પોલીસે તેમની મંજૂરી વિના જવાનનાં મૃતદેહને દફનાવી દીધો હોવાનો આરોપ બાદ વિવાદ
રતાલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માંગ
કોડીનાર. બિહાર રેજિમેન્ટનાં CRPF કોબરા કમાન્ડો અજીતસિંહ પરમારનાં મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પોલીસે તેમની મંજૂરી વિના જવાનનાં મૃતદેહને દફનાવી દીધો હોવાનો આરોપ પરિવાર દ્વારા લગાવાયો છે. અને રતાલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરી છે. જેને પગલે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. ત્યારે જવાનનાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી.
નોંધનીય છે કે, અજીતસિંહ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં પોતાના વતન કોડીનાર આવી રહ્યા હતા. 13 નવેમ્બરના રોજ તેઓ ટ્રેનમાં રવાના થયા બાદ ગુમ થયા હતા. તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશનથી મળી આવ્યો હતો. જેથી 14 નવેમ્બરનાં રોજ પરિવારજનોએ ટ્વિટ કરી તેમના ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને કરી હતી.
પરિવારજનોનાં કહેવા મુજબ, અજીતસિંહ દિલ્હી- વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી પોતાના વતન આવી રહ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાતે 11 વાગ્યે અજીતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે, હવે મને નીંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ. પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો. આથી હિનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહીં.
એ બાદમાં મુંબઈ રેલવે સ્ટેશન પરથી તેમનો સામાન મળ્યો પણ તેઓ સાથે નહોતા. જેને પગલે પરિવારજનોનાં ટ્વિટ બાદ 15 નવેમ્બરે સવારે રતલામ ડિવિઝન પાસે રેલવે-ટ્રેક પરથી તેનો મૃતદેહ મળ્યો હતો. આથી RPF દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી. તેમજ મૃતદેહનાં ફોટોગ્રાફ્સ પરિવારને મોકલી ઓળખ પણ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં માત્ર 10 કલાકમાં જ મધ્યપ્રદેશની રતાલ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી દેવાયો હતો.
(watchgujarat.com ના ન્યુઝ અપડેટ્સ મેળવવા WhatsApp ગ્રુપમાં જોડાવવા માટે અહીંયા ક્લિક કરો)
પોલીસે તેમની મંજૂરી વિના જવાનનાં મૃતદેહને દફનાવી દીધો હોવાનો આરોપ બાદ વિવાદ
રતાલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માંગ
કોડીનાર. બિહાર રેજિમેન્ટનાં CRPF કોબરા કમાન્ડો અજીતસિંહ પરમારનાં મોતનું રહસ્ય વધુ ઘેરું બન્યું છે. પોલીસે તેમની મંજૂરી વિના જવાનનાં મૃતદેહને દફનાવી દીધો હોવાનો આરોપ પરિવાર દ્વારા લગાવાયો છે. અને રતાલ પોલીસની શંકાસ્પદ ભૂમિકા અંગે જવાબદારો સામે યોગ્ય કાર્યવાહીની માંગ પણ કરી છે. જેને પગલે મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. ત્યારે જવાનનાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતાઓ નકારી શકાય એમ નથી.
નોંધનીય છે કે, અજીતસિંહ દિવાળીની રજા માણવા માટે દિલ્હી-વડોદરા રાજધાની ટ્રેનમાં પોતાના વતન કોડીનાર આવી રહ્યા હતા. 13 નવેમ્બરના રોજ તેઓ ટ્રેનમાં રવાના થયા બાદ ગુમ થયા હતા. તેમનો સામાન વડોદરાને બદલે મુંબઈ રેલવે સ્ટેશનથી મળી આવ્યો હતો. જેથી 14 નવેમ્બરનાં રોજ પરિવારજનોએ ટ્વિટ કરી તેમના ગુમ થયાની જાણ રેલવેમંત્રી પીયૂષ ગોયલને કરી હતી.
પરિવારજનોનાં કહેવા મુજબ, અજીતસિંહ દિલ્હી- વડોદરા ટ્રેન નં.02952ના કોચ નં. 5માં 50 નંબરની સીટમાં બેસી પોતાના વતન આવી રહ્યા હતા. બાદમાં 13 નવેમ્બરે રાતે 11 વાગ્યે અજીતસિંહે તેમની મંગેતર હીનાબેન સાથે ફોનમાં વાત કરી કહ્યું હતું કે, હવે મને નીંદર આવે અને સવારે 4 વાગ્યે વડોદરા પહોંચીને ફોન કરીશ. પરંતુ સવારે કોઈ ફોન આવ્યો નહોતો. આથી હિનાબેને સવારે 8.54 વાગ્યે ફોન કર્યો તો કોઈ વાત થઈ નહીં.
એ બાદમાં મુંબઈ રેલવે સ્ટેશન પરથી તેમનો સામાન મળ્યો પણ તેઓ સાથે નહોતા. જેને પગલે પરિવારજનોનાં ટ્વિટ બાદ 15 નવેમ્બરે સવારે રતલામ ડિવિઝન પાસે રેલવે-ટ્રેક પરથી તેનો મૃતદેહ મળ્યો હતો. આથી RPF દ્વારા પરિવારને માહિતી આપવામાં આવી હતી. તેમજ મૃતદેહનાં ફોટોગ્રાફ્સ પરિવારને મોકલી ઓળખ પણ કરવામાં આવી હતી. પરંતુ બાદમાં માત્ર 10 કલાકમાં જ મધ્યપ્રદેશની રતાલ પોલીસ દ્વારા તેમના મૃતદેહને પરિવારની મંજૂરી વગર દફનાવી દેવાયો હતો.