તપાસ અહેવાલમાં મેડિકલના કોઈ સાધનથી આગ લાગ્યાનું દર્શાવાયું
આગ વેન્ટીલેટરથી લાગી હતી? તેવા સવાલો ઉઠયા
હોસ્પિટલનાં અગ્નિકાંડમાં ચોકકસ તારણ કે કારણ પણ ન મળતા મૃતકોના સ્વજનોમાં વિલાપનો અગ્નિ યથાવત
WatchGujarat. શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડની ACS કક્ષાની તપાસ FSLના ડિટેઈલ રિપોર્ટ વિના જ સંકેલી લેવામાં આવી છે. તેના તપાસ અહેવાલમાં મેડિકલના કોઈ સાધનથી આગ લાગ્યાનું દર્શાવાયું છે. પરંતુ, ક્યું સાધન તે સ્પષ્ટ કહેવાયું નથી. ત્યારે આગ વેન્ટીલેટરથી લાગી હતી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલનાં અગ્નિકાંડમાં ચોકકસ તારણ કે કારણ પણ ન મળતા મૃતકોના સ્વજનોમાં વિલાપનો અગ્નિ યથાવત છે. અને પોલીસે જેને જવાબદાર ઠેરવ્યા હતા તે ડોક્ટર્સ જામીન પર છૂટી ગયા છે. #FSL Report
રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દૂર્ઘટનામાં છ-છ લોકોની જિંદગી છીનવાઈ ગઈ હતી. આ મામલે રાજ્ય સરકારે અધિક સચિવને તપાસ સોંપી તત્કાળ તપાસ અહેવાલ સોંપવાની તાકીદ કરી હતી. છતાં પણ સતત વિલંબ બાદ અંતે ઘટનાના પંદર દિવસ પછી સરકારને અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ નહિં પરંતુ, મેડિકલના સાધનોમાં કોઈ ક્ષતિ હોવાનું જણાવાયું છે. જોકે FSL રિપોર્ટ માટે વિલંબનું કારણ અપાયા બાદ આ રિપોર્ટ વિના જ તપાસ સંકેલી લેવાતા અનેક સવાલો ઉઠયા છે.
આ અંગે એ. કે.રાકેશે જણાવ્યું હતું કે, રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાનો તપાસ અહેવાલ સરકારને સોંપી દેવામાં આવ્યો છે. એફએસએલ અને ઈલેકટ્રીક ઈન્સ્પેકટર સહિતનાં પ્રાથમિક રિપોર્ટનાં અભ્યાસ બાદ એવું તારણ નિકળ્યું છે કે, આગ શોર્ટ સર્કિટથી નહિં પરંતુ, મેડિકલના સાધનોમાં ક્યાંક ક્ષતિ હોવાને કારણે લાગી હતી. સરકારને અહેવાલ સોંપી દેવામાં આવ્યો છે. હવે મારા તરફથી આ મામલે તપાસ પૂરી થઈ છે. આ મામલે જ્યુડીશ્યલ ઈન્કવાયરી ચાલી રહી છે.
More #Uday Shivanand Hospital #Fire accident #Investigation #Report #FSL #Rajkot News
તપાસ અહેવાલમાં મેડિકલના કોઈ સાધનથી આગ લાગ્યાનું દર્શાવાયું
આગ વેન્ટીલેટરથી લાગી હતી? તેવા સવાલો ઉઠયા
હોસ્પિટલનાં અગ્નિકાંડમાં ચોકકસ તારણ કે કારણ પણ ન મળતા મૃતકોના સ્વજનોમાં વિલાપનો અગ્નિ યથાવત
WatchGujarat. શહેરના આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડની ACS કક્ષાની તપાસ FSLના ડિટેઈલ રિપોર્ટ વિના જ સંકેલી લેવામાં આવી છે. તેના તપાસ અહેવાલમાં મેડિકલના કોઈ સાધનથી આગ લાગ્યાનું દર્શાવાયું છે. પરંતુ, ક્યું સાધન તે સ્પષ્ટ કહેવાયું નથી. ત્યારે આગ વેન્ટીલેટરથી લાગી હતી? તેવા સવાલો ઉઠી રહ્યા છે. હોસ્પિટલનાં અગ્નિકાંડમાં ચોકકસ તારણ કે કારણ પણ ન મળતા મૃતકોના સ્વજનોમાં વિલાપનો અગ્નિ યથાવત છે. અને પોલીસે જેને જવાબદાર ઠેરવ્યા હતા તે ડોક્ટર્સ જામીન પર છૂટી ગયા છે. #FSL Report
રાજકોટમાં મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગવાની દૂર્ઘટનામાં છ-છ લોકોની જિંદગી છીનવાઈ ગઈ હતી. આ મામલે રાજ્ય સરકારે અધિક સચિવને તપાસ સોંપી તત્કાળ તપાસ અહેવાલ સોંપવાની તાકીદ કરી હતી. છતાં પણ સતત વિલંબ બાદ અંતે ઘટનાના પંદર દિવસ પછી સરકારને અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં આગ લાગવાનું કારણ શોર્ટસર્કિટ નહિં પરંતુ, મેડિકલના સાધનોમાં કોઈ ક્ષતિ હોવાનું જણાવાયું છે. જોકે FSL રિપોર્ટ માટે વિલંબનું કારણ અપાયા બાદ આ રિપોર્ટ વિના જ તપાસ સંકેલી લેવાતા અનેક સવાલો ઉઠયા છે.
આ અંગે એ. કે.રાકેશે જણાવ્યું હતું કે, રાજકોટની કોવિડ હોસ્પિટલમાં આગની ઘટનાનો તપાસ અહેવાલ સરકારને સોંપી દેવામાં આવ્યો છે. એફએસએલ અને ઈલેકટ્રીક ઈન્સ્પેકટર સહિતનાં પ્રાથમિક રિપોર્ટનાં અભ્યાસ બાદ એવું તારણ નિકળ્યું છે કે, આગ શોર્ટ સર્કિટથી નહિં પરંતુ, મેડિકલના સાધનોમાં ક્યાંક ક્ષતિ હોવાને કારણે લાગી હતી. સરકારને અહેવાલ સોંપી દેવામાં આવ્યો છે. હવે મારા તરફથી આ મામલે તપાસ પૂરી થઈ છે. આ મામલે જ્યુડીશ્યલ ઈન્કવાયરી ચાલી રહી છે.