અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાયા
ગોવિંદડી ગામના 3 લોકો અને ખાખબાઈ ગામના 2 લોકોના મોત નિપજ્યા હતા
અંતિમયાત્રામા આખુ ગામ જોડાયું
અમરેલી. ગઈકાલે વડોદરા નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી પાસે ગોઝારા અકસ્માતમાં 11 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. વાઘોડિયા ચોકડી પર આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં મોતને ભેંટનાર લોકો મૂળ અમરેલી અને ભાવનગરના વિવિધ ગામના વતની છે. જેમના પરિવારો સુરતમાં સ્થાયી થયા છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાયા હતા.
આ પૈકી અમરેલી પંથકના 5 મૃતકોને એમ્બ્યુલન્સથી વતનમાં લઈ જવાયા હતા. જેમાં ગોવિંદડી ગામના 3 લોકો અને ખાખબાઈ ગામના 2 લોકોના મોત નિપજ્યા હતા. આજે રાજુલા તાલુકામાં આ 5 લોકોની અંતિમ યાત્રામાં આખુ ગામ હિબકે ચઢ્યું હતું. અંતિમયાત્રામા આખુ ગામ જોડાયું હતું. સાથે જ આસપાસના ગામના લોકો પણ સામેલ થયા હતા. એકસાથે પાંચ લોકોની નીકળેલી અંતિમ યાત્રાથી સમગ્ર પંથકમા શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા દયાબેન જીંજળા (નાની ખેરાડી), દક્ષાબેન કલસરિયા (ખાખબાઈ), આરતીબેન જિંજાળા (નાની ખેરાડી), પ્રિન્સ કલસરિયા (ખાખબાઈ) અને સુરેશભાઈ જીંજાળા (નાની ખેરાડી) ની આજે અંતિમયાત્રા નીકળી હતી. આહીર સમાજના પાંચેય મૃતકોની એકસાથે અંતિમ વિધિ કરાઈ હતી. એકસાથે પાંચ લોકોના અંતિમ યાત્રાથી પરિવાર પર પણ આભ તૂટી પડ્યુ છે.
અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાયા
ગોવિંદડી ગામના 3 લોકો અને ખાખબાઈ ગામના 2 લોકોના મોત નિપજ્યા હતા
અંતિમયાત્રામા આખુ ગામ જોડાયું
અમરેલી. ગઈકાલે વડોદરા નેશનલ હાઇવે પર વાઘોડિયા ચોકડી પાસે ગોઝારા અકસ્માતમાં 11 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. વાઘોડિયા ચોકડી પર આઈસર ટેમ્પો અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં મોતને ભેંટનાર લોકો મૂળ અમરેલી અને ભાવનગરના વિવિધ ગામના વતની છે. જેમના પરિવારો સુરતમાં સ્થાયી થયા છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને અંતિમ સંસ્કાર માટે વતન લઈ જવાયા હતા.
આ પૈકી અમરેલી પંથકના 5 મૃતકોને એમ્બ્યુલન્સથી વતનમાં લઈ જવાયા હતા. જેમાં ગોવિંદડી ગામના 3 લોકો અને ખાખબાઈ ગામના 2 લોકોના મોત નિપજ્યા હતા. આજે રાજુલા તાલુકામાં આ 5 લોકોની અંતિમ યાત્રામાં આખુ ગામ હિબકે ચઢ્યું હતું. અંતિમયાત્રામા આખુ ગામ જોડાયું હતું. સાથે જ આસપાસના ગામના લોકો પણ સામેલ થયા હતા. એકસાથે પાંચ લોકોની નીકળેલી અંતિમ યાત્રાથી સમગ્ર પંથકમા શોકમય વાતાવરણ જોવા મળ્યું હતું.
આ અકસ્માતમાં મૃત્યુ પામેલા દયાબેન જીંજળા (નાની ખેરાડી), દક્ષાબેન કલસરિયા (ખાખબાઈ), આરતીબેન જિંજાળા (નાની ખેરાડી), પ્રિન્સ કલસરિયા (ખાખબાઈ) અને સુરેશભાઈ જીંજાળા (નાની ખેરાડી) ની આજે અંતિમયાત્રા નીકળી હતી. આહીર સમાજના પાંચેય મૃતકોની એકસાથે અંતિમ વિધિ કરાઈ હતી. એકસાથે પાંચ લોકોના અંતિમ યાત્રાથી પરિવાર પર પણ આભ તૂટી પડ્યુ છે.