હાર્દિક પટેલ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની એક મિટિંગ યોજાઈ
ગુજરાતનાં વધુ ખેડૂતો આંદોલનમાં જોડાય તે માટે તખ્તો તૈયાર - પાલ આંબલિયા
WatchGujarat. દિલ્હી ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા સહિતનાં નેતાઓ પણ પહોંચ્યા હતા. આ નેતાઓ હવે ગુજરાતનાં ખેડૂતોને દિલ્હી લઈ પહોંચાડવાનાં નીર્ધાર સાથે પરત ફર્યા છે. ત્યારે આજે રાજકોટમાં કોંગ્રેસની એક બેઠક યોજાઇ હતી. જેમાં દિલ્હીથી પરત ફરેલા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ મિટિંગ પૂર્ણ થયા બાદ પાલ આંબલિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ 10 લાખ કરતા વધારે ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે. અને આ ખેડૂતો 6 મહિના નહીં પણ 6 વર્ષ સુધી ત્યાંથી હટે તેમ નથી.
રાજકોટમાં હાર્દિક પટેલ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની એક મિટિંગ યોજાઈ હતી. આ અંગે આંબલિયાએ કહ્યું હતું કે, ગુજરાતનાં વધુ ખેડૂતો આંદોલનમાં જોડાય તે માટે તખ્તો તૈયાર કરી લેવાયો છે. અને 15 દિવસમાં ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા 10 હજાર ખેડૂતોને દિલ્હી લઈ જવામાં આવનાર છે. આ તકે તેમણે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને કહ્યું હતું કે, એકવખત પોલીસ હટાવીને જુઓ, ગુજરાતનાં ખેડૂતો જ તમને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસને કાંઈ કહેવાની જરૂર પણ નહીં પડે.
દિલ્હી અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, સિંધુ બોર્ડર પર 35 કિમી ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગી છે. તેમનો સામાન જોતા એવું લાગી રહ્યું છે કે આ લડાઈ વર્ષો સુધી ચાલે તો પણ તેઓ થાકે એમ નથી. છેલ્લા ચાર દિવસથી રાજસ્થાન-હરિયાણા બોર્ડર ચાલુ થઈ છે. પરંતુ ત્યાં પણ ખેડૂતોએ બે કિલોમીટર સુધીની લાઈનો લગાવી દીધી છે. તેમજ 10થી 12 લાખ જેટલા ખેડૂતો આંદોલનમાં જોડાયા હોવાની સાથે કૃષિ બિલો પરત નહીં ખેંચાય ત્યાંસુધી આંદોલન ચાલુ રહેવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
કૃષિમંત્રીએ આપેલી ચેલેન્જ સ્વીકારતા તેમણે કહ્યું હતું કે, કૃષિમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ગેરફાયદો ગણાવે તો રાજીનામું આપી દઈશ. તો કૃષિમંત્રીની ચેલેન્જ સ્વીકારૂ છું. તેઓ કહે ત્યાં જઈશ અને તેઓ થાકી જાય એટલા ગેરફાયદા ગણાવીશ. સાથે પોતે ટ્વીટરનાં માધ્યમથી પણ કૃષિમંત્રીને આ અંગે કહેવા છતાં કોઈ જવાબ ન આવ્યો હોવાનું પણ આંબલિયાએ કહ્યું હતું.
હાર્દિક પટેલ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની એક મિટિંગ યોજાઈ
ગુજરાતનાં વધુ ખેડૂતો આંદોલનમાં જોડાય તે માટે તખ્તો તૈયાર - પાલ આંબલિયા
WatchGujarat. દિલ્હી ખાતે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જેમાં ગુજરાત કિસાન કોંગ્રેસ પ્રમુખ પાલ આંબલિયા સહિતનાં નેતાઓ પણ પહોંચ્યા હતા. આ નેતાઓ હવે ગુજરાતનાં ખેડૂતોને દિલ્હી લઈ પહોંચાડવાનાં નીર્ધાર સાથે પરત ફર્યા છે. ત્યારે આજે રાજકોટમાં કોંગ્રેસની એક બેઠક યોજાઇ હતી. જેમાં દિલ્હીથી પરત ફરેલા નેતાઓ પણ હાજર રહ્યા હતા. આ મિટિંગ પૂર્ણ થયા બાદ પાલ આંબલિયાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ 10 લાખ કરતા વધારે ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન ચલાવી રહ્યા છે. અને આ ખેડૂતો 6 મહિના નહીં પણ 6 વર્ષ સુધી ત્યાંથી હટે તેમ નથી.
રાજકોટમાં હાર્દિક પટેલ, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરૂ અને ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાની એક મિટિંગ યોજાઈ હતી. આ અંગે આંબલિયાએ કહ્યું હતું કે, ગુજરાતનાં વધુ ખેડૂતો આંદોલનમાં જોડાય તે માટે તખ્તો તૈયાર કરી લેવાયો છે. અને 15 દિવસમાં ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા 10 હજાર ખેડૂતોને દિલ્હી લઈ જવામાં આવનાર છે. આ તકે તેમણે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાને કહ્યું હતું કે, એકવખત પોલીસ હટાવીને જુઓ, ગુજરાતનાં ખેડૂતો જ તમને જડબાતોડ જવાબ આપશે. કોંગ્રેસને કાંઈ કહેવાની જરૂર પણ નહીં પડે.
દિલ્હી અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, સિંધુ બોર્ડર પર 35 કિમી ટ્રેક્ટરની લાંબી લાઈનો લાગી છે. તેમનો સામાન જોતા એવું લાગી રહ્યું છે કે આ લડાઈ વર્ષો સુધી ચાલે તો પણ તેઓ થાકે એમ નથી. છેલ્લા ચાર દિવસથી રાજસ્થાન-હરિયાણા બોર્ડર ચાલુ થઈ છે. પરંતુ ત્યાં પણ ખેડૂતોએ બે કિલોમીટર સુધીની લાઈનો લગાવી દીધી છે. તેમજ 10થી 12 લાખ જેટલા ખેડૂતો આંદોલનમાં જોડાયા હોવાની સાથે કૃષિ બિલો પરત નહીં ખેંચાય ત્યાંસુધી આંદોલન ચાલુ રહેવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
કૃષિમંત્રીએ આપેલી ચેલેન્જ સ્વીકારતા તેમણે કહ્યું હતું કે, કૃષિમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ગેરફાયદો ગણાવે તો રાજીનામું આપી દઈશ. તો કૃષિમંત્રીની ચેલેન્જ સ્વીકારૂ છું. તેઓ કહે ત્યાં જઈશ અને તેઓ થાકી જાય એટલા ગેરફાયદા ગણાવીશ. સાથે પોતે ટ્વીટરનાં માધ્યમથી પણ કૃષિમંત્રીને આ અંગે કહેવા છતાં કોઈ જવાબ ન આવ્યો હોવાનું પણ આંબલિયાએ કહ્યું હતું.