જે કરારની વાત છે તેમાં ખેડૂતો અને કંપનીઓ કરાર કરશે. આ કરારમાં જમીનનો કોઈ ઉલ્લેખ નથી
બિલને લઈને ખેડૂતો જમીન વિહોણા થશે તેવી વાતો પાયા વિહોણી
ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવા માટે વર્તમાન વ્યવસ્થા જવાબદાર
રાજકોટ : કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં એક પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરી તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિને લાગતા બિલો અંગે કેટલીક મહત્વની જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે કૃષિબિલ લવાયું છે. તેમાં માર્કેટિંગ યાર્ડ બંધ કરવાની કોઈ વાત નથી.
વધુમાં રૂપાલાએ જણાવ્યું હતું કે, જે કરારની વાત છે તેમાં ખેડૂતો અને કંપનીઓ કરાર કરશે. આ કરારમાં જમીનનો કોઈ ઉલ્લેખ નથી. માત્ર ઉત્પાદનને લગતી વસ્તુના વેચાણ બાબતે કરાર થશે. ત્યારે બિલને લઈને ખેડૂતો જમીન વિહોણા થશે તેવી વાતો પાયા વિહોણી છે. આ બિલમાં ખેડૂતોને એ હક્ક આપ્યો છે કે તેમનો માલ કોઇપણ જગ્યાએ વેચી શકે. અગાઉ માત્ર યાર્ડ ખાતે વેચાણ હતું જે હવેથી કોઈપણ જગ્યાએ થઈ શકશે. તેમાં માર્કેટિંગ યાર્ડ બંધ કરવાનો કોઈ વિચાર પણ નથી.
રાજ્યમાં 80 ટકા નાના ખેડૂતો છે, આ નાના ખેડૂતોને ભેગા કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાણ કરી શકાય. અને આંતરરાષ્ટ્રીય વેપારીઓને જે વસ્તુઓની જરૂર હોય તે ખેડૂતો સાથે કરાર કરે તેમાં ખેડૂત અને વેપારી બન્નેને ફાયદો થશે. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવા માટે વર્તમાન વ્યવસ્થા જવાબદાર છે. જેને બદલવા માટે અને ખેડૂતોના ફાયદા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. પરંતુ વિપક્ષ તેનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે.
- જે કરારની વાત છે તેમાં ખેડૂતો અને કંપનીઓ કરાર કરશે. આ કરારમાં જમીનનો કોઈ ઉલ્લેખ નથી
- બિલને લઈને ખેડૂતો જમીન વિહોણા થશે તેવી વાતો પાયા વિહોણી
- ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવા માટે વર્તમાન વ્યવસ્થા જવાબદાર
રાજકોટ : કેન્દ્રીય કૃષિ અને ખેડુત કલ્યાણ રાજ્યમંત્રી પુરુષોત્તમ રૂપાલા આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અહીં એક પ્રેસ કોન્ફરન્સનું સંબોધન કરી તેમણે કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિને લાગતા બિલો અંગે કેટલીક મહત્વની જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ખેડૂતોને પૂરતા ભાવ મળે તે માટે કૃષિબિલ લવાયું છે. તેમાં માર્કેટિંગ યાર્ડ બંધ કરવાની કોઈ વાત નથી.
વધુમાં રૂપાલાએ જણાવ્યું હતું કે, જે કરારની વાત છે તેમાં ખેડૂતો અને કંપનીઓ કરાર કરશે. આ કરારમાં જમીનનો કોઈ ઉલ્લેખ નથી. માત્ર ઉત્પાદનને લગતી વસ્તુના વેચાણ બાબતે કરાર થશે. ત્યારે બિલને લઈને ખેડૂતો જમીન વિહોણા થશે તેવી વાતો પાયા વિહોણી છે. આ બિલમાં ખેડૂતોને એ હક્ક આપ્યો છે કે તેમનો માલ કોઇપણ જગ્યાએ વેચી શકે. અગાઉ માત્ર યાર્ડ ખાતે વેચાણ હતું જે હવેથી કોઈપણ જગ્યાએ થઈ શકશે. તેમાં માર્કેટિંગ યાર્ડ બંધ કરવાનો કોઈ વિચાર પણ નથી.
રાજ્યમાં 80 ટકા નાના ખેડૂતો છે, આ નાના ખેડૂતોને ભેગા કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વેચાણ કરી શકાય. અને આંતરરાષ્ટ્રીય વેપારીઓને જે વસ્તુઓની જરૂર હોય તે ખેડૂતો સાથે કરાર કરે તેમાં ખેડૂત અને વેપારી બન્નેને ફાયદો થશે. ખેડૂતોને યોગ્ય ભાવ ન મળવા માટે વર્તમાન વ્યવસ્થા જવાબદાર છે. જેને બદલવા માટે અને ખેડૂતોના ફાયદા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. પરંતુ વિપક્ષ તેનું ખોટું અર્થઘટન કરીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે.