જામજોધપુર પંથકનાં વરવાળા ગામે નરાધમે છરીની અણીએ સગીરાને બે-બે વખત હવસનો શિકાર બનાવી
અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામના એક યુવકે છરીની અણીએ બે વખત સગીરા પર દુષ્કર્મ આચરીને આ અંગેની કોઈને જાણ કરશે તો તેના ભાઈ તથા પિતા ને મારી નાખવાની ધમકી આપી
પિતાનાં મોત બાદ આખરે હિંમત એકઠી કરી પોલીસમાં આરોપી અશ્વિન ભીમશીભાઇ વાઢીયા સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી
જામનગર : જામનગરમાં સગીરા પર ચાર નરાધમોએ ગુજારેલ સામુહિક દુષ્કર્મની ઘટના બાદ દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જામજોધપુર પંથકનાં વરવાળા ગામે નરાધમે છરીની અણીએ સગીરાને બે-બે વખત હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે. દિકરી સાથે દુષ્કર્મની જાણ થતાં તેણીના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યા બાદ આખરે ભોગ બનનારે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતી એક સગીરા સાથે આઠેક માસ પૂર્વે હેવાનીયત આચરવામાં આવી હતી. વિલાસપુરમાં રહેતા અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામના એક યુવકે છરીની અણીએ બે વખત સગીરા પર દુષ્કર્મ આચરીને આ અંગેની કોઈને જાણ કરશે તો તેના ભાઈ તથા પિતા ને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને ડરી ગયેલી પીડિતાએ મોઢું સીવી લીધું હતું.
દરમિયાન હાલમાં પુખ્ત વયની થયેલી આ પીડિતાનાં પિતાને ગત તારીખ 22-9નાં રોજ દિકરી સાથે થયેલી આ ઘટના અંગે જાણ થઈ હતી. જેને પગલે ગુમસુમ રહ્યા બાદ તેમણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ સારવાર માટે ઉપલેટા અને ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સપ્તાહ પૂર્વે તેમનું મોત નીપજ્યું હતું.
પિતાનાં મોત બાદ આખરે હિંમત એકઠી કરી હાલમાં પુખ્ત વયની બનેલી આ પીડિતાએ આજે જામજોધપુર પોલીસમાં આરોપી અશ્વિન ભીમશીભાઇ વાઢીયા સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસે તેણીનું મેડીકલ પરીક્ષણ કરાવવાની તજવીજ શરૂ કરી છે. બીજીતરફ પોતાની પર થયેલ ફરિયાદની જાણ થતા જ આરોપી અશ્વિન હાલ ફરાર થઇ ગયો હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
- જામજોધપુર પંથકનાં વરવાળા ગામે નરાધમે છરીની અણીએ સગીરાને બે-બે વખત હવસનો શિકાર બનાવી
- અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામના એક યુવકે છરીની અણીએ બે વખત સગીરા પર દુષ્કર્મ આચરીને આ અંગેની કોઈને જાણ કરશે તો તેના ભાઈ તથા પિતા ને મારી નાખવાની ધમકી આપી
- પિતાનાં મોત બાદ આખરે હિંમત એકઠી કરી પોલીસમાં આરોપી અશ્વિન ભીમશીભાઇ વાઢીયા સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી
જામનગર : જામનગરમાં સગીરા પર ચાર નરાધમોએ ગુજારેલ સામુહિક દુષ્કર્મની ઘટના બાદ દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જામજોધપુર પંથકનાં વરવાળા ગામે નરાધમે છરીની અણીએ સગીરાને બે-બે વખત હવસનો શિકાર બનાવી હોવાનું સામે આવ્યું છે. દિકરી સાથે દુષ્કર્મની જાણ થતાં તેણીના પિતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યા બાદ આખરે ભોગ બનનારે આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જામજોધપુર તાલુકાના વરવાળા ગામમાં રહેતી એક સગીરા સાથે આઠેક માસ પૂર્વે હેવાનીયત આચરવામાં આવી હતી. વિલાસપુરમાં રહેતા અશ્વિન ભીમશીભાઇ વાઢિયા નામના એક યુવકે છરીની અણીએ બે વખત સગીરા પર દુષ્કર્મ આચરીને આ અંગેની કોઈને જાણ કરશે તો તેના ભાઈ તથા પિતા ને મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને ડરી ગયેલી પીડિતાએ મોઢું સીવી લીધું હતું.
દરમિયાન હાલમાં પુખ્ત વયની થયેલી આ પીડિતાનાં પિતાને ગત તારીખ 22-9નાં રોજ દિકરી સાથે થયેલી આ ઘટના અંગે જાણ થઈ હતી. જેને પગલે ગુમસુમ રહ્યા બાદ તેમણે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ સારવાર માટે ઉપલેટા અને ત્યારબાદ જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સપ્તાહ પૂર્વે તેમનું મોત નીપજ્યું હતું.
પિતાનાં મોત બાદ આખરે હિંમત એકઠી કરી હાલમાં પુખ્ત વયની બનેલી આ પીડિતાએ આજે જામજોધપુર પોલીસમાં આરોપી અશ્વિન ભીમશીભાઇ વાઢીયા સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ પોલીસે તેણીનું મેડીકલ પરીક્ષણ કરાવવાની તજવીજ શરૂ કરી છે. બીજીતરફ પોતાની પર થયેલ ફરિયાદની જાણ થતા જ આરોપી અશ્વિન હાલ ફરાર થઇ ગયો હોઇ પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.