રાજકોટ. શહેરમાં આજે સતત બીજા દિવસે મનપા દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. જેમાં શહેરનાં યુનિવર્સિટી રોડ પર આવેલ જે. કે. ચોક ખાતે ઉભા થયેલા ગરેકાયદેસર મકાનો પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું હતું. અને મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કરોડોની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. જો કે ડીમોલિશન બાદ મામલો ગરમાયો હતો. અને સ્થાનિકોએ કેરીસીનની બોટલ સાથે લઈ કોર્પોરેશન કચેરી દોડી જઈ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા દોડધામ મચી ગઈ હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનાં અધિકારીઓ આજે વહેલી સવારે બુલડોઝર તેમજ વિજિલન્સ સ્ટાફ સાથે લઈને શહેરનાં યુનિવર્સિટી રોડ પર પહોંચ્યા હતા. અને ત્યાં જે. કે. ચોક ખાતે ઉભા થયેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં 70 જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડી 8 હજાર ચોરસ મીટર એટલે કે, અંદાજીત 65 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
ડીમોલિશન દરમિયાન આ કાર્યવાહી કોઈપણ નોટિસ આપ્યા વિના કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે જ સ્થાનિકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ અને વિજિલન્સ સ્ટાફ દ્વારા તેમને અટકાવીને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ તેની અવળી અસર પડી હતી. તેમજ સ્થાનિકો કેરોસીનની બોટલો સાથે લઈને કોર્પોરેશન કચેરીએ દોડી ગયા હતા. અને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.
જો કે કોર્પોરેશન કચેરી ખાતેના વિજિલન્સ સ્ટાફે તેમને આમ કરતા અટકાવી પોલીસને જાણ કરી હતી. અને મહિલાઓ મોટી સંખ્યામાં હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. બાદમાં સ્થાનિકો દ્વારા ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. અને પોતાના માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરી હતી. આ મુદ્દે ડેપ્યુટી કમિશ્નરે જરૂરી કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
રાજકોટ. શહેરમાં આજે સતત બીજા દિવસે મનપા દ્વારા મેગા ડીમોલિશન હાથ ધરાયું હતું. જેમાં શહેરનાં યુનિવર્સિટી રોડ પર આવેલ જે. કે. ચોક ખાતે ઉભા થયેલા ગરેકાયદેસર મકાનો પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી વળ્યું હતું. અને મનપાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા કરોડોની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. જો કે ડીમોલિશન બાદ મામલો ગરમાયો હતો. અને સ્થાનિકોએ કેરીસીનની બોટલ સાથે લઈ કોર્પોરેશન કચેરી દોડી જઈ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા દોડધામ મચી ગઈ હતી.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાનાં અધિકારીઓ આજે વહેલી સવારે બુલડોઝર તેમજ વિજિલન્સ સ્ટાફ સાથે લઈને શહેરનાં યુનિવર્સિટી રોડ પર પહોંચ્યા હતા. અને ત્યાં જે. કે. ચોક ખાતે ઉભા થયેલા દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં 70 જેટલા કાચા-પાકા મકાનો તોડી પાડી 8 હજાર ચોરસ મીટર એટલે કે, અંદાજીત 65 કરોડની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
ડીમોલિશન દરમિયાન આ કાર્યવાહી કોઈપણ નોટિસ આપ્યા વિના કરવામાં આવી રહી હોવાના આક્ષેપ સાથે જ સ્થાનિકોએ વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ અને વિજિલન્સ સ્ટાફ દ્વારા તેમને અટકાવીને કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. પરંતુ તેની અવળી અસર પડી હતી. તેમજ સ્થાનિકો કેરોસીનની બોટલો સાથે લઈને કોર્પોરેશન કચેરીએ દોડી ગયા હતા. અને આત્મવિલોપન કરવાની ચીમકી આપી હતી.
જો કે કોર્પોરેશન કચેરી ખાતેના વિજિલન્સ સ્ટાફે તેમને આમ કરતા અટકાવી પોલીસને જાણ કરી હતી. અને મહિલાઓ મોટી સંખ્યામાં હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. બાદમાં સ્થાનિકો દ્વારા ડેપ્યુટી કમિશ્નરને રજૂઆત કરવામાં આવી હતી. અને પોતાના માટે વૈકલ્પિક જગ્યા ફાળવવા માંગ કરી હતી. આ મુદ્દે ડેપ્યુટી કમિશ્નરે જરૂરી કાર્યવાહીની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.