વૃદ્ધા તેને ખૂબ ગરમી થતી હોવાનું જણાવી જમવાનું પણ નહીં મળ્યાનું કહી મોતની આશંકા વ્યક્ત કરતો ઓડિયો વાઇરલ થયો હતો.
બીજા કિસ્સામાં ખાનગી હોસ્પિટલની લેબમાં નેગેટિવ રિપોર્ટ આવતા હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આરોગ્ય કેન્દ્ર પર થી એક ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે, તમને કોરોના પોઝિટિવ છે. જેને કારણે દર્દી તથા તેમના પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો.
રાજકોટ : તંત્ર દ્વારા સબ સલામતનાં કરવામાં આવતા દાવાઓ વચ્ચે સિવિલની કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારીનાં વધુ બે કિસ્સા સામે આવ્યા છે. એટલું જ નહીં બંને ઘટનાઓની ઓડિયોક્લિપ પણ સામે આવી છે. જેમાં પ્રથમ કિસ્સામાં જેતપુરનાં વૃદ્ધ મહિલા દર્દી પુત્ર સાથે ફોનમાં વાત કરી જમવાનું સમયસર મળતું ન હોવાનો આરોપ લગાવી મોતની આશંકા વ્યક્ત કરે છે. અને આ વાત થયા બાદ વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. તો બીજા કિસ્સામાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પોઝીટીવનો ફોન આવતા દંપતિ ચિંતામાં મુકાઈ ગયું છે.
પ્રથમ કિસ્સામાં સિવિલનાં કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા જેતપુરના 55 વર્ષના વૃદ્ધા અને તેના પુત્ર યોગેશ જોશી વચ્ચેની વાતચીતની ઓડિયોક્લિપ સામે આવી છે. જેમાં વૃદ્ધા તેને ખૂબ ગરમી થતી હોવાનું જણાવી જમવાનું પણ નહીં મળ્યાનું કહી મોતની આશંકા વ્યક્ત કરે છે. બાદમાં પુત્રએ હોસ્પિટલનાં કર્મચારી સાથે વાત કરી હોવાનો ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેને દર્દીની હાલત સ્ટેબલ હોવાનું જણાવાયું હતું. પુત્રનો આક્ષેપ છે કે, આ વાતચીત થયાનાં માત્ર અડધો કલાક બાદ માતાનું મોત નિપજ્યું હતું.
બીજા કિસ્સામાં શહેરનાં રેલનગર વિસ્તારમાં રહેતા દુષ્યંત દુધાત્રાએ આરોગ્ય કેન્દ્રમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે પોતે વધારે ખાતરી કરવા ખાનગી હોસ્પિટલની લેબમાં પણ ટેસ્ટ કરાવ્યો હતો. અને તેમાં પણ નેગેટિવ રિપોર્ટ આવતા હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ગઈકાલે એ હાશકારો ભયમાં પરિવર્તિત થઇ ગયો જયારે આરોગ્ય કેન્દ્ર પર થી એક ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે, તમને કોરોના પોઝિટિવ છે અને તાત્કાલિક જ સિવિલ કોવીડ હોસ્પિટલ અથવા પ્રાઇવેટ કોરોના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડશે.
https://youtu.be/_Zexf43yXlI
ફોન આવ્યા બાદ પત્ની પીનલબેનનાં કહેવા મુજબ, દુષ્યંતભાઈને તો ચક્કર આવી ગયા હતા. દરમિયાન ફોન કટ થઈ જતા જો કે પોતે હિંમત રાખી ફરીવાર કોલ કર્યો હતો. જેમાં તેમના આશ્ચર્ય વચ્ચે આરોગ્ય કેન્દ્ર તરફથી ઉડાવ જવાબ મળ્યો કે તે કોલ ભૂલથી લગાડવામાં આવ્યો હતો અને તેઓના પતિને કોરોના નથી. એટલું જ નહીં પીનલબેનનાં કહેવા મુજબ, તેને ફરીથી અહીં ફોન નહીં કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આમ નેગેટિવ હોવા છતાં પોઝીટીવનો ફોન આવતા દંપતિ ચિંતામાં મુકાયું છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેમજ હકીકત છુપાવવા તંત્ર પોઝીટીવ કેસ અને મૃતકોનાં આંકડા છુપાવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અને પરિસ્થિતિ પર કાબૂ કરવા આરોગ્ય સચિવે ખાસ ડોક્ટર્સની ટિમ સાથે એક સપ્તાહથી ધામા નાખ્યા છે. આવા કપરા સમયમાં પણ તંત્રની ગંભીર બેદરકારીની આવી ઘટનાઓ સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ બંને મામલામાં જવાબદારો સામે ક્યારે અને કેવા પગલાં લેવાશે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.
- વૃદ્ધા તેને ખૂબ ગરમી થતી હોવાનું જણાવી જમવાનું પણ નહીં મળ્યાનું કહી મોતની આશંકા વ્યક્ત કરતો ઓડિયો વાઇરલ થયો હતો.
