શરૂઆતથી જ પોલીસને બનાવ અપહરણનો નહીં હોવાની શંકા હતી, જે સાચી ઠરી
કરણની પત્ની અને તેના પિતરાઈ એભલ ગોગરાને કોઈએ કોલ કરી કરણને છરીના ઘા મારી અજાણ્યા શખ્સો ફોર વ્હીલરમાં ઉપાડી ગયાની જાણ કરી
WatchGujarat. શહેરનાં મવડી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અને શેરબજારનું કામ કરતા કરણ પુનાભાઈ ગોગરા નામના 24 વર્ષના યુવાનનું અપહરણ થયાની ગઈ તા.30ના રોજ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. શરૂઆતથી જ પોલીસને બનાવ અપહરણનો નહીં હોવાની શંકા હતી, જે સાચી ઠરી છે. કરણ જાતે જ ભાગી ગયો હતો. તેને ક્રાઈમ બ્રાંચે મુંબઈથી શોધી લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ દેણું થઈ જતાં તેણે જાતે પોતાના અપહરણનું નાટક રચ્યાનું બહાર આવ્યું છે. આમ છતાં તેની પૂછપરછમાં સાચું કારણ બહાર આવશે. #Rajkot
કરણની પત્ની અને તેના પિતરાઈ એભલ ગોગરાને કોઈએ કોલ કરી કરણને છરીના ઘા મારી અજાણ્યા શખ્સો ફોર વ્હીલરમાં ઉપાડી ગયાની જાણ કરી હતી. એટલું જ નહીં તેનો મોબાઈલ અને બાઈક ક્યાં પડયા છે તેનું લોકેશન પણ આપ્યું હતું. જેથી પોલીસે તપાસ કરતા તેનું બાઈક અને મોબાઈલ અવધના ઢાળિયા પાસેથી મળી આવ્યું હતું. જેને કારણે શરૂઆતથી જ તેનું અપહરણ નહીં થયાની શંકા પોલીસને હતી. આમ છતાં ફરિયાદ અપહરણની હોવાથી તાલુકા પોલીસે ગંભીરતાથી લઈ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું. #Rajkot
ક્રાઈમ બ્રાંચે પણ આખરે તપાસમાં ઝુંકાવ્યું હતું. અને મોબાઈલના સર્વેલન્સના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા કરણનું મુંબઈમાં લોકેશન મળતા તેને વસઈ અને બોરીવલી વચ્ચેથી ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટથી તે અમદાવાદ ગયો હતો, એસજી હાઈ-વે પરની હોટલમાં બે દિવસ રોકાઈ મુંબઈ જતો રહ્યો હતો. અમદાવાદમાંથી તેણે આધારકાર્ડના આધારે નવું સીમકાર્ડ ખરીદ્યું હતું. તેનું લોકેશન મુંબઈ મળતા ક્રાઈમ બ્રાંચની એક ટીમ ત્યાં દોડી ગઈ હતી. તેને લઈ ક્રાઈમ બ્રાંચની ટીમ રાજકોટ આવવા રવાના થઈ ગઈ છે.
More #Rajkot #self #kidnap #conspiracy #caught #by crime #branch #Gujaratinews #Watchgujarat
શરૂઆતથી જ પોલીસને બનાવ અપહરણનો નહીં હોવાની શંકા હતી, જે સાચી ઠરી
કરણની પત્ની અને તેના પિતરાઈ એભલ ગોગરાને કોઈએ કોલ કરી કરણને છરીના ઘા મારી અજાણ્યા શખ્સો ફોર વ્હીલરમાં ઉપાડી ગયાની જાણ કરી
WatchGujarat. શહેરનાં મવડી પ્રજાપતિ સોસાયટીમાં રહેતા અને શેરબજારનું કામ કરતા કરણ પુનાભાઈ ગોગરા નામના 24 વર્ષના યુવાનનું અપહરણ થયાની ગઈ તા.30ના રોજ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. શરૂઆતથી જ પોલીસને બનાવ અપહરણનો નહીં હોવાની શંકા હતી, જે સાચી ઠરી છે. કરણ જાતે જ ભાગી ગયો હતો. તેને ક્રાઈમ બ્રાંચે મુંબઈથી શોધી લીધો છે. પ્રાથમિક માહિતી મુજબ દેણું થઈ જતાં તેણે જાતે પોતાના અપહરણનું નાટક રચ્યાનું બહાર આવ્યું છે. આમ છતાં તેની પૂછપરછમાં સાચું કારણ બહાર આવશે. #Rajkot
કરણની પત્ની અને તેના પિતરાઈ એભલ ગોગરાને કોઈએ કોલ કરી કરણને છરીના ઘા મારી અજાણ્યા શખ્સો ફોર વ્હીલરમાં ઉપાડી ગયાની જાણ કરી હતી. એટલું જ નહીં તેનો મોબાઈલ અને બાઈક ક્યાં પડયા છે તેનું લોકેશન પણ આપ્યું હતું. જેથી પોલીસે તપાસ કરતા તેનું બાઈક અને મોબાઈલ અવધના ઢાળિયા પાસેથી મળી આવ્યું હતું. જેને કારણે શરૂઆતથી જ તેનું અપહરણ નહીં થયાની શંકા પોલીસને હતી. આમ છતાં ફરિયાદ અપહરણની હોવાથી તાલુકા પોલીસે ગંભીરતાથી લઈ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, પરંતુ કોઈ પરિણામ મળ્યું ન હતું. #Rajkot
ક્રાઈમ બ્રાંચે પણ આખરે તપાસમાં ઝુંકાવ્યું હતું. અને મોબાઈલના સર્વેલન્સના આધારે ક્રાઈમ બ્રાંચે તપાસ કરતા કરણનું મુંબઈમાં લોકેશન મળતા તેને વસઈ અને બોરીવલી વચ્ચેથી ઝડપી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજકોટથી તે અમદાવાદ ગયો હતો, એસજી હાઈ-વે પરની હોટલમાં બે દિવસ રોકાઈ મુંબઈ જતો રહ્યો હતો. અમદાવાદમાંથી તેણે આધારકાર્ડના આધારે નવું સીમકાર્ડ ખરીદ્યું હતું. તેનું લોકેશન મુંબઈ મળતા ક્રાઈમ બ્રાંચની એક ટીમ ત્યાં દોડી ગઈ હતી. તેને લઈ ક્રાઈમ બ્રાંચની ટીમ રાજકોટ આવવા રવાના થઈ ગઈ છે.