કોંગ્રેસ દ્વારા 'આ દવાખાનું નહીં પણ કતલખાનું છે' નાં બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો
હોસ્પિટલનાં નામ પાસે કતાલખાનું હોવાનું બેનર લગાવ્યું
કલેક્ટરનાં આદેશથી પ્રાંત અધિકારીની દેખરેખમાં તમામ બાબતોની તપાસ ચાલુ
રાજકોટ : શહેરની ઓરેન્જ કોવિડ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વારંવાર વિવાદમાં આવી રહી છે. જેને લઈને આજરોજ કોંગ્રેસ દ્વારા 'આ દવાખાનું નહીં પણ કતલખાનું છે' નાં બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા સહિતના ઉપરોક્ત લખાણ લખેલા બેનર સાથે જ હોસ્પિટલનાં બોર્ડ પાસે બેસી ગયા હતા. તેમજ આ હોસ્પિટલનાં નામ પાસે કતાલખાનું હોવાનું બેનર પણ લગાવ્યું હતું. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે.
આ અંગે જણાવતા કોંગી અગ્રણી રણજિત મુંધવાએ કહ્યું હતું કે, આ હોસ્પિટલમાં દર્દીઓ સાથે રીતસરની લૂંટ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં એક દર્દી સાથે પેકેજ નક્કી કર્યા બાદ ડિસ્ચાર્જ કરવાનાં રૂપિયા 1.15 લાખ વધારે માંગવામાં આવ્યા હતા. એટલું જ નહીં બે દિવસ પહેલા મૃત દર્દી માટે રૂ. 40 હજારનું ઈન્જેકશન પણ આ હોસ્પિટલનાં સત્તાધીશો દ્વારા મંગાવ્યાનું સામે આવ્યું હતું. ત્યારે હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવાને બદલે તંત્ર દ્વારા તપાસનું ગાણું ગવાઈ રહ્યું છે. ત્યારે હોસ્પિટલનાં નામે ચાલતા કતલખાના ત્વરિત બંધ થવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ઓરેન્જ કોવિડ હોસ્પિટલ સામે જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ, દર્દી પાસેથી વધુ રૂપિયા વસૂલવા તેમજ દર્દીનાં મોત બાદ ઈન્જેકશન મંગાવ્યાનાં આરોપો લાગી ચુક્યા છે. જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા આ તમામ આરોપો ખોટા હોવાનું જણાવાયું છે. જેને લઈને કલેક્ટરનાં આદેશથી પ્રાંત અધિકારીની દેખરેખમાં તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ તપાસ પૂર્ણ થયા બાદ જ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવી કે નહીં તે નક્કી કરવામાં આવશે.
- કોંગ્રેસ દ્વારા 'આ દવાખાનું નહીં પણ કતલખાનું છે' નાં બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો
- હોસ્પિટલનાં નામ પાસે કતાલખાનું હોવાનું બેનર લગાવ્યું
- કલેક્ટરનાં આદેશથી પ્રાંત અધિકારીની દેખરેખમાં તમામ બાબતોની તપાસ ચાલુ
રાજકોટ : શહેરની ઓરેન્જ કોવિડ હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી વારંવાર વિવાદમાં આવી રહી છે. જેને લઈને આજરોજ કોંગ્રેસ દ્વારા 'આ દવાખાનું નહીં પણ કતલખાનું છે' નાં બેનર સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ અગ્રણી રણજીત મુંધવા સહિતના ઉપરોક્ત લખાણ લખેલા બેનર સાથે જ હોસ્પિટલનાં બોર્ડ પાસે બેસી ગયા હતા. તેમજ આ હોસ્પિટલનાં નામ પાસે કતાલખાનું હોવાનું બેનર પણ લગાવ્યું હતું. જો કે ઘટનાની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી. અને વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે.
આ અંગે જણાવતા કોંગી અગ્રણી રણજિત મુંધવાએ કહ્યું હતું કે, આ હોસ્પિટલમાં દર્દીઓ સાથે રીતસરની લૂંટ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં એક દર્દી સાથે પેકેજ નક્કી કર્યા બાદ ડિસ્ચાર્જ કરવાનાં રૂપિયા 1.15 લાખ વધારે માંગવામાં આવ્યા હતા. એટલું જ નહીં બે દિવસ પહેલા મૃત દર્દી માટે રૂ. 40 હજારનું ઈન્જેકશન પણ આ હોસ્પિટલનાં સત્તાધીશો દ્વારા મંગાવ્યાનું સામે આવ્યું હતું. ત્યારે હોસ્પિટલ પર કડક કાર્યવાહી કરવાને બદલે તંત્ર દ્વારા તપાસનું ગાણું ગવાઈ રહ્યું છે. ત્યારે હોસ્પિટલનાં નામે ચાલતા કતલખાના ત્વરિત બંધ થવા જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ઓરેન્જ કોવિડ હોસ્પિટલ સામે જાહેરમાં મેડિકલ વેસ્ટનો નિકાલ, દર્દી પાસેથી વધુ રૂપિયા વસૂલવા તેમજ દર્દીનાં મોત બાદ ઈન્જેકશન મંગાવ્યાનાં આરોપો લાગી ચુક્યા છે. જોકે હોસ્પિટલ તંત્ર દ્વારા આ તમામ આરોપો ખોટા હોવાનું જણાવાયું છે. જેને લઈને કલેક્ટરનાં આદેશથી પ્રાંત અધિકારીની દેખરેખમાં તમામ બાબતોની તપાસ કરવામાં આવી રહી છે. ત્યારે આ તપાસ પૂર્ણ થયા બાદ જ હોસ્પિટલ સામે કાર્યવાહી કરવી કે નહીં તે નક્કી કરવામાં આવશે.