કોઈપણ ભોગે જીતવું એ રાજકોટ વાસીઓ ની આવડત છે
રાજકોટ સર્વમિત્ર સર્વ પ્રિય શહેર છે
શહેર ના સ્વાભિમાન ના છુપા અહંકાર ના ઘૂંટડા આ પ્રજાએ ખોબે ખોબે પીધા છે 'હાલ્યા રાખે ", અને "થઈ જાશે " આ રાજકોટ વાસી ઓ ના હાથ વગા ."જીવન સૂત્રો "છે
કોરોના આપણા અર્થ તંત્ર અને રોજગાર ધંધા છીનવી શકે...પણ કોન્ફિડેન્ટ નહીં, કોરોના એ એ પણ સમજવું પડશે કે રાજકોટ વાસીઓ ને ફિનિક્સ પંખી ની જેમ રાખ માંથી ફરી પાછા બેઠા થતા આવડે છે.
રાજકોટ રંગીલું શહેર છે આ ઉક્તિ જગ પ્રસિદ્ધ છે રંગીલા હોવાનો એક અર્થ રોમેન્ટિક થાય અને બૃહદ અર્થ જેમાં અનેક રંગ હોય એવો પણ થાય ,સૌરાષ્ટ્ર નું પાટનગર એવું રાજકોટ સદીઓ પૂર્વે તેના રાજવીઓ ની સૂઝ બુઝ શોર્ય અને સાહિત્ય પ્રીતિ માટે માટે મશહુર હતું .
ઇતિહાસ માં જરા "ફ્લેશબેક" માં જાઓ તો માલુમ પડશે વિભોજી અજોજી જાડેજા એ પોતાના મિત્ર રાજુ સંધિ ની મિત્રતા ને અખંડ રાખવા આ શહેર નું નામ રાજકોટ રાખ્યું હતું જેમ સિદ્ધરાજ જય સિંહે પોતાના માલધારી મિત્ર"અણહિલ"નેઅમર કરવા અણહિલપુર પાટણ ના નામ થી રાજધાની ની સ્થાપના કરેલી. આ રીતે રાજકોટ અને પાટણ આ બે શહેર મિત્રતા ના પર્યાય બન્યા કદાચ એટલેજ રાજકોટ આજે પણ સર્વ મિત્ર અને સર્વ પ્રિય શહેર છે
રાજકોટ આગંતુકો ને આદર સહિત પોખે છે સોંને પોતાની ક્ષમતા પ્રમાણે રોટલો અને ઓટલો આપે છે રાજકોટ કેટલાય દુકાળો માં પાણી વગર તરસ્યું રહ્યું ,ભૂખ્યું રહ્યું કેટલાય ધરતી કંપો માં ધણ ધણ્યું છે કોમી તોફાનો માં ઘાયલ પણ થયું. દુકાળો ના છાયા માં રાજકોટ માં પાણી ના અભાવે પ્રજાએ ઘણા દુઃખો સહન કર્યા આવી તો અનેક આપત્તિ ઓ રાજકોટ ઉપર આવી સમસ્યાઓ આવી . પણ રાજકોટ વાસીઓ ની ખુમારી તો જુવો સાહેબ. રાજકોટ વાસીઓ અડીખમ ઉભા રહ્યા, આજીનું પાણી પીનારો આજીવન આજીનો જ થઈ ને રહે છે. પોતાના શહેર ના સ્વાભિમાન ના છુપા અહંકાર ના ઘૂંટડા આ પ્રજાએ ખોબે ખોબે પીધા છે 'હાલ્યા રાખે ", અને "થઈ જાશે " આ રાજકોટ વાસી ઓ ના હાથ વગા ."જીવન સૂત્રો "છે.
