મજૂરી કામ તથા સામાન્ય નોકરી કરતા આર્થિક જરૂરીયાતમંદ વ્યક્તિઓના દસ્તાવેજી પુરાવાઓ મેળવીને ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં જી.એસ.ટી નોંધણી નંબર મેળવતા
નાસતા ફરતા મુખ્યસુત્રધારને પોરબંદરના ગામમાંથી વહેલી સવારે પકડી પાડવામાં આવ્યો
જુનાગઢ. સ્ટેટ જી.એસ.ટી.ની ઇન્ટેલીજન્સ ટીમ દ્વારા જુનાગઢના બાલુભાઇ મશરૂમની 19 સપ્ટેમ્બર ના રોજ ધરપકડ કરી હતી. ત્યાર બાદ વધુ તપાસ કરતા જુનાગઢના પ્રવીણ તન્નાનું નામ બહાર આવ્યું હતું. નાસતા-ફરતા પ્રવીણ તન્નાની ધરપકડ કરી જી.એસ.ટી ડિપાર્ટમેન્ટને રૂ. 304 કરોડના બોગસ બીલ બનાવી રૂ. 15.21 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી.
જી.એસ.ટી વિભાગ દ્વારા કરચોરી ડામવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહ્યું છે. જેમાં તાજેતરમાં વિભાગના કર્મીઓ દ્વારા જુનાગઢ, માણાવદર, કેશોદ, ધોરાજી, માંગરોળ સહિતના સ્થળો પર સીંગદાણાના વેપાર સાથે સંકળાયેલી 35 જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાત બહાર આવી હતી કે, સંજય બાબુભાઇ મશરૂ અને પ્રવીણ ભગવાનજી તન્ના દ્વારા મજૂરી કામ તથા સામાન્ય નોકરી કરતા આર્થિક જરૂરીયાતમંદ વ્યક્તિઓના દસ્તાવેજી પુરાવાઓ મેળવીને ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં જી.એસ.ટી નોંધણી નંબર મેળવતા હતા. ગુજરાત ખાતે 8 જી.એસ.ટી નંબર મેળવવામાં આવ્યા હતા. તેના આધારે અન્ય વેપારીઓના નામે માલ રવાના કરવા માટે ઇ વે બીલ જનરેટ કરીને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતા હતા. આ રીતે કુલ રૂ. 304 કરોડના બોહસ બીલ બનાવીને રૂ. 15021 કરોડની જી.એસ.ટી ચોરી કરી હતી. જેમાં જુનાગઢના સંજય બાલુભાઇ મશરૂમની ધરપકડ કરવામાં આવી હતી. અને કાૈભાંડમાં મહત્વની ભુમીકા ભજવતો બીજો આરોપી નાસતો ફરતો હતો.
સ્ટેટ જી.એસ.ટી.ના ઇન્ટેલીજન્સ ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા માટે ટ્રેસીંગ ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર પાસે છુપાયેલા પ્રવીણ ભગવાનજી તન્નાની વહેલી સવારે શોધી કાઢ્યો હતો. બોગલ બીલીંગમાં અત્યાર સુધી 50 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને બેનીફીશીયર પાસેથી રૂ. 248 કરોડની વસુલાત થઇ ચુકી છે.
- મજૂરી કામ તથા સામાન્ય નોકરી કરતા આર્થિક જરૂરીયાતમંદ વ્યક્તિઓના દસ્તાવેજી પુરાવાઓ મેળવીને ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં જી.એસ.ટી નોંધણી નંબર મેળવતા
- નાસતા ફરતા મુખ્યસુત્રધારને પોરબંદરના ગામમાંથી વહેલી સવારે પકડી પાડવામાં આવ્યો
જુનાગઢ. સ્ટેટ જી.એસ.ટી.ની ઇન્ટેલીજન્સ ટીમ દ્વારા જુનાગઢના બાલુભાઇ મશરૂમની 19 સપ્ટેમ્બર ના રોજ ધરપકડ કરી હતી. ત્યાર બાદ વધુ તપાસ કરતા જુનાગઢના પ્રવીણ તન્નાનું નામ બહાર આવ્યું હતું. નાસતા-ફરતા પ્રવીણ તન્નાની ધરપકડ કરી જી.એસ.ટી ડિપાર્ટમેન્ટને રૂ. 304 કરોડના બોગસ બીલ બનાવી રૂ. 15.21 કરોડની કરચોરી પકડી પાડવામાં આવી હતી.
જી.એસ.ટી વિભાગ દ્વારા કરચોરી ડામવા માટે સઘન કામગીરી કરવામાં આવી રહ્યું છે. જેમાં તાજેતરમાં વિભાગના કર્મીઓ દ્વારા જુનાગઢ, માણાવદર, કેશોદ, ધોરાજી, માંગરોળ સહિતના સ્થળો પર સીંગદાણાના વેપાર સાથે સંકળાયેલી 35 જગ્યાઓ પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વાત બહાર આવી હતી કે, સંજય બાબુભાઇ મશરૂ અને પ્રવીણ ભગવાનજી તન્ના દ્વારા મજૂરી કામ તથા સામાન્ય નોકરી કરતા આર્થિક જરૂરીયાતમંદ વ્યક્તિઓના દસ્તાવેજી પુરાવાઓ મેળવીને ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યોમાં જી.એસ.ટી નોંધણી નંબર મેળવતા હતા. ગુજરાત ખાતે 8 જી.એસ.ટી નંબર મેળવવામાં આવ્યા હતા. તેના આધારે અન્ય વેપારીઓના નામે માલ રવાના કરવા માટે ઇ વે બીલ જનરેટ કરીને અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતા હતા. આ રીતે કુલ રૂ. 304 કરોડના બોહસ બીલ બનાવીને રૂ. 15021 કરોડની જી.એસ.ટી ચોરી કરી હતી. જેમાં જુનાગઢના સંજય બાલુભાઇ મશરૂમની ધરપકડ કરવામાં આવી હતી. અને કાૈભાંડમાં મહત્વની ભુમીકા ભજવતો બીજો આરોપી નાસતો ફરતો હતો.
સ્ટેટ જી.એસ.ટી.ના ઇન્ટેલીજન્સ ટીમ દ્વારા નાસતા ફરતા આરોપીને પકડવા માટે ટ્રેસીંગ ચાલુ કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદર પાસે છુપાયેલા પ્રવીણ ભગવાનજી તન્નાની વહેલી સવારે શોધી કાઢ્યો હતો. બોગલ બીલીંગમાં અત્યાર સુધી 50 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. અને બેનીફીશીયર પાસેથી રૂ. 248 કરોડની વસુલાત થઇ ચુકી છે.