રાજકોટ. ગઈકાલે શહેરના રૂખડીયા ફાટક નજીકમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. જેમાં પતિએ પત્ની અને મામાજીની હત્યા કરી આરોપી તેમના બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવા પ્રયાસ કરતા ત્રણેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં આરોપી અને બંને બાળકો સહિત ત્રણેના મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે. હાલ પોલીસે તમામની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
જાણો શુ હતી સમગ્ર ઘટના
રાજકોટ શહેરના રૂખડીયા પરા ફાટક પાસે સમી સાંજે ડબલ મર્ડરના બનાવથી સનસનાટી મચી ગઇ હતી. કોર્ટ કેસના મનદુઃખમાં થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ઇમરાન અલતાફભાઈ પઠાણે રુખડીયા પરા ફાટક નજીક પોતાના 45 વર્ષીય સાસુ ફિરોઝાબેન નૂરમહમદ પઠાણને છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. અને પોતાની પત્ની નાઝીયા તથા મામાજી નઝીરભાઈ અખ્તરભાઈની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.
ત્યારબાદ તરત જ ઇમરાને ઘરે જઈ પોતાના 2 પુત્રો 7 વર્ષનો અલ્લુ અને 8 વર્ષનાં ઈકાન સાથે અગ્નિસ્નાન કરી લેતા ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન ત્રણેયે દમ તોડી દીધો છે. અને સંતાનોની કસ્ટડી બાબતે ચાલતા કોર્ટ કેસના મનદુઃખનો લોહિયાળ અંત આવ્યો છે. હાલ તો ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા, પીઆઇ એલ.એલ. ચાવડા અને ટીમ વધુ તપાસ કરે છે.
રાજકોટ. ગઈકાલે શહેરના રૂખડીયા ફાટક નજીકમાં ડબલ મર્ડરની ઘટના બની હતી. જેમાં પતિએ પત્ની અને મામાજીની હત્યા કરી આરોપી તેમના બે બાળકો સાથે સળગીને આત્મહત્યા કરવા પ્રયાસ કરતા ત્રણેને સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં આરોપી અને બંને બાળકો સહિત ત્રણેના મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે. હાલ પોલીસે તમામની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.
જાણો શુ હતી સમગ્ર ઘટના
રાજકોટ શહેરના રૂખડીયા પરા ફાટક પાસે સમી સાંજે ડબલ મર્ડરના બનાવથી સનસનાટી મચી ગઇ હતી. કોર્ટ કેસના મનદુઃખમાં થોરાળા પોલીસ સ્ટેશન પાસે રહેતા ઇમરાન અલતાફભાઈ પઠાણે રુખડીયા પરા ફાટક નજીક પોતાના 45 વર્ષીય સાસુ ફિરોઝાબેન નૂરમહમદ પઠાણને છરીના ઘા ઝીંકી ગંભીર ઇજા પહોંચાડી હતી. અને પોતાની પત્ની નાઝીયા તથા મામાજી નઝીરભાઈ અખ્તરભાઈની છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.
ત્યારબાદ તરત જ ઇમરાને ઘરે જઈ પોતાના 2 પુત્રો 7 વર્ષનો અલ્લુ અને 8 વર્ષનાં ઈકાન સાથે અગ્નિસ્નાન કરી લેતા ત્રણેયને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આજે સવારે સારવાર દરમિયાન ત્રણેયે દમ તોડી દીધો છે. અને સંતાનોની કસ્ટડી બાબતે ચાલતા કોર્ટ કેસના મનદુઃખનો લોહિયાળ અંત આવ્યો છે. હાલ તો ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી દિયોરા, પીઆઇ એલ.એલ. ચાવડા અને ટીમ વધુ તપાસ કરે છે.