કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ
સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકીઓ મળી હોવાની વાત જણાવી
પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની ભલામણ કરી
જામનગર : શહેરમાં મેડિકલ સ્ટોરનાં સંચાલકે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલાં તેમણે સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં જમીનને લઇને ચાલી રહેલ વિવાદનાં ઉલ્લેખ સાથે બે લોકોના ત્રાસથી પોતે આ પગલું ભરતા હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. જેને પગલે સીટી પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
જામનગરનાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ રોયલ એન્કલેવ NRI બંગલા માં C-24માં રહેતા અને રણજીત રોડ પર ચામુંડા મેડિકલ સ્ટોર ધરાવતા હિતેષ ચંદ્રકાન્તભાઈ પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. હિતેશભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના પરિવારને સંબોધન કરાયેલી બે પાનાની સુસાઈડ નોટ લખી છે. જેમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. તેમજ આ સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકીઓ મળી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વધુમાં આ સ્યુસાઈડ નોટમાં મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની ભલામણ કરી છે. હિતેશભાઈએ પોતાના ઘરે ગતરાત્રે 9 વાગ્યા આસપાસ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બનતા પતિ-પત્ની અને બે બાળકો મળી ચાર સભ્યોનો માળો વિખાયો છે.
- કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ
- સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકીઓ મળી હોવાની વાત જણાવી
- પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની ભલામણ કરી
જામનગર : શહેરમાં મેડિકલ સ્ટોરનાં સંચાલકે પોતાના ઘરે ગળેફાસો ખાઇ આપઘાત કરી લીધો છે. આપઘાત કરતા પહેલાં તેમણે સુસાઈડ નોટ પણ લખી છે. જેમાં જમીનને લઇને ચાલી રહેલ વિવાદનાં ઉલ્લેખ સાથે બે લોકોના ત્રાસથી પોતે આ પગલું ભરતા હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે. જેને પગલે સીટી પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી સુસાઇડ નોટ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
જામનગરનાં ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ રોયલ એન્કલેવ NRI બંગલા માં C-24માં રહેતા અને રણજીત રોડ પર ચામુંડા મેડિકલ સ્ટોર ધરાવતા હિતેષ ચંદ્રકાન્તભાઈ પરમારે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. હિતેશભાઈએ આપઘાત કરતા પહેલા પોતાના પરિવારને સંબોધન કરાયેલી બે પાનાની સુસાઈડ નોટ લખી છે. જેમાં કનુભાઈ અને રમણભાઈના મોબાઈલ નંબર સાથેના ઉલ્લેખ કરી તેના દ્વારા હેરાન કરાતા હોવાનો અને ઘરનાને જાનથી મારી નાખવાની વાતનો ઉલ્લેખ કરાયો છે. તેમજ આ સુસાઇડનોટમાં જમીન લેવાની ધમકીઓ મળી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વધુમાં આ સ્યુસાઈડ નોટમાં મૃતક હિતેશભાઈએ પોતાના મોટા પુત્ર હર્ષને ડોક્ટર બનવાની ઈચ્છા સાથે નાના ભાઈ હિતનું ધ્યાન રાખવા કહી પત્ની નયનાને સંબોધન કરીને પોતાની LIC ની પોલિસીઓ અને લોન ભરવાની ભલામણ કરી છે. હિતેશભાઈએ પોતાના ઘરે ગતરાત્રે 9 વાગ્યા આસપાસ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધાની ઘટના બનતા પતિ-પત્ની અને બે બાળકો મળી ચાર સભ્યોનો માળો વિખાયો છે.