ગાંધીધામનાં 66 વર્ષીય થાવરભાઈ મહેશ્વરી જીવનનો જંગ હારી ગયા
ડોક્ટર્સને VIP સગવડ આપનાર પોલીસનું સ્ટિંગ ઓપરેશન કરનારા અખબારનાં ચાર પત્રકારો સામે ગુનો નોંધયો
અખબારનાં તંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, FIR કરો કે એન્કાઉન્ટર અમે અમારૂ કામ કર્યું છે અને કરતા રહીશું.
WatchGujarat. Rajkot શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગમાં ઘાયલ થયેલા વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. ગાંધીધામનાં 66 વર્ષીય થાવરભાઈ મહેશ્વરી એક ખાનગી હોસ્પિટલમાં જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. જેમાં આખરે તેઓ જીવનનો જંગ હારી જતા મૃત્યુઆંક 6 થયો છે. તો આરોપી ડોક્ટર્સને VIP સગવડ આપનાર પોલીસનું સ્ટિંગ ઓપરેશન કરનારા અખબારનાં ચાર પત્રકારો સામે ગુનો નોંધાતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં જે-તે દિવસે 5 દર્દીઓના મોત થયા હતા. અને પોલીસે આ હોસ્પિટલનાં સંચાલક સહિત પાંચ ડોક્ટર્સ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં આ તમામ ડોક્ટર્સને જામીન પણ મળી ગયા છે. આરોપી ડોક્ટર્સ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેમને VIP સુવિધા અપાતી હોવાનું સ્ટિંગ ઓપરેશન એક અખબાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેના વિડીયો પણ વાયરલ થયા હતા.Rajkot
જો કે આ સ્ટિંગ ઓપરેશન બાદ આરોપીને સુવિધા આપનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાને બદલે ઉલટું પોલીસે આ ભાંડો ફોડનાર ચાર પત્રકારો સામે તાલુકા પોલીસ મથકમાં તેમજ આ પૈકીના બે પત્રકારો સામે માલવીયાનગર પોલીસમાં પણ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી રાજકીય ઈશારે થઈ હોવાની તેમજ ચોથી જાગીરને દબાવવાનો પ્રયાસ હોવાની ચર્ચા જાગી છે. ત્યારે અખબારનાં તંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, FIR કરો કે એન્કાઉન્ટર અમે અમારૂ કામ કર્યું છે અને કરતા રહીશું.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલાની તપાસ બાદ અનેક બેદરકારી સામે આવતા પોલીસે ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે તેમાં પણ હળવી કલમો લગાવાઈ હોવાથી તમામ ડોક્ટર્સને કોર્ટે જામીન મુક્ત કર્યા હતા.
More #Police #Sting operation #Reporter #Rajkot News
ગાંધીધામનાં 66 વર્ષીય થાવરભાઈ મહેશ્વરી જીવનનો જંગ હારી ગયા
ડોક્ટર્સને VIP સગવડ આપનાર પોલીસનું સ્ટિંગ ઓપરેશન કરનારા અખબારનાં ચાર પત્રકારો સામે ગુનો નોંધયો
અખબારનાં તંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, FIR કરો કે એન્કાઉન્ટર અમે અમારૂ કામ કર્યું છે અને કરતા રહીશું.
WatchGujarat. Rajkot શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલની આગમાં ઘાયલ થયેલા વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે. ગાંધીધામનાં 66 વર્ષીય થાવરભાઈ મહેશ્વરી એક ખાનગી હોસ્પિટલમાં જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા. જેમાં આખરે તેઓ જીવનનો જંગ હારી જતા મૃત્યુઆંક 6 થયો છે. તો આરોપી ડોક્ટર્સને VIP સગવડ આપનાર પોલીસનું સ્ટિંગ ઓપરેશન કરનારા અખબારનાં ચાર પત્રકારો સામે ગુનો નોંધાતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં અગ્નિકાંડમાં જે-તે દિવસે 5 દર્દીઓના મોત થયા હતા. અને પોલીસે આ હોસ્પિટલનાં સંચાલક સહિત પાંચ ડોક્ટર્સ સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં આ તમામ ડોક્ટર્સને જામીન પણ મળી ગયા છે. આરોપી ડોક્ટર્સ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેમને VIP સુવિધા અપાતી હોવાનું સ્ટિંગ ઓપરેશન એક અખબાર દ્વારા કરવામાં આવ્યું હતું. અને તેના વિડીયો પણ વાયરલ થયા હતા.Rajkot
જો કે આ સ્ટિંગ ઓપરેશન બાદ આરોપીને સુવિધા આપનાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ પગલાં લેવાને બદલે ઉલટું પોલીસે આ ભાંડો ફોડનાર ચાર પત્રકારો સામે તાલુકા પોલીસ મથકમાં તેમજ આ પૈકીના બે પત્રકારો સામે માલવીયાનગર પોલીસમાં પણ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી રાજકીય ઈશારે થઈ હોવાની તેમજ ચોથી જાગીરને દબાવવાનો પ્રયાસ હોવાની ચર્ચા જાગી છે. ત્યારે અખબારનાં તંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, FIR કરો કે એન્કાઉન્ટર અમે અમારૂ કામ કર્યું છે અને કરતા રહીશું.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલાની તપાસ બાદ અનેક બેદરકારી સામે આવતા પોલીસે ગોકુલ હોસ્પિટલના ચેરમેન ડો. પ્રકાશ મોઢા, ડો. વિશાલ મોઢા, ડો. તેજસ કરમટા, ડો. તેજસ મોતીવારસ, ડો. દિગ્વિજયસિંહ જાડેજા સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે તેમાં પણ હળવી કલમો લગાવાઈ હોવાથી તમામ ડોક્ટર્સને કોર્ટે જામીન મુક્ત કર્યા હતા.
More #Police #Sting operation #Reporter #Rajkot News