રાજકોટ. કોરોનાની મહામારી બાદ હવે અનલોક-5 માં લગભગ તમામ ધંધા-રોજગાર શરૂ થઈ ચૂક્યા છે. પણ શહેરમાં દર બુધવારે અને રવિવારે ભરાતી અઠવાડિક બજારોમાં કોવિડ-19ના નિયમોનું પાલન થતું ન હોઈ મનપાનાં જગ્યા રોકાણ વિભાગ દ્વારા આ બજારોને બંધ કરાવી દેવામાં આવી હતી. જેને પગલે બેરોજગાર બનેલા ધંધાર્થીઓનાં ટોળા આજે કોર્પોરેશન કચેરીએ દોડી ગયા હતા. અને ધંધા શરૂ કરવાની મંજૂરીની માંગ સાથે ચક્કાજામ સર્જી દેતા તંત્ર ઉંધામાથે થઈ ગયું હતું. જો કે બાદમાં ઉચ્ચ અધિકારીઓએ સમજાવટથી આ મામલો થાળે પાડ્યો છે.
આ અંગેની વિગતો મુજબ શહેરની આજી ડેમ ચોકડી અને રવિવારી અને કોઠારીયા ચોકડી પાસે બુધવારી બજારો ભરાતી હતી. જેમાં મોટી ભીડ એકત્રીત થતી હતી. અને માસ્ક તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમો જળવાતાં ન હતા. આથી કોરોનાં સંક્રમણ વધવાનો ભય સતત રહેતો હતો. ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતી હતી. તંત્રએ છૂટ આપી નહી હોવા છતાં આ બજારો ભરાતી હોવાની ફરીયાદો તંત્રવાહકોને સતત મળતી રહેતી હતી.
આથી જગ્યા રોકાણ વિભાગે રવિવારી અને બુધવારી બંને બજારો બંધ કરાવી હતી. જેના કારણે બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઇ ગઇ હોવાથી આ બંધ બજારનાં ધંધાર્થીઓ એકત્રીત થઇ ટોળા સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ દોડી ગયા હતા. અને કચેરી બહાર રસ્તા પર બેસી જતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
દરમિયાન વિજીલન્સ પોલીસે રસ્તા પરથી ટોળાને દૂર કરી અને ધંધાર્થીઓની ફરી બે વાર શરૂ કરાવવાની રજુઆતને અધિકારી સુધી પહોંચાડી હતી. તેમજ આ બાબતે યોગ્ય કરવા અધિકારીએ પણ ખાત્રી આપતા હાલ મામલો થાળે પડ્યો છે. જો કે ધંધા બંધ હોવાને કારણે હવે આ ધંધાર્થીઓને ખાવાના પણ સાંસા પડી રહ્યા હોય તાત્કાલિક મંજૂરી નહીં મળે તો અજુગતું બનવાની સંભાવના પણ નકારી શકાય તેમ નથી.
રાજકોટ. કોરોનાની મહામારી બાદ હવે અનલોક-5 માં લગભગ તમામ ધંધા-રોજગાર શરૂ થઈ ચૂક્યા છે. પણ શહેરમાં દર બુધવારે અને રવિવારે ભરાતી અઠવાડિક બજારોમાં કોવિડ-19ના નિયમોનું પાલન થતું ન હોઈ મનપાનાં જગ્યા રોકાણ વિભાગ દ્વારા આ બજારોને બંધ કરાવી દેવામાં આવી હતી. જેને પગલે બેરોજગાર બનેલા ધંધાર્થીઓનાં ટોળા આજે કોર્પોરેશન કચેરીએ દોડી ગયા હતા. અને ધંધા શરૂ કરવાની મંજૂરીની માંગ સાથે ચક્કાજામ સર્જી દેતા તંત્ર ઉંધામાથે થઈ ગયું હતું. જો કે બાદમાં ઉચ્ચ અધિકારીઓએ સમજાવટથી આ મામલો થાળે પાડ્યો છે.
આ અંગેની વિગતો મુજબ શહેરની આજી ડેમ ચોકડી અને રવિવારી અને કોઠારીયા ચોકડી પાસે બુધવારી બજારો ભરાતી હતી. જેમાં મોટી ભીડ એકત્રીત થતી હતી. અને માસ્ક તેમજ સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમો જળવાતાં ન હતા. આથી કોરોનાં સંક્રમણ વધવાનો ભય સતત રહેતો હતો. ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતી હતી. તંત્રએ છૂટ આપી નહી હોવા છતાં આ બજારો ભરાતી હોવાની ફરીયાદો તંત્રવાહકોને સતત મળતી રહેતી હતી.
આથી જગ્યા રોકાણ વિભાગે રવિવારી અને બુધવારી બંને બજારો બંધ કરાવી હતી. જેના કારણે બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓની રોજીરોટી છીનવાઇ ગઇ હોવાથી આ બંધ બજારનાં ધંધાર્થીઓ એકત્રીત થઇ ટોળા સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ દોડી ગયા હતા. અને કચેરી બહાર રસ્તા પર બેસી જતા ચક્કાજામ જેવી સ્થિતિ સર્જાઇ હતી.
દરમિયાન વિજીલન્સ પોલીસે રસ્તા પરથી ટોળાને દૂર કરી અને ધંધાર્થીઓની ફરી બે વાર શરૂ કરાવવાની રજુઆતને અધિકારી સુધી પહોંચાડી હતી. તેમજ આ બાબતે યોગ્ય કરવા અધિકારીએ પણ ખાત્રી આપતા હાલ મામલો થાળે પડ્યો છે. જો કે ધંધા બંધ હોવાને કારણે હવે આ ધંધાર્થીઓને ખાવાના પણ સાંસા પડી રહ્યા હોય તાત્કાલિક મંજૂરી નહીં મળે તો અજુગતું બનવાની સંભાવના પણ નકારી શકાય તેમ નથી.