ્યા છીએ એકપણ દિવસની રજા અપાતી નથી.
રાજકોટ. શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. અને પ્રતિદિન પોઝીટીવ કેસ તેમજ મૃતકોની સંખ્યા પણ વધી રહી છે. આજે પણ કાતિલ કોરોનાએ 22 દર્દીઓનાં ભોગ લીધા છે. એટલું જ નહીં ખુદ નાયબ આરોગ્ય અધિકારી અને એસ.ટી. નાં 10 કર્મચારીઓ સહિત બપોર સુધીમાં જ 46 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે. ત્યારે આવા કપરા સમયમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. અને રજા મંજૂર કરવા, પગાર વધારવા સહિત કાયમી કરવામાં અગ્રતા આપવાની માંગ કરવામાં આવી છે.
આજે સવારથી જ રાજકોટ મહાનગરપાલિકાના કરાર આધારિત કર્મચારીઓ ધરણાં પર ઉતર્યા છે. અને રજા મંજૂર કરવા, વધારાની ફરજનો પગાર આપવા તેમજ 2006થી કરાર પર ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં અગ્રતા આપવા માંગ કરી છે. કોરોના મહામારીમાં કરાર આધારિત 150થી પણ વધુ કોરોના વોરિયર્સ ધરણાં પર બેસતા દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગેની રજૂઆતમાં આરોગ્ય કર્મચારીઓએ જણાવ્યું હતું કે, તેઓ 11 મહિનાના કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવતા હોવા છતાં કાયમી કરાયા નથી.
હાલમાં કોવિડ-19 હેઠળની મહત્વની ફિલ્ડ કામગીરી બજાવે છે. સતત ફિલ્ડવર્કમાં સંજીવની રથ, ટેસ્ટીંગ વગેરે કામગીરી બજાવી રહ્યા છીએ એકપણ દિવસની રજા અપાતી નથી. એટલું જ નહીં આ માટેનો પગાર માત્ર 8થી સાડા 8હજાર પણ સમયસર મળતો નથી. જો કે આ બધી યાતના વચ્ચે પણ નર્સ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, લેબટેકનીશ્યન વગેરે શારીરિક - માનસિક રીતે મજબૂતાઇ દાખવી જીવના જોખમે કામગીરી કરે છે. જો કે કર્મચારીઓએ મ્યુ. કમિશ્નરને રજૂઆત કરતા તેમણે ન્યાયિક પગલાં લેવાની ખાતરી આપી હોવાનું જાણવા મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે, કોરોનાનાં વધતા સંક્રમણમાં ખડેપગે ફરજ બજાવતા કર્મચારીઓ હવે કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. મનપાના આરોગ્ય અધિકારી બાદ હવે નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ ફેલાયો છે. તો બીજીતરફ બસ પોર્ટમાં એસટી ડ્રાઇવર અને કંડકટર સહિતના કર્મચારીઓના રેપિડ ટેસ્ટ થયા હતા. જેમાં પણ બપોર સુધીમાં 10 કર્મચારીઓનાં રિપોર્ટ પોઝિટિવ જાહેર થયા છે.