સરકારી યોજનાઓનો લાભ ગ્રાઉન્ડ લેવલ સુધી ન પહોંચતો હોય તેમ દિવ્યાંગજનો અસંતુષ્ટ
દિવ્યાંગોએ સરકારી નોકરીમાં 4 ટકા અનામત સહિતની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું
સરકાર દ્વારા દિવ્યાંગોની રક્ષા, પુનરોત્થાન અને સામાજિક સમાવેશના અનેક અધિનિયમોની અમલવારી વર્ષો પૂર્વે થઈ
રાજકોટ : PM મોદીએ અનેક વખત જણાવ્યું છે કે, દિવ્યાંગજનો માટે તેમને ખાસ લગાવ છે. તેમજ તેના વિકાસ માટે અનેક યોજનાઓ પણ પ્રધાનમંત્રી દ્વારા લાગુ કરવામાં આવી છે. જોકે આ યોજનાઓનો લાભ ગ્રાઉન્ડ લેવલ સુધી ન પહોંચતો હોય તેમ દિવ્યાંગજનો અસંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે. આજરોજ પોતાના બાઈક પર આવેલા દિવ્યાંગોએ સરકારી નોકરીમાં 4 ટકા અનામત સહિતની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
દેશભરમાં કોરોના કાળ વચ્ચે પહેલાથી જ સંર્ઘષમય જીવન જીવી રહેલા દિવ્યાંગોની હાલત કફોડી બની છે. જેને પગલે કલેક્ટરને પાઠવેલા અવેદનમાં દિવ્યાંગોએ પોતાની લાયકાત મુજબ નોકરી આપવાની સરકાર સમક્ષ માંગ કરી છે. સાથે જ નિયમ મુજબ સરકારી નોકરીમાં 4 ટકા અનામત આપવા અંગે તેમજ તેમની બેરોજગારી મામલે જરૂરી પગલાં લેવાની માંગ પણ કરી છે. સાથે જ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષમય જીવન વિતાવતા દિવ્યાંગોની અવગણના થતી હોવાનો મોટો આરોપ પણ સરકાર પર લગાવ્યો છે.
દિવ્યાંગોનાં કહેવા મુજબ, સરકાર દ્વારા દિવ્યાંગોની રક્ષા, પુનરોત્થાન અને સામાજિક સમાવેશના અનેક અધિનિયમોની અમલવારી વર્ષો પૂર્વે થઈ ગઈ છે. પરંતુ દિવ્યાંગોની સ્થિતીમાં આજે પણ કોઈ ખાસ સુધારો થયો નથી. આવા સંજોગોમાં સરકાર જ દિવ્યાંગોને લાયકાત મુજબ નોકરી આપે અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી લઘુતમ વેતન કાયદા અનુસાર જીવન નિર્વાહ માટે બેરોજગારી ભથ્થુ ચુકવે તે જરૂરી બન્યું છે.
- સરકારી યોજનાઓનો લાભ ગ્રાઉન્ડ લેવલ સુધી ન પહોંચતો હોય તેમ દિવ્યાંગજનો અસંતુષ્ટ
- દિવ્યાંગોએ સરકારી નોકરીમાં 4 ટકા અનામત સહિતની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું
- સરકાર દ્વારા દિવ્યાંગોની રક્ષા, પુનરોત્થાન અને સામાજિક સમાવેશના અનેક અધિનિયમોની અમલવારી વર્ષો પૂર્વે થઈ
રાજકોટ : PM મોદીએ અનેક વખત જણાવ્યું છે કે, દિવ્યાંગજનો માટે તેમને ખાસ લગાવ છે. તેમજ તેના વિકાસ માટે અનેક યોજનાઓ પણ પ્રધાનમંત્રી દ્વારા લાગુ કરવામાં આવી છે. જોકે આ યોજનાઓનો લાભ ગ્રાઉન્ડ લેવલ સુધી ન પહોંચતો હોય તેમ દિવ્યાંગજનો અસંતુષ્ટ હોવાનું સામે આવ્યું છે. આજરોજ પોતાના બાઈક પર આવેલા દિવ્યાંગોએ સરકારી નોકરીમાં 4 ટકા અનામત સહિતની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત કરી છે.
દેશભરમાં કોરોના કાળ વચ્ચે પહેલાથી જ સંર્ઘષમય જીવન જીવી રહેલા દિવ્યાંગોની હાલત કફોડી બની છે. જેને પગલે કલેક્ટરને પાઠવેલા અવેદનમાં દિવ્યાંગોએ પોતાની લાયકાત મુજબ નોકરી આપવાની સરકાર સમક્ષ માંગ કરી છે. સાથે જ નિયમ મુજબ સરકારી નોકરીમાં 4 ટકા અનામત આપવા અંગે તેમજ તેમની બેરોજગારી મામલે જરૂરી પગલાં લેવાની માંગ પણ કરી છે. સાથે જ અસ્તિત્વ ટકાવવા સંઘર્ષમય જીવન વિતાવતા દિવ્યાંગોની અવગણના થતી હોવાનો મોટો આરોપ પણ સરકાર પર લગાવ્યો છે.
દિવ્યાંગોનાં કહેવા મુજબ, સરકાર દ્વારા દિવ્યાંગોની રક્ષા, પુનરોત્થાન અને સામાજિક સમાવેશના અનેક અધિનિયમોની અમલવારી વર્ષો પૂર્વે થઈ ગઈ છે. પરંતુ દિવ્યાંગોની સ્થિતીમાં આજે પણ કોઈ ખાસ સુધારો થયો નથી. આવા સંજોગોમાં સરકાર જ દિવ્યાંગોને લાયકાત મુજબ નોકરી આપે અને જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી લઘુતમ વેતન કાયદા અનુસાર જીવન નિર્વાહ માટે બેરોજગારી ભથ્થુ ચુકવે તે જરૂરી બન્યું છે.