ઓટોમોબાઇલ અને શિક્ષણ ક્ષેત્રે હબ , ટ્રેડ સેન્ટર બનનારું રાજકોટ આપત્તિ સામે હારવા જન્મેલું નથી જીતવું એ રાજકોટ વાસી ઓ ની ગળથુથી છે , તો વળી કોઈ પણ ભોગે જીતવું એ આ પ્રજાની આવડત છે રાજકોટ વાસી ઓ ની ચોઈસ હંમેશા આઉટ ઓફ બોક્સ જ રહી છે
દેશ ના મોભી નું રાજતીલક કરવાનું શ્રેય રાજકોટ વાસીઓ ઓએજ કર્યું છે એ બતાવે છે કે રાજકોટ વાસીઓ ને માણસ ઓળખતા આવડે છે કોરોના એ રંગીલા રાજકોટ ને સ્ટેચ્યું કહ્યું છે , લોકડાઉન માં પણ રાજકોટ વાસી ઓ કડક અને કાબિલે દાદ શિસ્ત નું અનુકરણ કર્યું છે અનલોક માં થોડી બેફિકેરાઈ વધી છે
પણ રાજકોટ વાસીઓ સભાન છે અલગ અલગ ગામ અને શહેરો માંથી આવી ને રાજકોટ ને રંગીલું શહેર બનાવ્યું છે કોરોના આપણા અર્થ તંત્ર અને રોજગાર ધંધા છીનવી શકે...પણ કોન્ફિડેન્ટ નહીં, કોરોના એ એ પણ સમજવું પડશે કે રાજકોટ વાસીઓ ને ફિનિક્સ પંખી ની જેમ રાખ માંથી ફરી પાછા બેઠા થતા આવડે છે.
ગમે તેવી ઓધોગિક મંદી ને ધોની ના હેલિકોપ્ટર શોટ ની જેમ સ્ટેડિયમ ની બહાર ફેંકતા આવડે છે, "સ્વાઇન ફલૂ "ના આવાજ મરણ તોલ ફટકા સામે રાજકોટ હિમ્મતભેર લડયું હતું...
રાજકોટ પર રાણીમા અને રૂડીમા ના આશીર્વાદ છે, રાજકોટ રણછોડ દાસજી મહારાજ નો પ્રસાદ છે રાજકોટ ને બાલાજી ના સિંદુર ઉપર ,સંકલ્પ સિદ્ધ ના શ્રીફળ ઉપર અને જાગનાથ તથા પંચ નાથ ની જળ ધારી ઉપર અતૂટ શ્રદ્ધા છે,કોઈપણ ક્ષેત્રે માં નંબર વન થવું એ રાજકોટ નો સહજ સ્વાભાવ છે... પણ દોસ્તો, હાલ કોરોના ચલક ચલાણું રમી રહ્યો છે તેની સામે આપણે સોં થોડા વધુ જવાબદાર બનીશું , સાવચેતી વર્તીશું તો કોરોના ને ઉભી પૂંછડીએ ભગાવી શકીશું , થોડોક સમય ...... મેળાવડા ,પાર્ટી ,એકત્ર થવા , બર્થ ડે પાર્ટી ને વિરામ આપીએ થોડો સમય હોટલો મા જવા અવર જવર ઓછી રાખીયે .
રાજકોટ ના તબીબો, આરોગ્ય કર્મીઓ , પોલીસ કર્મી ઓ ,સરકારી તંત્ર ફરજ ઉપરના સચિવ શ્રી ,કમિશનર શ્રી અધિકારી ઓ સહીત લોકો ની કાળજી માટે દોડતા સેવાભાવી પદાધિકારીઓ ,પત્રકારો ,ટી.વી.મીડીયા, અને સફાઈ કામદારો ના પરિવારો માટે આપણે થોડો સંયમ કેળવવા નો છે.
