દર્દીને સ્ટ્રેચર પર બેસાડવા સહિતનાં સ્ટાફે કરવાનાં કામો પરિજનો પાસે કરાવવામાં આવતા હોવાનું પણ દર્દીનાં સંબંધીઓએ જણાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા
દર્દીનાં ખિસ્સામાં રાખેલા 25 હજાર રૂપિયા વિશે પૂછવામાં આવતા સ્ટાફ દ્વારા બધું સવારે મળશે તેમ કહી વાત ટાળી દેવામાં આવી
રાજકોટ : સિવિલ હોસ્પિટલનાં કોવિડ વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં દર્દીના ખિસ્સામાં રહેલા રૂ. 25 હજાર ગાયબ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. સાથે જ દર્દીને સ્ટ્રેચર પર બેસાડવા સહિતનાં સ્ટાફે કરવાનાં કામો પરિજનો પાસે કરાવવામાં આવતા હોવાનું પણ દર્દીનાં સંબંધીઓએ જણાવતા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં આજે એક દર્દીના પરિવારજનો આક્રોશ સાથે પહોંચ્યા હતા. અને જણાવ્યું હતું કે, અહીંનાં સ્ટાફ દ્વારા દર્દીની નળી સરખી કરવી, સ્ટ્રેચર પર બેસાડવા જેવા કામો અમારી પાસે કરાવાઈ રહ્યા છે. જે ખરેખર સ્ટાફની ફરજમાં આવે છે. એટલું જ નહીં દર્દીનાં ખિસ્સામાં રાખેલા 25 હજાર રૂપિયા વિશે પૂછવામાં આવતા સ્ટાફ દ્વારા બધું સવારે મળશે તેમ કહી વાત ટાળી દેવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું છે.
આ સાથે જ અન્ય કેટલાક દર્દીઓનાં સગાઓએ પણ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. અને અહીં સ્વસ્થ દર્દી અંદર ગયા બાદ મોત થઈ જવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ કોવિડ હોસ્પિટલ બહાર ગોઠવાયેલા બંદોબસ્તને લઈને સિક્યુરિટી અને પરિવારનાં સગાઓ વચ્ચે બોલાચાલી થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઓડિયોક્લિપો વાયરલ થઈ હતી. જેમાં પણ નેગેટિવ દર્દીને પોઝીટીવ જણાવી ફોન કર્યાનો આક્ષેપ લગાવાયો હતો. તેમજ એક વૃદ્ધા દ્વારા સમયસર જમવાનું નહીં અપાતું હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તે વૃદ્ધાનું મોત થતા અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે વધુ કેટલાક દર્દીઓનાં સગાઓનાં આક્ષેપને લઈને આ મુદ્દે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
દર્દીને સ્ટ્રેચર પર બેસાડવા સહિતનાં સ્ટાફે કરવાનાં કામો પરિજનો પાસે કરાવવામાં આવતા હોવાનું પણ દર્દીનાં સંબંધીઓએ જણાવતા લોકો મુશ્કેલીમાં મુકાયા
દર્દીનાં ખિસ્સામાં રાખેલા 25 હજાર રૂપિયા વિશે પૂછવામાં આવતા સ્ટાફ દ્વારા બધું સવારે મળશે તેમ કહી વાત ટાળી દેવામાં આવી
રાજકોટ : સિવિલ હોસ્પિટલનાં કોવિડ વિભાગની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં દર્દીના ખિસ્સામાં રહેલા રૂ. 25 હજાર ગાયબ હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. સાથે જ દર્દીને સ્ટ્રેચર પર બેસાડવા સહિતનાં સ્ટાફે કરવાનાં કામો પરિજનો પાસે કરાવવામાં આવતા હોવાનું પણ દર્દીનાં સંબંધીઓએ જણાવતા લોકોમાં સવાલો ઉઠી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલમાં આજે એક દર્દીના પરિવારજનો આક્રોશ સાથે પહોંચ્યા હતા. અને જણાવ્યું હતું કે, અહીંનાં સ્ટાફ દ્વારા દર્દીની નળી સરખી કરવી, સ્ટ્રેચર પર બેસાડવા જેવા કામો અમારી પાસે કરાવાઈ રહ્યા છે. જે ખરેખર સ્ટાફની ફરજમાં આવે છે. એટલું જ નહીં દર્દીનાં ખિસ્સામાં રાખેલા 25 હજાર રૂપિયા વિશે પૂછવામાં આવતા સ્ટાફ દ્વારા બધું સવારે મળશે તેમ કહી વાત ટાળી દેવામાં આવી હોવાનું પણ તેમણે કહ્યું છે.
આ સાથે જ અન્ય કેટલાક દર્દીઓનાં સગાઓએ પણ હોસ્પિટલ તંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. અને અહીં સ્વસ્થ દર્દી અંદર ગયા બાદ મોત થઈ જવા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ કોવિડ હોસ્પિટલ બહાર ગોઠવાયેલા બંદોબસ્તને લઈને સિક્યુરિટી અને પરિવારનાં સગાઓ વચ્ચે બોલાચાલી થયાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ઓડિયોક્લિપો વાયરલ થઈ હતી. જેમાં પણ નેગેટિવ દર્દીને પોઝીટીવ જણાવી ફોન કર્યાનો આક્ષેપ લગાવાયો હતો. તેમજ એક વૃદ્ધા દ્વારા સમયસર જમવાનું નહીં અપાતું હોવાનું પણ કહેવામાં આવ્યું હતું. અને ત્યારબાદ તે વૃદ્ધાનું મોત થતા અનેક સવાલો ઉઠ્યા હતા. ત્યારે વધુ કેટલાક દર્દીઓનાં સગાઓનાં આક્ષેપને લઈને આ મુદ્દે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.