કાફલાને ગ્રીન કોનવે દ્વારા તેમને હોસ્પિટલથી એરપોર્ટ પહોંચાડવામાં આવશે
સાંસદ અભય ભારદ્વાજની તબિયત સુધારા પર તો છે. પરંતુ બિલકુલ સ્વસ્થ થઈ ન હોવાને કારણે હવે તેમને ચેન્નાઇ લઈ જવાનો નિર્ણય ડોક્ટરો દ્વારા કરાયો
સાંસદને ફેંફસાની તકલીફ હોવાથી તેને તાત્કાલિક ચેન્નાઈ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો
રાજકોટ : ગુજરાતનાં અગ્રણી ધારાશાસ્ત્રી અને સાંસદ અભયભાઈ ભારદ્વાજને આજે ચાર્ટર પ્લેનમાં ચેન્નાઈ લઈ જવામાં આવશે. જ્યાં તેમની સાથે મુંબઈના ડોક્ટર ઓઝા સહિત ત્રણ ડોક્ટરો પણ હાજર રહેશે. તેમજ પુત્ર અંશ અને અભયભાઈનાં ભાઈ નીતિન ભારદ્વાજ પણ ચેન્નાઈ જશે. ફેંફસાનાં સ્પેશિયાલિસ્ટ ડો. બાલકૃષ્ણન ચેન્નાઈમાં અભય ભારદ્વાજની સારવાર કરશે. હાલ આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ગ્રીન કોનવે દ્વારા તેમને હોસ્પિટલથી એરપોર્ટ પહોંચાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને એક વાગ્યે સ્પેશિયલ ફ્લાઈટમાં અભય ભારદ્વાજને ચેન્નાઇ લઈ જવામાં આવનાર છે. જેને પગલે હાલ દિગ્ગજ નેતાઓનો જમાવડો હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પૂર્વે અભય ભારદ્વાજ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને સિવિલ કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં અમદાવાદનાં નિષ્ણાંત તબીબોએ તેનું ચેકીંગ કર્યું હતું. બાદમાં તેમને ફેફસાની તકલીફ હોવાનું સામે આવતા સુરતનાં તબીબ પણ અહીં આવ્યા હતા. અને લગભગ 15 દિવસથી ઈકમો પદ્ધતિ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી હતી. અને આ સારવાર બાદ તેમની સ્થિતિમાં થોડો સુધારો થયો હોવાનું પણ ડોક્ટરોએ જણાવ્યું હતું.
આ અંગે સ્થાનિક ભાજપ અગ્રણી અને અભયભાઈ નાં ભાઈ નીતિન ભારદ્વાજે આ અંગે જણાવ્યું હતું કે, હાલ અભય ભારદ્વાજની તબિયત સુધારા પર તો છે. પરંતુ બિલકુલ સ્વસ્થ થઈ ન હોવાને કારણે હવે તેમને ચેન્નાઇ લઈ જવાનો નિર્ણય ડોક્ટરો દ્વારા કરાયો છે. ચેન્નાઇનાં ડોક્ટર બાલકૃષ્ણન ફેફસા માટે દેશના સુપર સ્પેશિયાલિસ્ટ ગણાય છે. તેમણે સુરતનાં 90% ડેમેજ ફેફસાંવાળા કોરોના દર્દીની ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાની સફળ સારવાર પણ કરી છે. હાલ અભય ભારદ્વાજને પણ ફેંફસાની તકલીફ હોવાથી તેને તાત્કાલિક ચેન્નાઈ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજીતરફ શહેરમાં કોરોનાનો કહેર ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓ કોરોનાનો કોળિયો બની ગયા છે. પરંતુ ગઈકાલે થયેલા 8 મોત પૈકી સરકારી ડેથ ઓડિટ કમિટી દ્વારા માત્ર એક મોત કોરોનાથી થયું હોવાનું જણાવ્યું છે. છેલ્લા બે દિવસથી પોઝીટીવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થતા લોકો સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
