વંથલી તાલુકાના ધણફૂલિયા ગામે ગઇકાલે રાત્રે બે સિંહોએ મજૂર પરિવારની બે બહેનો પર ઘાતકી હુમલો કર્યો હતો
સમગ્ર વિસ્તાર સામાજીક વનીકરણ હેઠળ આવતો હોઇ તેના અધિકારીઓ સિંહને પાંજરે પૂરવા કવાયત કરી હતી
WatchGujarat. વંથલી તાલુકાના ધણફૂલિયા ગામે એક 17 વર્ષિય સગીરાને ફાડી ખાનાર આદમખોર સિંહો મેંદરડાની નજીકના જ વિસ્તારમાંથી પાંજરે પૂરાઇ ગયા છે. જે બંન્ને જૂનાગઢ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ, વંથલી તાલુકાના ધણફૂલિયા ગામે ગઇકાલે રાત્રે બે સિંહોએ મજૂર પરિવારની બે બહેનો પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં નાની બહેને કૂવામાં કૂદકો મારતાં તેનું જીવ બચ્યું હતું. જ્યારે મોટી બહેન આ આદમખોર સિંહ નો શિકાર બની હતી. #Junagadh
આ આદમખોર બંન્ને સિંહોને પકડવા વનવિભાગે ઠેરઠેર પાંજરા ગોઠવ્યા હતા. બંન્ને મેંદરડા અનાજના ગોડાઉન પાસેથી પાંજરામાં પુરાયા છે. જેથી વનપાલ ચોટલિયા, વનરક્ષક ખાચર, સાહિલ, હર્ષદ ચાવડા, કે. કે. પારગી, ટ્રેકર રામભાઇ અને નવલભાઇએ સિંહ ને લોકેટ કરી સિંહને પાંજરે પુરી સફળતા મેળવી હતી. માનવભક્ષી બનેલા સિંહોને વનવિભાગ સામાન્ય રીતે આજીવન કેદમાં મોકલી દે છે.આ સમગ્ર વિસ્તાર સામાજીક વનીકરણ હેઠળ આવતો હોઇ તેના અધિકારીઓ સિંહને પાંજરે પૂરવા કવાયત કરી હતી. મધ્ય ગુજરાતના તેમજ પરપ્રાંતિય મજૂરોની ખેતીકામ માટે મોટા પ્રમાણમાં આવી ગયા છે. આથી તેઓમાં ભયનો માહોલ છવાયો છે.#Junagadh
વન વિભાગ નાં એક અધિકારી એ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સિંહ ને ખેડુત નો મિત્ર ગણવા માં આવે છે. પરંતુ અમુક એવી સ્થિતિ છે. જ્યારે તેઓ મનુષ્ય પર હુમલો કરતા હોય છે, જેમ કે મરણ પર થી જો સિંહ ને ભગાડવામાં આવે તો સિંહ હુમલો કરતા હોય છે. આ ઉપરાંત જ્યારે સિંહોનાં મેટીંગ પીરીયડમાં દખલ કરવામાં આવે તો સિંહ હુમલો કરે છે. પરંતુ આ કેસમાં સિંહે જે બાળકી નું મારણ કર્યું હતુ. તેણીએ કાળો કોટ પહેરી રાખ્યો હતો. આથી શક્ય છે કે સિંહ તેણીને પાડું કે કોઈ પ્રાણી સમજી લીધી હોય અને હુમલો કર્યો હોય
More #Junagadh #Man-eater lion #Caged #by forest #department #Gujaratinews #WatchGujarat
વંથલી તાલુકાના ધણફૂલિયા ગામે ગઇકાલે રાત્રે બે સિંહોએ મજૂર પરિવારની બે બહેનો પર ઘાતકી હુમલો કર્યો હતો
સમગ્ર વિસ્તાર સામાજીક વનીકરણ હેઠળ આવતો હોઇ તેના અધિકારીઓ સિંહને પાંજરે પૂરવા કવાયત કરી હતી
WatchGujarat. વંથલી તાલુકાના ધણફૂલિયા ગામે એક 17 વર્ષિય સગીરાને ફાડી ખાનાર આદમખોર સિંહો મેંદરડાની નજીકના જ વિસ્તારમાંથી પાંજરે પૂરાઇ ગયા છે. જે બંન્ને જૂનાગઢ ઝૂ ખાતે ખસેડવામાં આવ્યા હતા.જાણવા મળતી વિગતો મુજબ, વંથલી તાલુકાના ધણફૂલિયા ગામે ગઇકાલે રાત્રે બે સિંહોએ મજૂર પરિવારની બે બહેનો પર ઘાતકી હુમલો કર્યો હતો. જેમાં નાની બહેને કૂવામાં કૂદકો મારતાં તેનું જીવ બચ્યું હતું. જ્યારે મોટી બહેન આ આદમખોર સિંહ નો શિકાર બની હતી. #Junagadh
આ આદમખોર બંન્ને સિંહોને પકડવા વનવિભાગે ઠેરઠેર પાંજરા ગોઠવ્યા હતા. બંન્ને મેંદરડા અનાજના ગોડાઉન પાસેથી પાંજરામાં પુરાયા છે. જેથી વનપાલ ચોટલિયા, વનરક્ષક ખાચર, સાહિલ, હર્ષદ ચાવડા, કે. કે. પારગી, ટ્રેકર રામભાઇ અને નવલભાઇએ સિંહ ને લોકેટ કરી સિંહને પાંજરે પુરી સફળતા મેળવી હતી. માનવભક્ષી બનેલા સિંહોને વનવિભાગ સામાન્ય રીતે આજીવન કેદમાં મોકલી દે છે.આ સમગ્ર વિસ્તાર સામાજીક વનીકરણ હેઠળ આવતો હોઇ તેના અધિકારીઓ સિંહને પાંજરે પૂરવા કવાયત કરી હતી. મધ્ય ગુજરાતના તેમજ પરપ્રાંતિય મજૂરોની ખેતીકામ માટે મોટા પ્રમાણમાં આવી ગયા છે. આથી તેઓમાં ભયનો માહોલ છવાયો છે.#Junagadh
વન વિભાગ નાં એક અધિકારી એ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સિંહ ને ખેડુત નો મિત્ર ગણવા માં આવે છે. પરંતુ અમુક એવી સ્થિતિ છે. જ્યારે તેઓ મનુષ્ય પર હુમલો કરતા હોય છે, જેમ કે મરણ પર થી જો સિંહ ને ભગાડવામાં આવે તો સિંહ હુમલો કરતા હોય છે. આ ઉપરાંત જ્યારે સિંહોનાં મેટીંગ પીરીયડમાં દખલ કરવામાં આવે તો સિંહ હુમલો કરે છે. પરંતુ આ કેસમાં સિંહે જે બાળકી નું મારણ કર્યું હતુ. તેણીએ કાળો કોટ પહેરી રાખ્યો હતો. આથી શક્ય છે કે સિંહ તેણીને પાડું કે કોઈ પ્રાણી સમજી લીધી હોય અને હુમલો કર્યો હોય
More #Junagadh #Man-eater lion #Caged #by forest #department #Gujaratinews #WatchGujarat