ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને રાજવી પરિવાર દ્વારા મર્યાદિત લોકોને જ આ યજ્ઞમાં આમંત્રણ અપાયું
વર્ષોથી આસોસુદ અષ્ટમીનાં રોજ વાર્ષિક યજ્ઞમાં આશાપુરા માતાજીનું પૂજન કરવામાં આવે છે.
રાજવી પરિવાર દ્વારા હાલ કોરોનાકાળમાં પણ આ પરંપરા જાળવવામાં આવી
રાજકોટ. પેલેસ રોડ પર આવેલા ઐતિહાસિક આશાપુરા માતાજી મંદિરે દુર્ગાષ્ટમી નિમિતે મહાષ્ટમી યજ્ઞનું આયોજન કરાયું હતું. પરંપરાગત રીતે યોજાતા આ યજ્ઞમાં રાજવી માંધાતાસિંહજી તેમજ યુવરાજ જયદિપસિંહજીએ આહુતિ આપી હતી. સામાન્ય રીતે દર વર્ષે ધામધૂમ પૂર્વક આ હવનનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને રાજવી પરિવાર દ્વારા મર્યાદિત લોકોને જ આ યજ્ઞમાં આમંત્રણ અપાયું હતું.
આશાપુરા માતાજીનાં મંદિરે યોજાયેલા મહાષ્ટમી યજ્ઞ દરમિયાન લોકોની ભીડ ન થાય તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને આ માટે જ બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. કોરોના મહામારી હોવાથી રાજવી પરિવાર દ્વારા યોજાયેલા આ યજ્ઞમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતની તમામ ગાઈડલાઇનનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજવી માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે, આશાપુરા જાડેજા વંશનાં કુળદેવી હોવાથી આ મંદિર અમારા વડવાઓએ બનાવ્યું છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં બળાઓનો રાસ જોવા મળે છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા રોકવાની ફરજ પડી છે. જો કે વર્ષોથી આસોસુદ અષ્ટમીનાં રોજ વાર્ષિક યજ્ઞમાં આશાપુરા માતાજીનું પૂજન કરવામાં આવે છે. રાજવી પરિવાર દ્વારા હાલ કોરોનાકાળમાં પણ આ પરંપરા જાળવવામાં આવી છે.
નોંધનીય છે કે, હાલ નવલા નોરતાને લઈને આશાપુરા માતાજીનાં મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેમાં આજે દુર્ગાષ્ટમી હોવાથી માતાજીને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. અને આજરોજ માતાનાં ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શને આવ્યા હતા.
ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને રાજવી પરિવાર દ્વારા મર્યાદિત લોકોને જ આ યજ્ઞમાં આમંત્રણ અપાયું
વર્ષોથી આસોસુદ અષ્ટમીનાં રોજ વાર્ષિક યજ્ઞમાં આશાપુરા માતાજીનું પૂજન કરવામાં આવે છે.
રાજવી પરિવાર દ્વારા હાલ કોરોનાકાળમાં પણ આ પરંપરા જાળવવામાં આવી
રાજકોટ. પેલેસ રોડ પર આવેલા ઐતિહાસિક આશાપુરા માતાજી મંદિરે દુર્ગાષ્ટમી નિમિતે મહાષ્ટમી યજ્ઞનું આયોજન કરાયું હતું. પરંપરાગત રીતે યોજાતા આ યજ્ઞમાં રાજવી માંધાતાસિંહજી તેમજ યુવરાજ જયદિપસિંહજીએ આહુતિ આપી હતી. સામાન્ય રીતે દર વર્ષે ધામધૂમ પૂર્વક આ હવનનું આયોજન કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને લઈને રાજવી પરિવાર દ્વારા મર્યાદિત લોકોને જ આ યજ્ઞમાં આમંત્રણ અપાયું હતું.
આશાપુરા માતાજીનાં મંદિરે યોજાયેલા મહાષ્ટમી યજ્ઞ દરમિયાન લોકોની ભીડ ન થાય તે બાબતનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. અને આ માટે જ બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રાખવામાં આવ્યું હતું. કોરોના મહામારી હોવાથી રાજવી પરિવાર દ્વારા યોજાયેલા આ યજ્ઞમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક સહિતની તમામ ગાઈડલાઇનનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે રાજવી માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે, આશાપુરા જાડેજા વંશનાં કુળદેવી હોવાથી આ મંદિર અમારા વડવાઓએ બનાવ્યું છે. સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન અહીં મોટી સંખ્યામાં બળાઓનો રાસ જોવા મળે છે. પરંતુ હાલ કોરોના મહામારીના કારણે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા રોકવાની ફરજ પડી છે. જો કે વર્ષોથી આસોસુદ અષ્ટમીનાં રોજ વાર્ષિક યજ્ઞમાં આશાપુરા માતાજીનું પૂજન કરવામાં આવે છે. રાજવી પરિવાર દ્વારા હાલ કોરોનાકાળમાં પણ આ પરંપરા જાળવવામાં આવી છે.
નોંધનીય છે કે, હાલ નવલા નોરતાને લઈને આશાપુરા માતાજીનાં મંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. જેમાં આજે દુર્ગાષ્ટમી હોવાથી માતાજીને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો. અને આજરોજ માતાનાં ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શને આવ્યા હતા.