કપરા સમયમાં ગાંધીજી હાજર હોય તો શું કરે ? તે મુદ્દે અનોખો કાર્યક્રમ યોજાયો
દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જયંતિનાં દિવસે શહેરનાં મુખ્ય માર્ગો પર ગાંધીજીનાં પહેરવેશમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા સહિતનાં મહત્વનાં સંદેશાઓ આપતા હોય
સોશિયલ મીડિયાનાં માધ્યમથી ગાંધીજીને યાદ કરવાની સાથે-સાથે લોકોમાં કોરોનાની મહામારી અંગેની જાગૃતિ લાવવાનો એક અનોખો પ્રયાસ
કુલીન પારેખ-રાજકોટ. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ છે. સામાન્ય રીતે આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ ખાસ કોઈ કાર્યક્રમ યોજાયા નથી. જો કે રાજકોટનાં ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા આજનાં આ કપરા સમયમાં ગાંધીજી હાજર હોય તો શું કરે ? તે મુદ્દે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કસ્તુરબા સેનેટાઈઝરથી ગાંધીજીનાં હાથ ધોવડાવતા નજરે પડ્યા હતા. અને રાષ્ટ્રપિતાએ કોરોનાનો ટેસ્ટ પણ કરાવ્યો હતો.
https://youtu.be/JAhV0S17xvg
આ તકે ફ્રીડમ યુવા ગ્રુપનાં ભાગ્યેશ વોરાએ જણાવ્યું હતું કે, આ ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગાંધીજીનાં વિચારોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જેમાં ગાંધી જયંતિનાં દિવસે શહેરનાં મુખ્ય માર્ગો પર ગાંધીજીનાં પહેરવેશમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા સહિતનાં મહત્વનાં સંદેશાઓ આપતા હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે આ કાર્યક્રમનું આયોજન શક્ય નહોતું.
જો કે ગાંધીજીનાં વિચારો ફેલાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અત્યારનાં સમયમાં ગાંધીજી હાજર હોય તો શું કરે ? તે વિષય પર એક નાટક ભજવવામાં આવ્યું હતું. જેમાં ગાંધીજીએ કોરોના ટેસ્ટ કરાવી લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું મહત્વ સમજાવ્યું હતું. આ ખાસ કાર્યક્રમનાં વિડીયો દ્વારા સોશિયલ મીડિયાનાં માધ્યમથી ગાંધીજીને યાદ કરવાની સાથે-સાથે લોકોમાં કોરોનાની મહામારી અંગેની જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરાયો હોવાનું પણ તેમણે કહ્યું છે.
કપરા સમયમાં ગાંધીજી હાજર હોય તો શું કરે ? તે મુદ્દે અનોખો કાર્યક્રમ યોજાયો
દર વર્ષે ગાંધી જયંતિ નિમિત્તે ગાંધી જયંતિનાં દિવસે શહેરનાં મુખ્ય માર્ગો પર ગાંધીજીનાં પહેરવેશમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા સહિતનાં મહત્વનાં સંદેશાઓ આપતા હોય
સોશિયલ મીડિયાનાં માધ્યમથી ગાંધીજીને યાદ કરવાની સાથે-સાથે લોકોમાં કોરોનાની મહામારી અંગેની જાગૃતિ લાવવાનો એક અનોખો પ્રયાસ
કુલીન પારેખ-રાજકોટ. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ છે. સામાન્ય રીતે આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈ ખાસ કોઈ કાર્યક્રમ યોજાયા નથી. જો કે રાજકોટનાં ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા આજનાં આ કપરા સમયમાં ગાંધીજી હાજર હોય તો શું કરે ? તે મુદ્દે અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કસ્તુરબા સેનેટાઈઝરથી ગાંધીજીનાં હાથ ધોવડાવતા નજરે પડ્યા હતા. અને રાષ્ટ્રપિતાએ કોરોનાનો ટેસ્ટ પણ કરાવ્યો હતો.
આ તકે ફ્રીડમ યુવા ગ્રુપનાં ભાગ્યેશ વોરાએ જણાવ્યું હતું કે, આ ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી ગાંધીજીનાં વિચારોનો પ્રચાર-પ્રસાર કરવામાં આવે છે. જેમાં ગાંધી જયંતિનાં દિવસે શહેરનાં મુખ્ય માર્ગો પર ગાંધીજીનાં પહેરવેશમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતા સહિતનાં મહત્વનાં સંદેશાઓ આપતા હોય છે. પરંતુ કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે આ કાર્યક્રમનું આયોજન શક્ય નહોતું.
જો કે ગાંધીજીનાં વિચારો ફેલાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા અત્યારનાં સમયમાં ગાંધીજી હાજર હોય તો શું કરે ? તે વિષય પર એક નાટક ભજવવામાં આવ્યું હતું. જેમાં ગાંધીજીએ કોરોના ટેસ્ટ કરાવી લોકોને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કનું મહત્વ સમજાવ્યું હતું. આ ખાસ કાર્યક્રમનાં વિડીયો દ્વારા સોશિયલ મીડિયાનાં માધ્યમથી ગાંધીજીને યાદ કરવાની સાથે-સાથે લોકોમાં કોરોનાની મહામારી અંગેની જાગૃતિ લાવવાનો એક પ્રયાસ કરાયો હોવાનું પણ તેમણે કહ્યું છે.