ઓક્સિજન સુવિધાવાળા 1989 અને વેન્ટિલેટરવાળા 528 સહિત કુલ 2602 બેડ સહિત તમામ જરૂરી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
ચા-પાનનાં ગલ્લાઓ બંધ કરવાની પણ હાલ કોઈ વિચારણા નહીં
WatchGujarat. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે કલેક્ટર રેમ્યા મોહનની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જણાવ્યા મુજબ હાલ શહેર અને જિલ્લામાં સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં છે. અને ઓક્સિજન સુવિધાવાળા 1989 અને વેન્ટિલેટરવાળા 528 સહિત કુલ 2602 બેડ સહિત તમામ જરૂરી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેમાં ભરેલા બેડ 625 અને ખાલી બેડ 1977 છે. આ ખાલી બેડ અંગે દરરરોજ રિપોર્ટ કરવા કલેકટરે આદેશો કર્યા છે. સાથે જ શહેરમાં ચા-પાનનાં ગલ્લાઓ બંધ કરવાની પણ હાલ કોઈ વિચારણા નહીં હોવાનું પણ આ પત્રકાર પરિષદમાં જણાવાયું છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશે જણાવતા કલેક્ટરે કહ્યું હતું કે, હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં રન વેની 40% કરતા વધુ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. સાથે જ કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. અને હાલ ધારણા મુજબ કામ થઈ રહ્યું હોવાનું જણાવતા કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે તે કહેવાનો કલેક્ટરે હાલ ઇન્કાર કર્યો છે. Rajkot
ઉલ્લેખનીય છે કે, શહેર તેમજ જિલ્લામાં ગઈકાલે કોરોનાએ આંશિક રાહત આપ્યા બાદ આજે ફરીથી ફૂંફાડો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર-જિલ્લામાં કુલ 5 વ્યકિતઓના મોત થયાનું જીલ્લાનાં આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે. રાજકોટ શહેરમાં 84 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 269 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત કરાયા છે. જેમાં મનપા તેમજ પોલીસ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
More News #Rajkot #WatchGujarat
ઓક્સિજન સુવિધાવાળા 1989 અને વેન્ટિલેટરવાળા 528 સહિત કુલ 2602 બેડ સહિત તમામ જરૂરી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ
ચા-પાનનાં ગલ્લાઓ બંધ કરવાની પણ હાલ કોઈ વિચારણા નહીં
WatchGujarat. શહેરમાં કોરોનાની સ્થિતિ અંગે કલેક્ટર રેમ્યા મોહનની પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં જણાવ્યા મુજબ હાલ શહેર અને જિલ્લામાં સ્થિતિ સંપૂર્ણપણે કાબુમાં છે. અને ઓક્સિજન સુવિધાવાળા 1989 અને વેન્ટિલેટરવાળા 528 સહિત કુલ 2602 બેડ સહિત તમામ જરૂરી સુવિધાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. જેમાં ભરેલા બેડ 625 અને ખાલી બેડ 1977 છે. આ ખાલી બેડ અંગે દરરરોજ રિપોર્ટ કરવા કલેકટરે આદેશો કર્યા છે. સાથે જ શહેરમાં ચા-પાનનાં ગલ્લાઓ બંધ કરવાની પણ હાલ કોઈ વિચારણા નહીં હોવાનું પણ આ પત્રકાર પરિષદમાં જણાવાયું છે.
આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વિશે જણાવતા કલેક્ટરે કહ્યું હતું કે, હાલ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. અને અત્યાર સુધીમાં રન વેની 40% કરતા વધુ કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. સાથે જ કમ્પાઉન્ડ વોલ બનાવવાનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે. અને હાલ ધારણા મુજબ કામ થઈ રહ્યું હોવાનું જણાવતા કેટલા સમયમાં કામગીરી પૂર્ણ થશે તે કહેવાનો કલેક્ટરે હાલ ઇન્કાર કર્યો છે. Rajkot
ઉલ્લેખનીય છે કે, શહેર તેમજ જિલ્લામાં ગઈકાલે કોરોનાએ આંશિક રાહત આપ્યા બાદ આજે ફરીથી ફૂંફાડો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેર-જિલ્લામાં કુલ 5 વ્યકિતઓના મોત થયાનું જીલ્લાનાં આરોગ્ય વિભાગે જાહેર કર્યુ છે. રાજકોટ શહેરમાં 84 તેમજ ગ્રામ્ય વિસ્તારમાં 269 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન કાર્યરત કરાયા છે. જેમાં મનપા તેમજ પોલીસ દ્વારા સતત ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.