45 વર્ષથી ડામર રોડની સુવિધાથી વંચિત લોકોએ પોતાની રીતે રોડ બનાવવા જાતે પાવડો અને ત્રિકમ ઉઠાવી રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યુ
અત્યાર સુધી માત્ર ત્રણ-ચાર વખત મેટલિંગ કરાયું છે. ત્યારે હવે આ વિસ્તારમાં લોકોની વસ્તી ઘણી વધી ગઈ હોવાથી ડામર રોડ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ
ડામર રોડ કરવામાં નહીં આવે તો સ્થાનિકો પોતાની રીતે અહીં રસ્તાનું કામ શરૂ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે
રાજકોટ : શહેરનાં મોરબી રોડ પરનાં વેલનાથપરામાં સ્થાનિકોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. 45 વર્ષથી ડામર રોડની સુવિધાથી વંચિત લોકોએ પોતાની રીતે રોડ બનાવવા જાતે પાવડો અને ત્રિકમ ઉઠાવ્યા છે. અને રસ્તો બનાવવાનું કામ શરૂ કરી અનોખો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ તંત્ર દ્વારા વારંવાર માત્ર મેટલિંગ કરવામાં આવતું હોવાનું જણાવી ડામર રોડ કરવાની માંગ મિડિયાનાં માધ્યમથી આ વિસ્તારનાં લોકો દ્વારા કરવામાં આવી છે.
https://youtu.be/fXQp5dcgw3Q
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડ-રસ્તા ન હોવાને કારણે અહીં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ચોમાસાનાં સમયમાં તો અવરજવર કરવાનું લગભગ અશક્ય બની જતું હોય છે. આ અંગે તંત્રને અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. ત્યારે હવે છેક તંત્ર દ્વારા રૂપિયા 95 લાખનાં ખર્ચે મેટલિંગ કામ મંજુર કરાયું છે.
જો કે છેલ્લા 45 થી 50 વર્ષમાં માત્ર ત્રણ-ચાર વખત મેટલિંગ કરાયું છે. ત્યારે હવે આ વિસ્તારમાં લોકોની વસ્તી ઘણી વધી ગઈ હોવાથી ડામર રોડ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ નેતાઓ મત લેવા સમયે મોટા વાયદાઓ કરીને આ વિસ્તારને ભૂલી જાય છે. ત્યારે હવે જો તંત્ર દ્વારા ડામર રોડ કરવામાં નહીં આવે તો સ્થાનિકો પોતાની રીતે અહીં રસ્તાનું કામ શરૂ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે.
- 45 વર્ષથી ડામર રોડની સુવિધાથી વંચિત લોકોએ પોતાની રીતે રોડ બનાવવા જાતે પાવડો અને ત્રિકમ ઉઠાવી રસ્તો બનાવવાનું કામ શરૂ કર્યુ
- અત્યાર સુધી માત્ર ત્રણ-ચાર વખત મેટલિંગ કરાયું છે. ત્યારે હવે આ વિસ્તારમાં લોકોની વસ્તી ઘણી વધી ગઈ હોવાથી ડામર રોડ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ
- ડામર રોડ કરવામાં નહીં આવે તો સ્થાનિકો પોતાની રીતે અહીં રસ્તાનું કામ શરૂ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે
રાજકોટ : શહેરનાં મોરબી રોડ પરનાં વેલનાથપરામાં સ્થાનિકોએ આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો. 45 વર્ષથી ડામર રોડની સુવિધાથી વંચિત લોકોએ પોતાની રીતે રોડ બનાવવા જાતે પાવડો અને ત્રિકમ ઉઠાવ્યા છે. અને રસ્તો બનાવવાનું કામ શરૂ કરી અનોખો વિરોધ નોંધાવ્યો છે. સાથે જ તંત્ર દ્વારા વારંવાર માત્ર મેટલિંગ કરવામાં આવતું હોવાનું જણાવી ડામર રોડ કરવાની માંગ મિડિયાનાં માધ્યમથી આ વિસ્તારનાં લોકો દ્વારા કરવામાં આવી છે.
આ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, રોડ-રસ્તા ન હોવાને કારણે અહીં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અને ચોમાસાનાં સમયમાં તો અવરજવર કરવાનું લગભગ અશક્ય બની જતું હોય છે. આ અંગે તંત્રને અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે. ત્યારે હવે છેક તંત્ર દ્વારા રૂપિયા 95 લાખનાં ખર્ચે મેટલિંગ કામ મંજુર કરાયું છે.
જો કે છેલ્લા 45 થી 50 વર્ષમાં માત્ર ત્રણ-ચાર વખત મેટલિંગ કરાયું છે. ત્યારે હવે આ વિસ્તારમાં લોકોની વસ્તી ઘણી વધી ગઈ હોવાથી ડામર રોડ બનાવવાની જરૂરિયાત ઉભી થઈ છે. પરંતુ નેતાઓ મત લેવા સમયે મોટા વાયદાઓ કરીને આ વિસ્તારને ભૂલી જાય છે. ત્યારે હવે જો તંત્ર દ્વારા ડામર રોડ કરવામાં નહીં આવે તો સ્થાનિકો પોતાની રીતે અહીં રસ્તાનું કામ શરૂ કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કરશે.