ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાનાં ગુરૂ અને પરમ પૂ.રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય પૂ. હરીચરણ દાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ)ની તબિયત લથડી
રાજકોટથી 40 કિલોમીટર દૂર ગોંડલ ખાતે પૂ. હરિચરણ દાસજી મહારાજનો આશ્રમ આવ્યો
સુ-પ્રસિધ્ધ રામ હોસ્પિટલનાં ડોકટરો પૂ.શ્રીને તેમના રૂમમાં તમામ સારવાર આપી રહયા છે.
રાજકોટ : ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાનાં ગુરૂ અને પરમ પૂ.રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય પૂ. હરીચરણ દાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ)ની તબિયત લથડી છે. અચાનક જ તેમનું હીમોગ્લોબીન લેવલ ખુબ ઓછુ થઇ જતા તેમને ઓકિસજન ઉપર રાખવામાં આવ્યાનું સામે આવ્યું છે. જેને પગલે તેમના ભક્તોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટથી 40 કિલોમીટર દૂર ગોંડલ ખાતે પૂ. હરિચરણ દાસજી મહારાજનો આશ્રમ આવેલો છે. જે રામજી મંદિરનાં નામે ઓળખાય છે. ક્રિકેટર ચેતેશ્વર પુજારા સહિતનાં અનેક સેલિબ્રિટીઓ પૂ. હરિચરણ દાસજી મહારાજનાં ભક્તો છે. અને તેમને હૃદયપૂર્વક પોતાના ગુરૂ માને છે.
આજરોજ અચાનક જ તેમની તબિયત નાદુરસ્ત થઈ છે. જેમાં સુ-પ્રસિધ્ધ રામ હોસ્પિટલનાં ડોકટરો પૂ.શ્રીને તેમના રૂમમાં તમામ સારવાર આપી રહયા છે. પ્રાથમિક જાણકારી મુજબ તેમનું હિમોગ્લોબીન ઘટી ગયું હોવાનું સામે આવ્યું છે. જો કે ડોક્ટર્સનાં કહેવા મુજબ તેમની સ્થીતી સ્ટેબલ છે. અને તેમને સંપૂર્ણ આરામ કરવાની જરૂર છે. જેને લઈ તેમનાં લાખો અનુયાયીઓને ગોંડલ ખાતે ધસારો નહિ કરવા વિનંતી કરવામાં આવી છે.
ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાનાં ગુરૂ અને પરમ પૂ.રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય પૂ. હરીચરણ દાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ)ની તબિયત લથડી
રાજકોટથી 40 કિલોમીટર દૂર ગોંડલ ખાતે પૂ. હરિચરણ દાસજી મહારાજનો આશ્રમ આવ્યો
સુ-પ્રસિધ્ધ રામ હોસ્પિટલનાં ડોકટરો પૂ.શ્રીને તેમના રૂમમાં તમામ સારવાર આપી રહયા છે.
રાજકોટ : ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારાનાં ગુરૂ અને પરમ પૂ.રણછોડદાસજી મહારાજના અનન્ય શિષ્ય પૂ. હરીચરણ દાસજી મહારાજ (રામજી મંદિર ગોંડલ)ની તબિયત લથડી છે. અચાનક જ તેમનું હીમોગ્લોબીન લેવલ ખુબ ઓછુ થઇ જતા તેમને ઓકિસજન ઉપર રાખવામાં આવ્યાનું સામે આવ્યું છે. જેને પગલે તેમના ભક્તોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, રાજકોટથી 40 કિલોમીટર દૂર ગોંડલ ખાતે પૂ. હરિચરણ દાસજી મહારાજનો આશ્રમ આવેલો છે. જે રામજી મંદિરનાં નામે ઓળખાય છે. ક્રિકેટર ચેતેશ્વર પુજારા સહિતનાં અનેક સેલિબ્રિટીઓ પૂ. હરિચરણ દાસજી મહારાજનાં ભક્તો છે. અને તેમને હૃદયપૂર્વક પોતાના ગુરૂ માને છે.
આજરોજ અચાનક જ તેમની તબિયત નાદુરસ્ત થઈ છે. જેમાં સુ-પ્રસિધ્ધ રામ હોસ્પિટલનાં ડોકટરો પૂ.શ્રીને તેમના રૂમમાં તમામ સારવાર આપી રહયા છે. પ્રાથમિક જાણકારી મુજબ તેમનું હિમોગ્લોબીન ઘટી ગયું હોવાનું સામે આવ્યું છે. જો કે ડોક્ટર્સનાં કહેવા મુજબ તેમની સ્થીતી સ્ટેબલ છે. અને તેમને સંપૂર્ણ આરામ કરવાની જરૂર છે. જેને લઈ તેમનાં લાખો અનુયાયીઓને ગોંડલ ખાતે ધસારો નહિ કરવા વિનંતી કરવામાં આવી છે.