રાજકોટ : નોરતાનાં તહેવારો શરૂ થવાને ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારે અત્યારથી કારીગરો રાત દિવસ ગરબા બનાવવાનાં કામમાં લાગી ગયા છે. ચાલુ વર્ષે ગરબામાં પણ કોરોના કાળની ઝલક જોવા મળી રહી છે. અને ખાસ 'ગો કોરોના ગો' લખેલા ગરબાઓ ધૂમ મચાવી રહ્યા છે. તેમજ લોકોમાં આવા લખાણનાં ગરબાની ખૂબ માંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો બંગાળી ગરબા પણ ખરીદી રહ્યા હોવાનું ગરબાનાં કારીગર મુકેશભાઈ કુંભારે જણાવ્યું છે.
મુકેશભાઈનાં કહેવા મુજબ, "હાલ કોરોનાની મહામારી વિશ્વભરમાં વ્યાપેલી છે. ત્યારે આ વર્ષે મેં 'ગો કોરોના ગો' લખેલા ગરબા બનાવ્યા છે. નવરાત્રીમાં જ્યારે લોકો ગરબા થકી માં આદ્યશક્તિનું પૂજન-અર્ચન કરે ત્યારે તે વૈશ્વિક મહામારીમાંથી છુટકારો મેળવવાની પ્રાર્થનાં કરે, અને ખુદ ભગવતી માં અંબા દેશ-દુનિયાને કોરોનાથી બચાવે તેવા ઉદ્દેશ્યથી પોતે આ લખાણ લખ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નોરતાનાં નવ દિવસ ઘરમા રાખવામાં આવતો ગરબો માં આદ્યશક્તિનાં શક્તિપુંજ સમાન છે. અને દરવર્ષે વિવિધ પ્રકારનાં ગરબા જોવા મળતા હોય છે. અગાઉ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા 'કલમ 370' સાથે 'અખંડ ભારત' જેવા લખાણ ગરબા પર લખાયા હતા. તો વર્ષ 2016માં વડાપ્રધાનનો જન્મદિવસ અને નવરાત્રી બંને નજીકનાં સમયમાં હોવાથી 'મોદી ગરબા'એ ધૂમ મચાવી હતી. ત્યારે ચાલુ વર્ષે 'ગો કોરોના ગો' ગરબાની ભારે ડિમાન્ડ નિકળી છે.
રાજકોટ : નોરતાનાં તહેવારો શરૂ થવાને ગણતરીનાં દિવસો જ બાકી છે. ત્યારે અત્યારથી કારીગરો રાત દિવસ ગરબા બનાવવાનાં કામમાં લાગી ગયા છે. ચાલુ વર્ષે ગરબામાં પણ કોરોના કાળની ઝલક જોવા મળી રહી છે. અને ખાસ 'ગો કોરોના ગો' લખેલા ગરબાઓ ધૂમ મચાવી રહ્યા છે. તેમજ લોકોમાં આવા લખાણનાં ગરબાની ખૂબ માંગ જોવા મળી રહી છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો બંગાળી ગરબા પણ ખરીદી રહ્યા હોવાનું ગરબાનાં કારીગર મુકેશભાઈ કુંભારે જણાવ્યું છે.
મુકેશભાઈનાં કહેવા મુજબ, "હાલ કોરોનાની મહામારી વિશ્વભરમાં વ્યાપેલી છે. ત્યારે આ વર્ષે મેં 'ગો કોરોના ગો' લખેલા ગરબા બનાવ્યા છે. નવરાત્રીમાં જ્યારે લોકો ગરબા થકી માં આદ્યશક્તિનું પૂજન-અર્ચન કરે ત્યારે તે વૈશ્વિક મહામારીમાંથી છુટકારો મેળવવાની પ્રાર્થનાં કરે, અને ખુદ ભગવતી માં અંબા દેશ-દુનિયાને કોરોનાથી બચાવે તેવા ઉદ્દેશ્યથી પોતે આ લખાણ લખ્યું હોવાનું પણ તેમણે કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, નોરતાનાં નવ દિવસ ઘરમા રાખવામાં આવતો ગરબો માં આદ્યશક્તિનાં શક્તિપુંજ સમાન છે. અને દરવર્ષે વિવિધ પ્રકારનાં ગરબા જોવા મળતા હોય છે. અગાઉ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા 'કલમ 370' સાથે 'અખંડ ભારત' જેવા લખાણ ગરબા પર લખાયા હતા. તો વર્ષ 2016માં વડાપ્રધાનનો જન્મદિવસ અને નવરાત્રી બંને નજીકનાં સમયમાં હોવાથી 'મોદી ગરબા'એ ધૂમ મચાવી હતી. ત્યારે ચાલુ વર્ષે 'ગો કોરોના ગો' ગરબાની ભારે ડિમાન્ડ નિકળી છે.