મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે એક પ્રશંસનીય નિર્ણય દર શુક્રવારે અધિકારીઓ અને કર્મચારીઓ સાઇકલ લઈને ઓફિસ આવવાની અપીલ
કોઈની પાસે સાઇકલ ન હોય તો તેઓ ઓફિસ આવવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકે
બીઆરટીએસ સાઇકલ ટ્રેકને ફરી જીવંત બનાવવામાં આવશે - ઉદિત અગ્રવાલ
રાજકોટ : કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય માટે સાઇકલ ચલાવતા થયા છે. ત્યારે હાલમાં મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે એક પ્રશંસનીય નિર્ણય કર્યો હતો. અને દર શુક્રવારે અધિકારીઓ અને કર્મચારીઓ સાઇકલ લઈને ઓફિસ આવવાની અપીલ કરી હતી. કોરોના કાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ પણ શારીરિક રીતે સ્વસ્થ રહે તે માટે આ જરૂરી હોવાનું પણ તેમણે કહ્યું હતું. ત્યારે આજે આ નિર્ણય અંતર્ગત ખુદ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ પણ સાઇકલ ચલાવીને ઓફિસે પહોંચ્યા હતા.
કમિશનરે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે દર શુક્રવારે તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાઇકલ લઈને જ ઓફિસ આવશે. જો કોઈની પાસે સાઇકલ ન હોય તો તેઓ ઓફિસ આવવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકે છે. અથવા તો નજીક રહેતા લોકો પગપાળા પર ઓફિસ આવી શકે છે. શુક્રવારના દિવસે તેઓ પોતાના કે સરકારે ફાળવેલા વાહનોનો ઓફિસ આવવા માટે ઉપયોગ કરી શકશે નહીં. આ અંગે એક પરિપત્ર પણ જાહેર કરાયો હતો. તેમના આ આદેશને અધિકારીઓ અને કર્મચારીઓએ વધાવી લીધો હતો. અને આજે મોટાભાગના બધા કર્મચારીઓ સાયકલ સહિતના માધ્યમોથી ઓફિસે પહોંચ્યા હતા.
બીજી તરફ કોર્પોરેશન તરફથી સાઇકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ માટે જ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના આશરે 11 કિલોમીટરના બીઆરટીએસ સાઇકલ ટ્રેકને ફરી જીવંત કરવા માટે મનપાએ તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત રેસકોર્સ રિંગ રોડ, કિસાનપરા ચોકથી કાલાવડ રોડ મોટામવા સુધી નવો સાઇકલ ટ્રેક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાઇકલ ટ્રેક એકદમ સુરક્ષિત રહે તે માટે કોર્પોરેશન તરફથી તમામ પગલાં લેવામાં આવશે.
આ મામલે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, બીઆરટીએસ સાઇકલ ટ્રેકને ફરી જીવંત બનાવવામાં આવશે. આ માટે તેના પર થયેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે. આ ઉપરાંત કાલાવડ રોડ પર નવો સાઇકલ ટ્રેક બને તે માટેની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત લોકોને ભાડેથી સાઇકલ મળી રહે તે માટે શેરિંગ પોઈન્ટ ઊભા કરી શકાશે. આ પોઈન્ટ પર નવી સાઇકલો પણ મૂકવામાં આવશે. સાથે જ મ્યુનિસિપલ કમિશનરે નોકરિયાત અને ધંધાદારી લોકોને પણ સાઇકલનો ઉપયોગ વધારવા માટે અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આવું કરવાથી સ્વાસ્થ્ય સારું રહેવાની સાથે સાથે ટ્રાફિકની અને પ્રદૂષણની સમસ્યા પણ મહદઅંશે હલ થશે.
- મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે એક પ્રશંસનીય નિર્ણય દર શુક્રવારે અધિકારીઓ અને કર્મચારીઓ સાઇકલ લઈને ઓફિસ આવવાની અપીલ
- કોઈની પાસે સાઇકલ ન હોય તો તેઓ ઓફિસ આવવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકે
- બીઆરટીએસ સાઇકલ ટ્રેકને ફરી જીવંત બનાવવામાં આવશે - ઉદિત અગ્રવાલ
રાજકોટ : કોરોના બાદ લોકો સ્વાસ્થ્ય માટે સાઇકલ ચલાવતા થયા છે. ત્યારે હાલમાં મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલે એક પ્રશંસનીય નિર્ણય કર્યો હતો. અને દર શુક્રવારે અધિકારીઓ અને કર્મચારીઓ સાઇકલ લઈને ઓફિસ આવવાની અપીલ કરી હતી. કોરોના કાળમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ અને અધિકારીઓ પણ શારીરિક રીતે સ્વસ્થ રહે તે માટે આ જરૂરી હોવાનું પણ તેમણે કહ્યું હતું. ત્યારે આજે આ નિર્ણય અંતર્ગત ખુદ મ્યુ. કમિશ્નર ઉદિત અગ્રવાલ પણ સાઇકલ ચલાવીને ઓફિસે પહોંચ્યા હતા.
કમિશનરે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જે પ્રમાણે દર શુક્રવારે તમામ કર્મચારીઓ અને અધિકારીઓ સાઇકલ લઈને જ ઓફિસ આવશે. જો કોઈની પાસે સાઇકલ ન હોય તો તેઓ ઓફિસ આવવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરી શકે છે. અથવા તો નજીક રહેતા લોકો પગપાળા પર ઓફિસ આવી શકે છે. શુક્રવારના દિવસે તેઓ પોતાના કે સરકારે ફાળવેલા વાહનોનો ઓફિસ આવવા માટે ઉપયોગ કરી શકશે નહીં. આ અંગે એક પરિપત્ર પણ જાહેર કરાયો હતો. તેમના આ આદેશને અધિકારીઓ અને કર્મચારીઓએ વધાવી લીધો હતો. અને આજે મોટાભાગના બધા કર્મચારીઓ સાયકલ સહિતના માધ્યમોથી ઓફિસે પહોંચ્યા હતા.
બીજી તરફ કોર્પોરેશન તરફથી સાઇકલના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ માટે જ માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી સુધીના આશરે 11 કિલોમીટરના બીઆરટીએસ સાઇકલ ટ્રેકને ફરી જીવંત કરવા માટે મનપાએ તૈયારી શરૂ કરી છે. આ ઉપરાંત રેસકોર્સ રિંગ રોડ, કિસાનપરા ચોકથી કાલાવડ રોડ મોટામવા સુધી નવો સાઇકલ ટ્રેક બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાઇકલ ટ્રેક એકદમ સુરક્ષિત રહે તે માટે કોર્પોરેશન તરફથી તમામ પગલાં લેવામાં આવશે.
આ મામલે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, બીઆરટીએસ સાઇકલ ટ્રેકને ફરી જીવંત બનાવવામાં આવશે. આ માટે તેના પર થયેલા તમામ દબાણો દૂર કરવામાં આવશે. આ ઉપરાંત કાલાવડ રોડ પર નવો સાઇકલ ટ્રેક બને તે માટેની કામગીરી શરૂ કરી છે. આ ઉપરાંત લોકોને ભાડેથી સાઇકલ મળી રહે તે માટે શેરિંગ પોઈન્ટ ઊભા કરી શકાશે. આ પોઈન્ટ પર નવી સાઇકલો પણ મૂકવામાં આવશે. સાથે જ મ્યુનિસિપલ કમિશનરે નોકરિયાત અને ધંધાદારી લોકોને પણ સાઇકલનો ઉપયોગ વધારવા માટે અપીલ કરી છે. તેમનું કહેવું છે કે આવું કરવાથી સ્વાસ્થ્ય સારું રહેવાની સાથે સાથે ટ્રાફિકની અને પ્રદૂષણની સમસ્યા પણ મહદઅંશે હલ થશે.