કિસનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું
દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સૌરાષ્ટ્રનાં મોટા ભાગના યાર્ડ બંધ રાખવામાં આવનાર છે.
બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની બમ્પર 1.50 લાખ ગુણીથી વધુની આવક નોંધાઇ
WatchGujarat. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ છે. અને કિસનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. તેમના આંદોલનને ઠેર-ઠેરથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આવતીકાલે રાજકોટ-ગોંડલનાં માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બીજીતરફ આજ રોજ રાજકોટનાં બેડી યાર્ડ ખાતે મગફળીની બમ્પર આવક નોંધાઇ છે. #Rajkot
આ અંગે કમિશન એજન્ટ એસોસિએશનનાં પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સૌરાષ્ટ્રનાં મોટા ભાગના યાર્ડ બંધ રાખવામાં આવનાર છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. તેમજ થોડા કલાકોમાં જસદણ, વાંકાનેર, કાલાવડ, જામજોધપુર સહિતના યાર્ડ અંગે પણ નિર્ણય લેવાશે. ત્યારે ખેડૂતોની માંગને સમર્થન આપવા માટે યાર્ડ બંધ રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે. #Rajkot
બીજી તરફ આજે શહેરનાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની બમ્પર 1.50 લાખ ગુણીથી વધુની આવક નોંધાઇ છે. જેમાં મગફળીના 900થી 1050 સુધીનાં ભાવ બોલાયા હતાં. ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેના કરતા હાલ માર્કેટ યાર્ડમાં વધુ ભાવ મળી રહ્યાં છે. તેમજ ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂતોને એક-બે મહિને રૂપિયા મળે છે. જ્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓ તુરંત જ રૂપિયા આપતા હોઈ ખેડૂતો યાર્ડમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે.
More #Farmer protest #Gujarat #Rajkot News
કિસનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું
દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સૌરાષ્ટ્રનાં મોટા ભાગના યાર્ડ બંધ રાખવામાં આવનાર છે.
WatchGujarat. દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 12મો દિવસ છે. અને કિસનોએ 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે. તેમના આંદોલનને ઠેર-ઠેરથી સમર્થન મળી રહ્યું છે. ત્યારે આવતીકાલે રાજકોટ-ગોંડલનાં માર્કેટિંગ યાર્ડ પણ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. બીજીતરફ આજ રોજ રાજકોટનાં બેડી યાર્ડ ખાતે મગફળીની બમ્પર આવક નોંધાઇ છે. #Rajkot
આ અંગે કમિશન એજન્ટ એસોસિએશનનાં પ્રમુખ અતુલ કમાણીએ જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સૌરાષ્ટ્રનાં મોટા ભાગના યાર્ડ બંધ રાખવામાં આવનાર છે. રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. તેમજ થોડા કલાકોમાં જસદણ, વાંકાનેર, કાલાવડ, જામજોધપુર સહિતના યાર્ડ અંગે પણ નિર્ણય લેવાશે. ત્યારે ખેડૂતોની માંગને સમર્થન આપવા માટે યાર્ડ બંધ રાખવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું છે. #Rajkot
બીજી તરફ આજે શહેરનાં બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની બમ્પર 1.50 લાખ ગુણીથી વધુની આવક નોંધાઇ છે. જેમાં મગફળીના 900થી 1050 સુધીનાં ભાવ બોલાયા હતાં. ટેકાના ભાવે જે ખરીદી થાય છે તેના કરતા હાલ માર્કેટ યાર્ડમાં વધુ ભાવ મળી રહ્યાં છે. તેમજ ટેકાના ભાવે મગફળી વેચનાર ખેડૂતોને એક-બે મહિને રૂપિયા મળે છે. જ્યારે માર્કેટ યાર્ડમાં વેપારીઓ તુરંત જ રૂપિયા આપતા હોઈ ખેડૂતો યાર્ડમાં મગફળી વેચવાનું પસંદ કરી રહ્યા છે.