છોટાઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામની એક મહિલા સહિત પાંચ લોકો લાઠીદડ ગામે ખેતમજુરી કરવા આવ્યા
પૈકી મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક આધેડની તબિયત પણ લથડતા તેમની સારવાર ચાલી રહી છે.
રહસ્યમય રીતે એક પછી એક ચારેયનાં મોત નિપજતાં લાઠીદડ ગામનાં લોકોમાં ફફડાટ
WatchGujarat. આજે બોટાદના લાઠીદડ ગામે એક બાદ એક ચાર લોકોના શંકાસ્પદ મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામની એક મહિલા સહિત પાંચ લોકો લાઠીદડ ગામે ખેતમજુરી કરવા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ પૈકી મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક આધેડની તબિયત પણ લથડતા તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે તમામનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર મૃતકોનાં નામ 35 વર્ષીય તીકમભાઈ ઉદલભાઈ નાયક, 35 વર્ષીય કાંટાબેન તીકમભાઈ નાયક, 40 વર્ષીય રતનભાઈ કદુજીભાઈ નાયક અને 40 વર્ષીય ફતેસિંગભાઈ ભયજીભાઈ ખારીયા હોવાનું સામે આવ્યું છે. આજે રહસ્યમય રીતે એક પછી એક ચારેયનાં મોત નિપજતાં લાઠીદડ ગામનાં લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજરોજ એક આધેડ અને ઉપરોકત ચારેયને બોટાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને બાદમાં ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જ્યાં એક પછી એક ચારેયનાં મોત નિપજતાં તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. સુત્રોનું માનીએ તો તમામનાં મોત લઠ્ઠાકાંડને કારણે થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હાલના તબક્કે પોલીસ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં છે. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ જ ચારેયનાં મોતનું સાચું કારણ જાણી શકાશે.
છોટાઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામની એક મહિલા સહિત પાંચ લોકો લાઠીદડ ગામે ખેતમજુરી કરવા આવ્યા
પૈકી મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક આધેડની તબિયત પણ લથડતા તેમની સારવાર ચાલી રહી છે.
રહસ્યમય રીતે એક પછી એક ચારેયનાં મોત નિપજતાં લાઠીદડ ગામનાં લોકોમાં ફફડાટ
WatchGujarat. આજે બોટાદના લાઠીદડ ગામે એક બાદ એક ચાર લોકોના શંકાસ્પદ મોત થયા છે. છોટાઉદેપુર જિલ્લાના કંઠમૂડવા ગામની એક મહિલા સહિત પાંચ લોકો લાઠીદડ ગામે ખેતમજુરી કરવા આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ પૈકી મહિલા સહિત ચાર લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અન્ય એક આધેડની તબિયત પણ લથડતા તેમની સારવાર ચાલી રહી છે. ઘટનાની જાણ થતાં દોડી ગયેલી પોલીસે તમામનાં મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
જાણવા મળતી વિગતો અનુસાર મૃતકોનાં નામ 35 વર્ષીય તીકમભાઈ ઉદલભાઈ નાયક, 35 વર્ષીય કાંટાબેન તીકમભાઈ નાયક, 40 વર્ષીય રતનભાઈ કદુજીભાઈ નાયક અને 40 વર્ષીય ફતેસિંગભાઈ ભયજીભાઈ ખારીયા હોવાનું સામે આવ્યું છે. આજે રહસ્યમય રીતે એક પછી એક ચારેયનાં મોત નિપજતાં લાઠીદડ ગામનાં લોકોમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
આજરોજ એક આધેડ અને ઉપરોકત ચારેયને બોટાદ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અને બાદમાં ખાનગી હોસ્પીટલમાં દાખલ કરાયા હતા. જ્યાં એક પછી એક ચારેયનાં મોત નિપજતાં તેમની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. સુત્રોનું માનીએ તો તમામનાં મોત લઠ્ઠાકાંડને કારણે થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે હાલના તબક્કે પોલીસ પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહમાં છે. ત્યારે રિપોર્ટ આવ્યા બાદ જ ચારેયનાં મોતનું સાચું કારણ જાણી શકાશે.