મૃતક કમાન્ડોના મામા ભરતભાઈ બારડ તેમના પાર્થિવ દેહને એમપી લેવા ગયા હતા
તમામ એજન્સીઓએ કમાન્ડોનાં મોતની તપાસ અને પીએમને લઈ ગંભીર બેદરકારી રાખી
કોડીનાર. બિહાર રેજીમેન્ટ 5નાં CRPF કોબ્રા કમાન્ડોનો પાર્થિવ દેહ આજરોજ આખરે માદરે વતન પહોંચ્યો હતો. જ્યાં તેમની વિશાળ અંતિમયાત્રા પણ નિકળી હતી. આ શોકની ઘડીએ શહેર સ્વયંભૂ રીતે સજ્જડ બંધ રહ્યું હતું. અને સ્થાનિક નેતાઓ સહિત હજારોની સંખ્યામાં લોકો આ જવાનની અંતિમયાત્રામાં જોડાયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મૃતક કમાન્ડોના મામા ભરતભાઈ બારડ તેમના પાર્થિવ દેહને એમપી લેવા પહોંચ્યા હતા. તેઓએ એમપી પોલીસ રેલવે પોલીસ અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યો છે. કે તમામ એજન્સીઓએ કમાન્ડોનાં મોતની તપાસ અને પીએમને લઈ ગંભીર બેદરકારી રાખી છે. એટલું જ નહિ બોડી આપવા અને પેનલ પીએમ કરવામાં પણ આનાકાની કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. આ સાથે જ 'સીઆરપીએફ ખુદ આ મોતમાં સામેલ હોય તેવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે.
https://twitter.com/WatchGujarat/status/1329045303769501696?s=19
જો કે આ જવાનની અંતિમયાત્રામાં જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ જોડાયા હતા. રાજેશભાઈ ચુડાસમાએ પણ મૃતક કમાન્ડોનાં પરિવારને આશ્વાસન આપ્યું છે કે, કમાન્ડોનાં મોતની તટસ્થ તપાસ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે. તેમજ ગૃહ મંત્રી સહીત ઉપરી અધિકારીઓ સુધી વાત પણ કરી હોવાનું કહી મોતની હકીકત બહાર લાવવાની ખાતરી પણ તેઓએ આપી છે. આ તકે કરણીસેનાનાં આગેવાનો ઉપરાંત ગાંધીનગર સીઆરપીએફ જવાનો સહિત સૌરાષ્ટ્ર અને કચ્છનાં એક્સ આર્મીમેન પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
મૃતક કમાન્ડોના મામા ભરતભાઈ બારડ તેમના પાર્થિવ દેહને એમપી લેવા ગયા હતા
તમામ એજન્સીઓએ કમાન્ડોનાં મોતની તપાસ અને પીએમને લઈ ગંભીર બેદરકારી રાખી
કોડીનાર. બિહાર રેજીમેન્ટ 5નાં CRPF કોબ્રા કમાન્ડોનો પાર્થિવ દેહ આજરોજ આખરે માદરે વતન પહોંચ્યો હતો. જ્યાં તેમની વિશાળ અંતિમયાત્રા પણ નિકળી હતી. આ શોકની ઘડીએ શહેર સ્વયંભૂ રીતે સજ્જડ બંધ રહ્યું હતું. અને સ્થાનિક નેતાઓ સહિત હજારોની સંખ્યામાં લોકો આ જવાનની અંતિમયાત્રામાં જોડાયા હતા.
જાણવા મળતી વિગતો મુજબ મૃતક કમાન્ડોના મામા ભરતભાઈ બારડ તેમના પાર્થિવ દેહને એમપી લેવા પહોંચ્યા હતા. તેઓએ એમપી પોલીસ રેલવે પોલીસ અને પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યો છે. કે તમામ એજન્સીઓએ કમાન્ડોનાં મોતની તપાસ અને પીએમને લઈ ગંભીર બેદરકારી રાખી છે. એટલું જ નહિ બોડી આપવા અને પેનલ પીએમ કરવામાં પણ આનાકાની કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું છે. આ સાથે જ 'સીઆરપીએફ ખુદ આ મોતમાં સામેલ હોય તેવી આશંકા પણ તેમણે વ્યક્ત કરી છે.
જો કે આ જવાનની અંતિમયાત્રામાં જૂનાગઢનાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા પણ જોડાયા હતા. રાજેશભાઈ ચુડાસમાએ પણ મૃતક કમાન્ડોનાં પરિવારને આશ્વાસન આપ્યું છે કે, કમાન્ડોનાં મોતની તટસ્થ તપાસ કરવા ઉચ્ચ કક્ષાએ રજુઆત કરાશે. તેમજ ગૃહ મંત્રી સહીત ઉપરી અધિકારીઓ સુધી વાત પણ કરી હોવાનું કહી મોતની હકીકત બહાર લાવવાની ખાતરી પણ તેઓએ આપી છે. આ તકે કરણીસેનાનાં આગેવાનો ઉપરાંત ગાંધીનગર સીઆરપીએફ જવાનો સહિત સૌરાષ્ટ્ર અને કચ્છનાં એક્સ આર્મીમેન પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.