શનિવારે હનુમાનજી દાદાને ગામડાની પ્રાચીન સંસ્કૃતિ મુજબ શણગારવામાં આવ્યા
વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક સાથેનો થાળ ધરાવાયો
WatchGujarat. વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને રોટલા ના થાળ ઉત્સવ ની ઉજવણી કરાઈ . વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક સાથેનો થાળ હનુમાનજી દાદા ને ધરવામાં આવ્યો.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલું સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિર દેશ-દુનિયામાં ખુબ જ પ્રચલીત છે. સાળંગપુર હનુમાનજીના મંદિરે બારેય માસ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ શનિવાર અને મંગળવારે અહિંયા ભક્તોના વિશેષ હાજરી જોવા મળે છે.
હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે. શનિવારે હનુમાનજી દાદાને ગામડાની પ્રાચીન સંસ્કૃતિ મુજબ શણગારવામાં આવ્યા હતા. સૌ પ્રથમ વખત પવિત્ર ધનુર માસમાં ભવ્ય અને દિવ્ય વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક તેમજ પાપડ ,છાસ ,સલાડ સહિત સાથેનો થાળ હનુમાનજી દાદા ધરાવવામાં આવ્યો હતો .
ખાસ કરીને ગામડામાં સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે આ પ્રકાર નું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ હરી ભક્તોએ રોટલાના થાળ ઉત્સવ સાથે દાદાના દર્શન કર્યા હતા .
More #કષ્ટભંજન હનુમાન #Salangpur temple #Gujaratinews #WatchGujarat
શનિવારે હનુમાનજી દાદાને ગામડાની પ્રાચીન સંસ્કૃતિ મુજબ શણગારવામાં આવ્યા
વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક સાથેનો થાળ ધરાવાયો
WatchGujarat. વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે પવિત્ર ધનુર માસ નિમિતે સૌ પ્રથમ વાર દાદાને રોટલા ના થાળ ઉત્સવ ની ઉજવણી કરાઈ . વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક સાથેનો થાળ હનુમાનજી દાદા ને ધરવામાં આવ્યો.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલું સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મદિર દેશ-દુનિયામાં ખુબ જ પ્રચલીત છે. સાળંગપુર હનુમાનજીના મંદિરે બારેય માસ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે. પરંતુ શનિવાર અને મંગળવારે અહિંયા ભક્તોના વિશેષ હાજરી જોવા મળે છે.
હાલ પવિત્ર ધનુર માસ ચાલી રહ્યો છે. જેમાં અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવતા હોય છે. શનિવારે હનુમાનજી દાદાને ગામડાની પ્રાચીન સંસ્કૃતિ મુજબ શણગારવામાં આવ્યા હતા. સૌ પ્રથમ વખત પવિત્ર ધનુર માસમાં ભવ્ય અને દિવ્ય વિવિધ પ્રકારના 51 ધાન્યના રોટલા તેમજ અલગ અલગ 30 પ્રકારના શાક તેમજ પાપડ ,છાસ ,સલાડ સહિત સાથેનો થાળ હનુમાનજી દાદા ધરાવવામાં આવ્યો હતો .
ખાસ કરીને ગામડામાં સ્વાસ્થ્ય જળવાય રહે તે માટે આ પ્રકાર નું આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ હરી ભક્તોએ રોટલાના થાળ ઉત્સવ સાથે દાદાના દર્શન કર્યા હતા .
More #કષ્ટભંજન હનુમાન #Salangpur temple #Gujaratinews #WatchGujarat