એઈમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે જ અભ્યાસ કરાવવામાં આવશે - શ્રમદીપ સિંહા
જામનગર રોડ પર ખંઢેરી ગામ પાસે 201 એકરમાં 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે
WatchGujarat. એઈમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચનો સીએમ રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહી ગાંધીનગરથી જ ઈ-પ્રારંભ કરાવ્યો હતો. જેમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન પણ ઓનલાઈન હાજર રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ-પ્રોફેસરોનાં સ્વાગતનાં કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
એઈમ્સનાં ડે. ડાયરેક્ટર શ્રમદીપ સિંહાનાં જણાવ્યા મુજબ, એઈમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે જ અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં એનાટોમી, બાયો કેમેસ્ટ્રી અને ફિઝીયોલોજી સહિતનાં ત્રણ વિષયોનો અભ્યાસ શરૂ કરાયો છે. આ માટે 17 પ્રોફેસરોની નિમણુંક થઈ ચૂકી છે. સાથે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ બનાવવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલની જગ્યા ફાળવવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે ખાસ સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જામનગર રોડ પર ખંઢેરી ગામ પાસે 201 એકરમાં 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે. જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કેમ્પસ બનાવામાં આવશે. આ હોસ્પિટલ અને કોલેજ તૈયાર થતા અંદાજે બે વર્ષ જેટલો સમય લાગશે. જોકે OPD 2021 સુધીમાં શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. તો એઈમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા માટે આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. પરંતુ હાલ એઇમ્સ હોસ્પિટલનું કામચલાઉ કેમ્પસ સિવિલમાં ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ આજથી શિક્ષણ મેળવશે.
એઈમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે જ અભ્યાસ કરાવવામાં આવશે - શ્રમદીપ સિંહા
જામનગર રોડ પર ખંઢેરી ગામ પાસે 201 એકરમાં 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે
WatchGujarat.એઈમ્સ મેડિકલ કોલેજમાં વર્ષ 2020-21 માટે એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. ત્યારે આજથી મેડિકલ કોલેજની 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચનો સીએમ રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી હાજર રહી ગાંધીનગરથી જ ઈ-પ્રારંભ કરાવ્યો હતો. જેમાં કેન્દ્રિય આરોગ્ય મંત્રી હર્ષવર્ધન પણ ઓનલાઈન હાજર રહ્યા હતા. આ તકે વિદ્યાર્થીઓ-પ્રોફેસરોનાં સ્વાગતનાં કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું.
એઈમ્સનાં ડે. ડાયરેક્ટર શ્રમદીપ સિંહાનાં જણાવ્યા મુજબ, એઈમ્સની પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ ખાતે જ અભ્યાસ કરાવવામાં આવશે. જેમાં એનાટોમી, બાયો કેમેસ્ટ્રી અને ફિઝીયોલોજી સહિતનાં ત્રણ વિષયોનો અભ્યાસ શરૂ કરાયો છે. આ માટે 17 પ્રોફેસરોની નિમણુંક થઈ ચૂકી છે. સાથે વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે માટે અદ્યતન લેબ બનાવવામાં આવી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને રહેવા માટે બોયઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલની જગ્યા ફાળવવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે ખાસ સેન્ટ્રલ લાઇબ્રેરીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જામનગર રોડ પર ખંઢેરી ગામ પાસે 201 એકરમાં 1195 કરોડના ખર્ચે એઇમ્સ હોસ્પિટલ નિર્માણ પામશે. જેમાં આધુનિક સુવિધાઓથી સજ્જ કેમ્પસ બનાવામાં આવશે. આ હોસ્પિટલ અને કોલેજ તૈયાર થતા અંદાજે બે વર્ષ જેટલો સમય લાગશે. જોકે OPD 2021 સુધીમાં શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. તો એઈમ્સ હોસ્પિટલમાં વિદ્યાર્થીઓને રહેવા માટે આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. પરંતુ હાલ એઇમ્સ હોસ્પિટલનું કામચલાઉ કેમ્પસ સિવિલમાં ઉભું કરવામાં આવ્યું છે. જેમાં 50 વિદ્યાર્થીઓની પ્રથમ બેચ આજથી શિક્ષણ મેળવશે.