કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રમાં રીકવરી રેટ સુધરતા હાશકારો
રાજયમાં 1,02,571 દર્દીઓ કોરોના મુકત બન્યા
રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા પોઝીટીવ કેસની સામે લગભગ તેનાથી ડબલ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
રાજકોટ. શહેર સહિત જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. પરંતુ તેની વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે, અત્યાર સુધીમાં કુલ 21 હજારથી વધુ લોકો આ મહામારી પર વિજય મેળવી ચુક્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 26 હજાર પૈકી જોવામાં આવે તો આ આંકડો 80%થી પણ વધુ છે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં 1,02,571 દર્દીઓ કોરોના મુકત બની ચુક્યા છે.
સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં તમામ જિલ્લા કોરોનાની ઝપટે ચડયા છે. કોઈ તાલુકો બાકી નથી પરંતુ સંક્રમિત બન્યા બાદ યોગ્ય સારવાર અને કાળજી રાખીને 21 હજારથી વધુ અત્યાર સુધી સાજા થઈ ગયા છે. જેમાં અનેક તો હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા છે. બીજીતરફ હોમ આઈસોલેશનમાં રહેનારા ઝડપથી સાજા થઈ રહયા છે. જો કે હજુ સૌરાષ્ટ્રમાં ચારેક હજાર એકટીવ કેસની સારવાર ચાલી રહી છે. પરંતુ જો સાવધાની રાખવામાં આવે તો આ મહામારી સામે બાથ ભીડીને તેને હરાવી શકાય છે, તે આ આંકડા સાબીત કરે છે.
શહેર મુજબ સ્વસ્થ થનારા લોકોની આશરે સંખ્યા
રાજકોટ - 5600
જામનગર - 4400
જૂનાગઢ - 2000
અમરેલી - 1350
સુરેન્દ્રનગર - 1235
મોરબી - 1070
ગીર સોમનાથ - 1040
પોરબંદર - 370
દ્રારકા - 450
ઉલ્લેખનીય છે કે, શનિવારે એક દિવસમાં સૌરાષ્ટ્રમાંથી 472 લોકો કોરોનામુકત બન્યા છે. હાલ સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી પણ ગંભીર હોય તેવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી નવા પોઝીટીવ કેસની સામે લગભગ તેનાથી ડબલ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ સારવાર અને મજબૂત મનોબળ બંને હથિયારોથી કોરોના પર જીત મેળવવી જરૂરી છે.
- કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રમાં રીકવરી રેટ સુધરતા હાશકારો
- રાજયમાં 1,02,571 દર્દીઓ કોરોના મુકત બન્યા
- રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી નવા પોઝીટીવ કેસની સામે લગભગ તેનાથી ડબલ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
રાજકોટ. શહેર સહિત જિલ્લા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. પરંતુ તેની વચ્ચે એક સારા સમાચાર એ પણ છે કે, અત્યાર સુધીમાં કુલ 21 હજારથી વધુ લોકો આ મહામારી પર વિજય મેળવી ચુક્યા છે. સૌરાષ્ટ્રમાં કુલ સંક્રમિતોની સંખ્યા 26 હજાર પૈકી જોવામાં આવે તો આ આંકડો 80%થી પણ વધુ છે. ઉલ્લેખનીય છે કે, રાજયમાં 1,02,571 દર્દીઓ કોરોના મુકત બની ચુક્યા છે.
સૌરાષ્ટ્રનાં મોટાભાગનાં તમામ જિલ્લા કોરોનાની ઝપટે ચડયા છે. કોઈ તાલુકો બાકી નથી પરંતુ સંક્રમિત બન્યા બાદ યોગ્ય સારવાર અને કાળજી રાખીને 21 હજારથી વધુ અત્યાર સુધી સાજા થઈ ગયા છે. જેમાં અનેક તો હોસ્પિટલમાંથી ઘરે આવી ગયા છે. બીજીતરફ હોમ આઈસોલેશનમાં રહેનારા ઝડપથી સાજા થઈ રહયા છે. જો કે હજુ સૌરાષ્ટ્રમાં ચારેક હજાર એકટીવ કેસની સારવાર ચાલી રહી છે. પરંતુ જો સાવધાની રાખવામાં આવે તો આ મહામારી સામે બાથ ભીડીને તેને હરાવી શકાય છે, તે આ આંકડા સાબીત કરે છે.
શહેર મુજબ સ્વસ્થ થનારા લોકોની આશરે સંખ્યા
રાજકોટ - 5600
જામનગર - 4400
જૂનાગઢ - 2000
અમરેલી - 1350
સુરેન્દ્રનગર - 1235
મોરબી - 1070
ગીર સોમનાથ - 1040
પોરબંદર - 370
દ્રારકા - 450
ઉલ્લેખનીય છે કે, શનિવારે એક દિવસમાં સૌરાષ્ટ્રમાંથી 472 લોકો કોરોનામુકત બન્યા છે. હાલ સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી પણ ગંભીર હોય તેવા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. રાજકોટની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસોથી નવા પોઝીટીવ કેસની સામે લગભગ તેનાથી ડબલ દર્દીઓ સ્વસ્થ થઈ રહ્યા છે. ત્યારે ચોક્કસ સારવાર અને મજબૂત મનોબળ બંને હથિયારોથી કોરોના પર જીત મેળવવી જરૂરી છે.