રાત્રી ની બાર કલાકે સૂરજ ઉગી જાયછે પણ સાડા અગિયાર કલાકે આપણી શ્રદ્ધા હાલક ડોલક થવાલાગે છે તો રાજકોટ વાસી ઓ હારવું એ આપણી ફિતરત નથી . અને કોરોના જો આપણ ને હરાવી જશે તો આપણા કપાળે કાયમી કલંક બેસશે સભાન બનીએ ,સાવચેત બનીએ અને આપણા રંગીલા રાજકોટ ને બચાવીએ આવનારી પેઢી આપણા સંયમ અને શિસ્ત પર ગર્વ લઈ શકે એવો વ્યવહાર કરીએ રાજકોટ જીતશેજ અને કાળ મુખો કોરોના ભૂંડા મોઢે હારશેજ, માસ્ક વગર ઘરની બહાર નીકળે એને "રાજકોટ ના સમ,'
કોઈપણ ભોગે જીતવું એ રાજકોટ વાસીઓ ની આવડત છે
રાજકોટ સર્વમિત્ર સર્વ પ્રિય શહેર છે
શહેર ના સ્વાભિમાન ના છુપા અહંકાર ના ઘૂંટડા આ પ્રજાએ ખોબે ખોબે પીધા છે 'હાલ્યા રાખે ", અને "થઈ જાશે " આ રાજકોટ વાસી ઓ ના હાથ વગા ."જીવન સૂત્રો "છે
કોરોના આપણા અર્થ તંત્ર અને રોજગાર ધંધા છીનવી શકે...પણ કોન્ફિડેન્ટ નહીં, કોરોના એ એ પણ સમજવું પડશે કે રાજકોટ વાસીઓ ને ફિનિક્સ પંખી ની જેમ રાખ માંથી ફરી પાછા બેઠા થતા આવડે છે.
રાજકોટ રંગીલું શહેર છે આ ઉક્તિ જગ પ્રસિદ્ધ છે રંગીલા હોવાનો એક અર્થ રોમેન્ટિક થાય અને બૃહદ અર્થ જેમાં અનેક રંગ હોય એવો પણ થાય ,સૌરાષ્ટ્ર નું પાટનગર એવું રાજકોટ સદીઓ પૂર્વે તેના રાજવીઓ ની સૂઝ બુઝ શોર્ય અને સાહિત્ય પ્રીતિ માટે માટે મશહુર હતું .
ઇતિહાસ માં જરા "ફ્લેશબેક" માં જાઓ તો માલુમ પડશે વિભોજી અજોજી જાડેજા એ પોતાના મિત્ર રાજુ સંધિ ની મિત્રતા ને અખંડ રાખવા આ શહેર નું નામ રાજકોટ રાખ્યું હતું જેમ સિદ્ધરાજ જય સિંહે પોતાના માલધારી મિત્ર"અણહિલ"નેઅમર કરવા અણહિલપુર પાટણ ના નામ થી રાજધાની ની સ્થાપના કરેલી. આ રીતે રાજકોટ અને પાટણ આ બે શહેર મિત્રતા ના પર્યાય બન્યા કદાચ એટલેજ રાજકોટ આજે પણ સર્વ મિત્ર અને સર્વ પ્રિય શહેર છે
રાજકોટ આગંતુકો ને આદર સહિત પોખે છે સોંને પોતાની ક્ષમતા પ્રમાણે રોટલો અને ઓટલો આપે છે રાજકોટ કેટલાય દુકાળો માં પાણી વગર તરસ્યું રહ્યું ,ભૂખ્યું રહ્યું કેટલાય ધરતી કંપો માં ધણ ધણ્યું છે કોમી તોફાનો માં ઘાયલ પણ થયું. દુકાળો ના છાયા માં રાજકોટ માં પાણી ના અભાવે પ્રજાએ ઘણા દુઃખો સહન કર્યા આવી તો અનેક આપત્તિ ઓ રાજકોટ ઉપર આવી સમસ્યાઓ આવી . પણ રાજકોટ વાસીઓ ની ખુમારી તો જુવો સાહેબ. રાજકોટ વાસીઓ અડીખમ ઉભા રહ્યા, આજીનું પાણી પીનારો આજીવન આજીનો જ થઈ ને રહે છે. પોતાના શહેર ના સ્વાભિમાન ના છુપા અહંકાર ના ઘૂંટડા આ પ્રજાએ ખોબે ખોબે પીધા છે 'હાલ્યા રાખે ", અને "થઈ જાશે " આ રાજકોટ વાસી ઓ ના હાથ વગા ."જીવન સૂત્રો "છે.
ઓટોમોબાઇલ અને શિક્ષણ ક્ષેત્રે હબ , ટ્રેડ સેન્ટર બનનારું રાજકોટ આપત્તિ સામે હારવા જન્મેલું નથી જીતવું એ રાજકોટ વાસી ઓ ની ગળથુથી છે , તો વળી કોઈ પણ ભોગે જીતવું એ આ પ્રજાની આવડત છે રાજકોટ વાસી ઓ ની ચોઈસ હંમેશા આઉટ ઓફ બોક્સ જ રહી છે
દેશ ના મોભી નું રાજતીલક કરવાનું શ્રેય રાજકોટ વાસીઓ ઓએજ કર્યું છે એ બતાવે છે કે રાજકોટ વાસીઓ ને માણસ ઓળખતા આવડે છે કોરોના એ રંગીલા રાજકોટ ને સ્ટેચ્યું કહ્યું છે , લોકડાઉન માં પણ રાજકોટ વાસી ઓ કડક અને કાબિલે દાદ શિસ્ત નું અનુકરણ કર્યું છે અનલોક માં થોડી બેફિકેરાઈ વધી છે
પણ રાજકોટ વાસીઓ સભાન છે અલગ અલગ ગામ અને શહેરો માંથી આવી ને રાજકોટ ને રંગીલું શહેર બનાવ્યું છે કોરોના આપણા અર્થ તંત્ર અને રોજગાર ધંધા છીનવી શકે...પણ કોન્ફિડેન્ટ નહીં, કોરોના એ એ પણ સમજવું પડશે કે રાજકોટ વાસીઓ ને ફિનિક્સ પંખી ની જેમ રાખ માંથી ફરી પાછા બેઠા થતા આવડે છે.
ગમે તેવી ઓધોગિક મંદી ને ધોની ના હેલિકોપ્ટર શોટ ની જેમ સ્ટેડિયમ ની બહાર ફેંકતા આવડે છે, "સ્વાઇન ફલૂ "ના આવાજ મરણ તોલ ફટકા સામે રાજકોટ હિમ્મતભેર લડયું હતું...
રાજકોટ પર રાણીમા અને રૂડીમા ના આશીર્વાદ છે, રાજકોટ રણછોડ દાસજી મહારાજ નો પ્રસાદ છે રાજકોટ ને બાલાજી ના સિંદુર ઉપર ,સંકલ્પ સિદ્ધ ના શ્રીફળ ઉપર અને જાગનાથ તથા પંચ નાથ ની જળ ધારી ઉપર અતૂટ શ્રદ્ધા છે,કોઈપણ ક્ષેત્રે માં નંબર વન થવું એ રાજકોટ નો સહજ સ્વાભાવ છે... પણ દોસ્તો, હાલ કોરોના ચલક ચલાણું રમી રહ્યો છે તેની સામે આપણે સોં થોડા વધુ જવાબદાર બનીશું , સાવચેતી વર્તીશું તો કોરોના ને ઉભી પૂંછડીએ ભગાવી શકીશું , થોડોક સમય ...... મેળાવડા ,પાર્ટી ,એકત્ર થવા , બર્થ ડે પાર્ટી ને વિરામ આપીએ થોડો સમય હોટલો મા જવા અવર જવર ઓછી રાખીયે .
રાજકોટ ના તબીબો, આરોગ્ય કર્મીઓ , પોલીસ કર્મી ઓ ,સરકારી તંત્ર ફરજ ઉપરના સચિવ શ્રી ,કમિશનર શ્રી અધિકારી ઓ સહીત લોકો ની કાળજી માટે દોડતા સેવાભાવી પદાધિકારીઓ ,પત્રકારો ,ટી.વી.મીડીયા, અને સફાઈ કામદારો ના પરિવારો માટે આપણે થોડો સંયમ કેળવવા નો છે.
રાત્રી ની બાર કલાકે સૂરજ ઉગી જાયછે પણ સાડા અગિયાર કલાકે આપણી શ્રદ્ધા હાલક ડોલક થવાલાગે છે તો રાજકોટ વાસી ઓ હારવું એ આપણી ફિતરત નથી . અને કોરોના જો આપણ ને હરાવી જશે તો આપણા કપાળે કાયમી કલંક બેસશે સભાન બનીએ ,સાવચેત બનીએ અને આપણા રંગીલા રાજકોટ ને બચાવીએ આવનારી પેઢી આપણા સંયમ અને શિસ્ત પર ગર્વ લઈ શકે એવો વ્યવહાર કરીએ રાજકોટ જીતશેજ અને કાળ મુખો કોરોના ભૂંડા મોઢે હારશેજ, માસ્ક વગર ઘરની બહાર નીકળે એને "રાજકોટ ના સમ,'