- બીજા કિસ્સામાં ખાનગી હોસ્પિટલની લેબમાં નેગેટિવ રિપોર્ટ આવતા હાશકારો અનુભવ્યો હતો. પરંતુ આરોગ્ય કેન્દ્ર પર થી એક ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે, તમને કોરોના પોઝિટિવ છે. જેને કારણે દર્દી તથા તેમના પરિવારજનોની ચિંતામાં વધારો થયો હતો.
રાજકોટ : તંત્ર દ્વારા સબ સલામતનાં કરવામાં આવતા દાવાઓ વચ્ચે સિવિલની કોવિડ હોસ્પિટલની ગંભીર બેદરકારીનાં વધુ બે કિસ્સા સામે આવ્યા છે. એટલું જ નહીં બંને ઘટનાઓની ઓડિયોક્લિપ પણ સામે આવી છે. જેમાં પ્રથમ કિસ્સામાં જેતપુરનાં વૃદ્ધ મહિલા દર્દી પુત્ર સાથે ફોનમાં વાત કરી જમવાનું સમયસર મળતું ન હોવાનો આરોપ લગાવી મોતની આશંકા વ્યક્ત કરે છે. અને આ વાત થયા બાદ વૃદ્ધાનું મોત નિપજ્યું હતું. તો બીજા કિસ્સામાં એક વ્યક્તિનો કોરોના રિપોર્ટ નેગેટિવ હોવા છતાં પોઝીટીવનો ફોન આવતા દંપતિ ચિંતામાં મુકાઈ ગયું છે.
પ્રથમ કિસ્સામાં સિવિલનાં કોવિડ વોર્ડમાં સારવાર લઈ રહેલા જેતપુરના 55 વર્ષના વૃદ્ધા અને તેના પુત્ર યોગેશ જોશી વચ્ચેની વાતચીતની ઓડિયોક્લિપ સામે આવી છે. જેમાં વૃદ્ધા તેને ખૂબ ગરમી થતી હોવાનું જણાવી જમવાનું પણ નહીં મળ્યાનું કહી મોતની આશંકા વ્યક્ત કરે છે. બાદમાં પુત્રએ હોસ્પિટલનાં કર્મચારી સાથે વાત કરી હોવાનો ઓડિયો પણ સામે આવ્યો છે. જેમાં તેને દર્દીની હાલત સ્ટેબલ હોવાનું જણાવાયું હતું. પુત્રનો આક્ષેપ છે કે, આ વાતચીત થયાનાં માત્ર અડધો કલાક બાદ માતાનું મોત નિપજ્યું હતું.
બીજા કિસ્સામાં શહેરનાં રેલનગર વિસ્તારમાં રહેતા દુષ્યંત દુધાત્રાએ આરોગ્ય કેન્દ્રમાં પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે પોતે વધારે ખાતરી કરવા ખાનગી હોસ્પિટલની લેબમાં પણ ટેસ્ટ કરાવ્યો હતો. અને તેમાં પણ નેગેટિવ રિપોર્ટ આવતા હાશકારો અનુભવ્યો હતો. પરંતુ ગઈકાલે એ હાશકારો ભયમાં પરિવર્તિત થઇ ગયો જયારે આરોગ્ય કેન્દ્ર પર થી એક ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે, તમને કોરોના પોઝિટિવ છે અને તાત્કાલિક જ સિવિલ કોવીડ હોસ્પિટલ અથવા પ્રાઇવેટ કોરોના હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવું પડશે.
ફોન આવ્યા બાદ પત્ની પીનલબેનનાં કહેવા મુજબ, દુષ્યંતભાઈને તો ચક્કર આવી ગયા હતા. દરમિયાન ફોન કટ થઈ જતા જો કે પોતે હિંમત રાખી ફરીવાર કોલ કર્યો હતો. જેમાં તેમના આશ્ચર્ય વચ્ચે આરોગ્ય કેન્દ્ર તરફથી ઉડાવ જવાબ મળ્યો કે તે કોલ ભૂલથી લગાડવામાં આવ્યો હતો અને તેઓના પતિને કોરોના નથી. એટલું જ નહીં પીનલબેનનાં કહેવા મુજબ, તેને ફરીથી અહીં ફોન નહીં કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. આમ નેગેટિવ હોવા છતાં પોઝીટીવનો ફોન આવતા દંપતિ ચિંતામાં મુકાયું છે.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. તેમજ હકીકત છુપાવવા તંત્ર પોઝીટીવ કેસ અને મૃતકોનાં આંકડા છુપાવતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અને પરિસ્થિતિ પર કાબૂ કરવા આરોગ્ય સચિવે ખાસ ડોક્ટર્સની ટિમ સાથે એક સપ્તાહથી ધામા નાખ્યા છે. આવા કપરા સમયમાં પણ તંત્રની ગંભીર બેદરકારીની આવી ઘટનાઓ સામે આવતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ બંને મામલામાં જવાબદારો સામે ક્યારે અને કેવા પગલાં લેવાશે તેના પર લોકોની મીટ મંડાયેલી છે.