આજીડેમ નજીક પાંચેક મહિનાઓ પૂર્વે બ્રીજની દિવાલ અચાનક ધરાશાયી થવાની ઘટના ઘટી હતી
ગંભીર મામલે હવે છેક બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર તેમજ એન્જિનિયર સામે ફોજદારી ફરિયાદ દાખલ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફરિયાદી બન્યાં
રાજકોટ. શહેરનાં આજીડેમ નજીક પાંચેક મહિનાઓ પૂર્વે બ્રીજની દિવાલ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં બે રાહદારીઓનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ગંભીર મામલે હવે બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર તેમજ એન્જિનિયર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફરિયાદી બન્યાં છે.
જાણવા મળતી વિગત પ્રમાણે, મેજીસ્ટેરિયલ તપાસનો રિપોર્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ન્યૂ દિલ્હીને મોકલાયા બાદ આદેશ થતાં રાજકોટના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફરિયાદી બન્યાં છે. અને બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર-એન્જિનિયર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે બે-બે માસુમ રાહદારીઓનાં મોત માટેનાં આ બંને જવાબદારો સામે ક્યારે અને શું પગલાં લેવાશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
આજીડેમ પોલીસે આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં પ્રોજેકટ ડાયરેકટર પંકજકુમાર રોયની ફરિયાદ પરથી રાજકોટની એલ્સામેક્ષ મેઇન્ટનન્સ સર્વિસ લિ. ધી આઇએલ, અમદાવાદની એમ.આઇ. સાઇ કન્સલ્ટીંગ એન્જિનીયર્સ પ્રા. લિ. અને મુંબઇની એમ.એમ. વાડીયા ટેકનો એન્જિનિયર સર્વિસ લિ. વરદ એસો. સામે IPC 304, 114 મુજબ ગુનો નોંધાયો છે. જેમાં આ આજીડેમ બ્રીજનાં સર્વિસ રોડની દિવાલની ડિઝાઇન અસુરક્ષિત અને ખામીયુક્ત રીતે તૈયાર કરી દિવાલના બાંધકામમાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરી યોગ્ય બાંધકામ ન કરાયું હોવાનો આરોપ મુકાયો છે. સાથે જ સમયાંતરે દિવાલનું સમારકામ પણ ન કરાયું હોવાથી દુર્ઘટના થઈ હોવાનું જણાવાયું છે.
જાણો શુ હતો સમગ્ર મામલો
ગત જૂન મહિનામાં આજીડેમ ચોકડીના ઓવરબ્રિજની જમણી સાઇડની દિવાલનો આશરે 15 મીટર જેટલો ભાગ એકાએક તૂટી પડ્યો હતો. જેમાં ત્યાંથી પસાર થઈ રહેલા બે યુવાન તેના વાહન સહિત દબાઈ જતાં બંનેના મોત નિપજયા હતાં. તેમજ આ સમગ્ર મામલે મેજીસ્ટેરિયલ તપાસના આદેશ કર્યા બાદ તેનો પ્રાથમિક અહેવાલ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીને મોકલી અપાયો હતો. તેના આદેશ અનુસંધાને આ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
ગંભીર મામલે હવે છેક બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર તેમજ એન્જિનિયર સામે ફોજદારી ફરિયાદ દાખલ
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફરિયાદી બન્યાં
રાજકોટ. શહેરનાં આજીડેમ નજીક પાંચેક મહિનાઓ પૂર્વે બ્રીજની દિવાલ અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી હતી. જેમાં બે રાહદારીઓનાં ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. આ ગંભીર મામલે હવે બેદરકારી દાખવવા બદલ કોન્ટ્રાક્ટર તેમજ એન્જિનિયર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફરિયાદી બન્યાં છે.
જાણવા મળતી વિગત પ્રમાણે, મેજીસ્ટેરિયલ તપાસનો રિપોર્ટ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા ન્યૂ દિલ્હીને મોકલાયા બાદ આદેશ થતાં રાજકોટના નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટર ફરિયાદી બન્યાં છે. અને બેદરકારી બદલ કોન્ટ્રાક્ટર-એન્જિનિયર સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો કે બે-બે માસુમ રાહદારીઓનાં મોત માટેનાં આ બંને જવાબદારો સામે ક્યારે અને શું પગલાં લેવાશે તેના પર સૌ કોઈની મીટ મંડાયેલી છે.
આજીડેમ પોલીસે આ અંગે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાનાં પ્રોજેકટ ડાયરેકટર પંકજકુમાર રોયની ફરિયાદ પરથી રાજકોટની એલ્સામેક્ષ મેઇન્ટનન્સ સર્વિસ લિ. ધી આઇએલ, અમદાવાદની એમ.આઇ. સાઇ કન્સલ્ટીંગ એન્જિનીયર્સ પ્રા. લિ. અને મુંબઇની એમ.એમ. વાડીયા ટેકનો એન્જિનિયર સર્વિસ લિ. વરદ એસો. સામે IPC 304, 114 મુજબ ગુનો નોંધાયો છે. જેમાં આ આજીડેમ બ્રીજનાં સર્વિસ રોડની દિવાલની ડિઝાઇન અસુરક્ષિત અને ખામીયુક્ત રીતે તૈયાર કરી દિવાલના બાંધકામમાં નબળી ગુણવત્તાના મટિરિયલનો ઉપયોગ કરી યોગ્ય બાંધકામ ન કરાયું હોવાનો આરોપ મુકાયો છે. સાથે જ સમયાંતરે દિવાલનું સમારકામ પણ ન કરાયું હોવાથી દુર્ઘટના થઈ હોવાનું જણાવાયું છે.
જાણો શુ હતો સમગ્ર મામલો
ગત જૂન મહિનામાં આજીડેમ ચોકડીના ઓવરબ્રિજની જમણી સાઇડની દિવાલનો આશરે 15 મીટર જેટલો ભાગ એકાએક તૂટી પડ્યો હતો. જેમાં ત્યાંથી પસાર થઈ રહેલા બે યુવાન તેના વાહન સહિત દબાઈ જતાં બંનેના મોત નિપજયા હતાં. તેમજ આ સમગ્ર મામલે મેજીસ્ટેરિયલ તપાસના આદેશ કર્યા બાદ તેનો પ્રાથમિક અહેવાલ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ન્યૂ દિલ્હીને મોકલી અપાયો હતો. તેના આદેશ અનુસંધાને આ ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.