- કાફલાને ગ્રીન કોનવે દ્વારા તેમને હોસ્પિટલથી એરપોર્ટ પહોંચાડવામાં આવશે
- સાંસદ અભય ભારદ્વાજની તબિયત સુધારા પર તો છે. પરંતુ બિલકુલ સ્વસ્થ થઈ ન હોવાને કારણે હવે તેમને ચેન્નાઇ લઈ જવાનો નિર્ણય ડોક્ટરો દ્વારા કરાયો
- સાંસદને ફેંફસાની તકલીફ હોવાથી તેને તાત્કાલિક ચેન્નાઈ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો
રાજકોટ : ગુજરાતનાં અગ્રણી ધારાશાસ્ત્રી અને સાંસદ અભયભાઈ ભારદ્વાજને આજે ચાર્ટર પ્લેનમાં ચેન્નાઈ લઈ જવામાં આવશે. જ્યાં તેમની સાથે મુંબઈના ડોક્ટર ઓઝા સહિત ત્રણ ડોક્ટરો પણ હાજર રહેશે. તેમજ પુત્ર અંશ અને અભયભાઈનાં ભાઈ નીતિન ભારદ્વાજ પણ ચેન્નાઈ જશે. ફેંફસાનાં સ્પેશિયાલિસ્ટ ડો. બાલકૃષ્ણન ચેન્નાઈમાં અભય ભારદ્વાજની સારવાર કરશે. હાલ આ માટેની તૈયારીઓ ચાલી રહી છે. જે અંતર્ગત ગ્રીન કોનવે દ્વારા તેમને હોસ્પિટલથી એરપોર્ટ પહોંચાડવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. અને એક વાગ્યે સ્પેશિયલ ફ્લાઈટમાં અભય ભારદ્વાજને ચેન્નાઇ લઈ જવામાં આવનાર છે. જેને પગલે હાલ દિગ્ગજ નેતાઓનો જમાવડો હોસ્પિટલ ખાતે જોવા મળી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એકાદ મહિના પૂર્વે અભય ભારદ્વાજ નો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને સિવિલ કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં અમદાવાદનાં નિષ્ણાંત તબીબોએ તેનું ચેકીંગ કર્યું હતું. બાદમાં તેમને ફેફસાની તકલીફ હોવાનું સામે આવતા સુરતનાં તબીબ પણ અહીં આવ્યા હતા. અને લગભગ 15 દિવસથી ઈકમો પદ્ધતિ દ્વારા તેમની સારવાર કરવામાં આવી રહી હતી. અને આ સારવાર બાદ તેમની સ્થિતિમાં થોડો સુધારો થયો હોવાનું પણ ડોક્ટરોએ જણાવ્યું હતું.
આ અંગે સ્થાનિક ભાજપ અગ્રણી અને અભયભાઈ નાં ભાઈ નીતિન ભારદ્વાજે આ અંગે જણાવ્યું હતું કે, હાલ અભય ભારદ્વાજની તબિયત સુધારા પર તો છે. પરંતુ બિલકુલ સ્વસ્થ થઈ ન હોવાને કારણે હવે તેમને ચેન્નાઇ લઈ જવાનો નિર્ણય ડોક્ટરો દ્વારા કરાયો છે. ચેન્નાઇનાં ડોક્ટર બાલકૃષ્ણન ફેફસા માટે દેશના સુપર સ્પેશિયાલિસ્ટ ગણાય છે. તેમણે સુરતનાં 90% ડેમેજ ફેફસાંવાળા કોરોના દર્દીની ફેફસા ટ્રાન્સપ્લાન્ટ કરવાની સફળ સારવાર પણ કરી છે. હાલ અભય ભારદ્વાજને પણ ફેંફસાની તકલીફ હોવાથી તેને તાત્કાલિક ચેન્નાઈ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજીતરફ શહેરમાં કોરોનાનો કહેર ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે. જોકે છેલ્લા 24 કલાકમાં વધુ 10 દર્દીઓ કોરોનાનો કોળિયો બની ગયા છે. પરંતુ ગઈકાલે થયેલા 8 મોત પૈકી સરકારી ડેથ ઓડિટ કમિટી દ્વારા માત્ર એક મોત કોરોનાથી થયું હોવાનું જણાવ્યું છે. છેલ્લા બે દિવસથી પોઝીટીવ કેસની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થતા લોકો સહિત તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.