26-10-2017નાં રોજ 70 વર્ષીય મણીબેન બચુભાઇ ગોહેલ પાસે તેના પુત્ર બાબુ ગોહેલે પૈસા માંગ્યા હતા. પરંતુ માતાએ રૂપિયા દેવાનો ઇન્કાર કર્યો હતો
નરાધમ પુત્રએ તેણીના ગુપ્ત ભાગમાં લાકડુ ભરાવીને હત્યા કરી
મરનારની પુત્રવધુ અને આરોપીની ભાભી ભાનુબેન હમીરભાઇ ગોહેલ કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી
રાજકોટ. ફાડદંગ ગામે સગી માતાનાં ગુપ્તાંગમાં લાકડું ભરાવી નિર્મમ હત્યા કરનારા કપૂતને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. બાબુ બચુભાઇ ગોહેલ નામના આ આરોપીનો કેસ ચાલી જતાં આજે અધિક સેસન્સ જજ બી.એ. વોરાએ આરોપી પુત્રને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર રાજકોટનાં ફાડદંગ ગામે ગત તારીખ 26-10-2017નાં રોજ 70 વર્ષીય મણીબેન બચુભાઇ ગોહેલ પાસે તેના પુત્ર બાબુ ગોહેલે પૈસા માંગ્યા હતા. પરંતુ માતાએ રૂપિયા દેવાનો ઇન્કાર કરતા આ નરાધમ પુત્રએ તેણીના ગુપ્ત ભાગમાં લાકડુ ભરાવીને હત્યા કરી હતી.આ અંગે મરનારની પુત્રવધુ અને આરોપીની ભાભી ભાનુબેન હમીરભાઇ ગોહેલ કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ નોંધાતા જ કુવાડવા પોલીસે આરોપી બાબુ બચુભાઇ ગોહેલ વિરૂદ્ધ ખૂનનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. આ અંગેની તપાસમાં આરોપીએ દારૂ માટે માતા પાસે પૈસા માંગ્યાનું કારણ પણ સામે આવ્યું હતું. સાથે કુવાડવા પોલીસે બનાવમાં વપરાયેલ લાકડુ તેમજ મૃતકનો ચણીયો પણ મુદ્દામાલ તરીકે કબ્જે કર્યો હતો. બાદમાં તપાસના અંતે કોર્ટમાં ચાર્જ શીટ રજુ કરવામાં આવી હતી.
આ કેસ ચાલતા બચાવ પક્ષે એવી રજુઆત કરી હતી કે, બનાવમાં વપરાયેલ લાકડુ પોલીસે કબ્જે કર્યું છે., પરંતુ તેમાં મરનારના લોહીના ડાઘના નિશાન મળી આવેલ નથી તેથી આરોપીને સજા કરવા માટે પૂરતો પુરાવો નથી. આ સામે સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરી હતી કે, મૃતકનું મરણોતર નિવેદન છે. જે અંગે આરોપીએ કોઈ વિરોધ કર્યો નથી. ગુનો કર્યાનું માનવું અને ગુપ્ત ભાગમાં લાકડુ માર્યું છે. આ બંને અલગ મુદા છે.
પ્રોસીકયુશને રજુ કરેલા આ પુરાવા જોતા આરોપીને નિશંકપણે તકસીરવાન ઠરાવી શકાય તેમ હોવાથી આરોપીને આજીવન કેદની સજા કરવી જોઇએ. ત્યારે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાની રજુઆત માન્ય રાખીને અધિક સેસન્સ જજ બી.એ. વોરાએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
- 26-10-2017નાં રોજ 70 વર્ષીય મણીબેન બચુભાઇ ગોહેલ પાસે તેના પુત્ર બાબુ ગોહેલે પૈસા માંગ્યા હતા. પરંતુ માતાએ રૂપિયા દેવાનો ઇન્કાર કર્યો હતો
- નરાધમ પુત્રએ તેણીના ગુપ્ત ભાગમાં લાકડુ ભરાવીને હત્યા કરી
- મરનારની પુત્રવધુ અને આરોપીની ભાભી ભાનુબેન હમીરભાઇ ગોહેલ કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી
રાજકોટ. ફાડદંગ ગામે સગી માતાનાં ગુપ્તાંગમાં લાકડું ભરાવી નિર્મમ હત્યા કરનારા કપૂતને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે. બાબુ બચુભાઇ ગોહેલ નામના આ આરોપીનો કેસ ચાલી જતાં આજે અધિક સેસન્સ જજ બી.એ. વોરાએ આરોપી પુત્રને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર રાજકોટનાં ફાડદંગ ગામે ગત તારીખ 26-10-2017નાં રોજ 70 વર્ષીય મણીબેન બચુભાઇ ગોહેલ પાસે તેના પુત્ર બાબુ ગોહેલે પૈસા માંગ્યા હતા. પરંતુ માતાએ રૂપિયા દેવાનો ઇન્કાર કરતા આ નરાધમ પુત્રએ તેણીના ગુપ્ત ભાગમાં લાકડુ ભરાવીને હત્યા કરી હતી.આ અંગે મરનારની પુત્રવધુ અને આરોપીની ભાભી ભાનુબેન હમીરભાઇ ગોહેલ કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી.
બનાવ અંગેની ફરિયાદ નોંધાતા જ કુવાડવા પોલીસે આરોપી બાબુ બચુભાઇ ગોહેલ વિરૂદ્ધ ખૂનનો ગુનો નોંધીને તેની ધરપકડ કરી હતી. આ અંગેની તપાસમાં આરોપીએ દારૂ માટે માતા પાસે પૈસા માંગ્યાનું કારણ પણ સામે આવ્યું હતું. સાથે કુવાડવા પોલીસે બનાવમાં વપરાયેલ લાકડુ તેમજ મૃતકનો ચણીયો પણ મુદ્દામાલ તરીકે કબ્જે કર્યો હતો. બાદમાં તપાસના અંતે કોર્ટમાં ચાર્જ શીટ રજુ કરવામાં આવી હતી.
આ કેસ ચાલતા બચાવ પક્ષે એવી રજુઆત કરી હતી કે, બનાવમાં વપરાયેલ લાકડુ પોલીસે કબ્જે કર્યું છે., પરંતુ તેમાં મરનારના લોહીના ડાઘના નિશાન મળી આવેલ નથી તેથી આરોપીને સજા કરવા માટે પૂરતો પુરાવો નથી. આ સામે સરકાર પક્ષે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાએ રજૂઆત કરી હતી કે, મૃતકનું મરણોતર નિવેદન છે. જે અંગે આરોપીએ કોઈ વિરોધ કર્યો નથી. ગુનો કર્યાનું માનવું અને ગુપ્ત ભાગમાં લાકડુ માર્યું છે. આ બંને અલગ મુદા છે.
પ્રોસીકયુશને રજુ કરેલા આ પુરાવા જોતા આરોપીને નિશંકપણે તકસીરવાન ઠરાવી શકાય તેમ હોવાથી આરોપીને આજીવન કેદની સજા કરવી જોઇએ. ત્યારે જીલ્લા સરકારી વકીલ એસ.કે. વોરાની રજુઆત માન્ય રાખીને અધિક સેસન્સ જજ બી.એ. વોરાએ આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.