ગીર સોમનાથ. કોડીનારમાં શિવા સોલંકીના પુત્રએ આર્મીમેન મિત્રની રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. શિવા સોલંકી જૂનાગઢના પૂર્વ સાંસદ દીનું સોલંકીના ભત્રીજા અને કોડિનાર ન.પા.નાં પૂર્વ પ્રમુખ હોવાની સાથે અમિત જેઠવા હત્યા કેસના આરોપી પણ છે. તેમના 22 વર્ષીય પુત્ર મિતરાજે આ પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ કોડીનાર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, મિતરાજે સોમવારે બપોરે પોતાના નિવાસસ્થાને લમણે ગોળી મારીને અચાનક જીવનનો અંત આણ્યો હતો. ઘટનાને પગલે પહોંચેલી પોલીસની પ્રાથમિક તપાસમાં રિવોલ્વર મિતરાજનાં આર્મીમાં ફરજ બજાવતા મિત્રની હોવાનું સામે આવ્યું છે. જો કે ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ કે અન્ય કોઈ લખાણ મળ્યું ન હોવાથી આપઘાતનું કારણ સ્પષ્ટ થયું નથી. મોટા ગજાના નેતાના પુત્રનાં આપઘાત બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હાલ કોડીનાર પોલીસ સ્ટેશનની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, મિતરાજે લમણે ગોળી મારતા આરપાર નિકળી જતા તેનું મોત નીપજ્યું હતું. જો કે તેણે ભરેલા પગલાને લઈને પરિવારજનો પણ સ્તબ્ધ બની ગયા છે. સાથે જ તેણે આવું શા માટે કર્યું તે અંગે સંપૂર્ણ અજાણ હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે મિસફાયર થયાની એક શક્યતા છે. અને આ માટે જ મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સત્ય સ્પષ્ટ થઈ જશે. જો કે જે રીતે લમણે ગોળી વાગી છે તેને જોતા મિસ ફાયરની સંભાવના ઘણી ઓછી છે.
ગીર સોમનાથ. કોડીનારમાં શિવા સોલંકીના પુત્રએ આર્મીમેન મિત્રની રિવોલ્વરથી પોતાના લમણે ગોળી મારી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. શિવા સોલંકી જૂનાગઢના પૂર્વ સાંસદ દીનું સોલંકીના ભત્રીજા અને કોડિનાર ન.પા.નાં પૂર્વ પ્રમુખ હોવાની સાથે અમિત જેઠવા હત્યા કેસના આરોપી પણ છે. તેમના 22 વર્ષીય પુત્ર મિતરાજે આ પગલું ભરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં જ કોડીનાર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ, મિતરાજે સોમવારે બપોરે પોતાના નિવાસસ્થાને લમણે ગોળી મારીને અચાનક જીવનનો અંત આણ્યો હતો. ઘટનાને પગલે પહોંચેલી પોલીસની પ્રાથમિક તપાસમાં રિવોલ્વર મિતરાજનાં આર્મીમાં ફરજ બજાવતા મિત્રની હોવાનું સામે આવ્યું છે. જો કે ઘટનાસ્થળેથી સ્યુસાઈડ નોટ કે અન્ય કોઈ લખાણ મળ્યું ન હોવાથી આપઘાતનું કારણ સ્પષ્ટ થયું નથી. મોટા ગજાના નેતાના પુત્રનાં આપઘાત બાદ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. હાલ કોડીનાર પોલીસ સ્ટેશનની ટીમે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસનાં જણાવ્યા મુજબ, મિતરાજે લમણે ગોળી મારતા આરપાર નિકળી જતા તેનું મોત નીપજ્યું હતું. જો કે તેણે ભરેલા પગલાને લઈને પરિવારજનો પણ સ્તબ્ધ બની ગયા છે. સાથે જ તેણે આવું શા માટે કર્યું તે અંગે સંપૂર્ણ અજાણ હોવાનું જણાવી રહ્યા છે. ત્યારે મિસફાયર થયાની એક શક્યતા છે. અને આ માટે જ મૃતદેહને ફોરેન્સીક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ સત્ય સ્પષ્ટ થઈ જશે. જો કે જે રીતે લમણે ગોળી વાગી છે તેને જોતા મિસ ફાયરની સંભાવના ઘણી ઓછી છે.