WatchGujarat. દિવાળીમાં મળેલી છૂટછાટ બાદ કોરોનાનાં કેસોનો રાફડો ફાટ્યો હતો. ત્યારે હવેનાં તહેવારોમાં સરકાર અને પોલીસ આ મામલે કોઈ ઢીલ રાખવા માંગતી નથી. જેને પગલે જ આવનારા ઉત્તરાયણનાં તહેવારોને લઈને એક મહિના પૂર્વે જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આ તહેવારની ઉજવણીમાં કઇ-કઇ બાબતે સાવધાની રાખવી તેની સૂચનાઓ આપવામાં આવી છે. #ઉત્તરાયણ
પોલીસ કમિશ્નરનાં આ જાહેરનામા મુજબ, પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રાખવાની ખાસ સૂચના અપાઈ છે. રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડ ફટકારવામાં આવશે. તેમજ ચાઈનીઝ દોરા, તુક્કલ ખરીદનાર અને વેંચનાર સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. 18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.
પોલીસ કમિશ્નરનાં જાહેરનામાની મુખ્ય જોગવાઈ -
રાજકોટમાં કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તામાં પતંગ ઉડાવી નહિ શકે.
ભયજનક ધાબા પર પણ પતંગ ઉડાવી શકાશે નહિ તેવી પણ સૂચના આપવામાં આવી છે.
ખૂબ જ મોટા અવાજ સાથે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહિ
લોકોની લાગણી દુભાય તેવા લખાણવાળી પતંગ ઉડાવી શકાશે નહિ
હાથમાં મોટા ઝંડાઓ અને વાંસના બામ્બૂ લઇ કપાયેલી પતંગ લૂંટવા દોડાદોડી કરી શકાશે નહિ
જાહેરમાર્ગો પર ઘાસચારાનું વેચાણ કરી શકાશે નહિ
જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે
More #Public #Notice #Kite Flying #Festival #Rajkot News
WatchGujarat.દિવાળીમાં મળેલી છૂટછાટ બાદ કોરોનાનાં કેસોનો રાફડો ફાટ્યો હતો. ત્યારે હવેનાં તહેવારોમાં સરકાર અને પોલીસ આ મામલે કોઈ ઢીલ રાખવા માંગતી નથી. જેને પગલે જ આવનારા ઉત્તરાયણનાં તહેવારોને લઈને એક મહિના પૂર્વે જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આ તહેવારની ઉજવણીમાં કઇ-કઇ બાબતે સાવધાની રાખવી તેની સૂચનાઓ આપવામાં આવી છે. #ઉત્તરાયણ
પોલીસ કમિશ્નરનાં આ જાહેરનામા મુજબ, પતંગ ચગાવતી વખતે સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી રાખવાની ખાસ સૂચના અપાઈ છે. રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડ ફટકારવામાં આવશે. તેમજ ચાઈનીઝ દોરા, તુક્કલ ખરીદનાર અને વેંચનાર સામે કાર્યવાહી કરવામાં આવનાર હોવાનું પણ જણાવાયું છે. 18 ડિસેમ્બરથી તા.16જાન્યુઆરી સુધી આ જાહેરનામું અમલમાં રહેશે.