[caption id="attachment_9115" align="aligncenter" width="1280"] કમલેશ મીરાણી[/caption]
રાજકોટ. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં શહેર-જિલ્લાનાં નવા પ્રમુખની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કમલેશ મીરાણી સતત શહેર પ્રમુખ તરીકે રિપીટ થયા છે. જેને લઈને શહેર ભાજપ પ્રમુખ બદલવાની વાતો પર પૂર્ણવિરામ મુકાયું છે. આ તકે શહેર ભાજપમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મીરાણીનાં ફરી પ્રમુખ બનવાને લઈને દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ તકે ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડયા હતા.
કમલેશ મીરાણી અગાઉ યુવા ભાજપનાં પ્રમુખ સહિત અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. સાથે જ મનપામાં પણ અનેક હોદ્દાઓ પર તેમણે જવાબદારી નીભાવી છે. અગાઉ સી.આર. પાટીલની મુલાકાત સમયે પ્રમુખ તરીકે તેમનું પત્તુ કપાવાની ચર્ચાઓ ચાલી હતી. અને નવા પ્રમુખ તરીકે સંઘનાં દિગ્ગજ નેતા કશ્યપ શુક્લનું નામ ચર્ચામાં આવ્યું હતું. જો કે કમલેશ મીરાણી રિપીટ થતા જ આ અફવાઓ પર પૂર્ણવિરામ લાગવાની સાથે રૂપાણી સામે પાટીલનું જોર ઓછું પડ્યું હોવાની નવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
[caption id="attachment_9112" align="aligncenter" width="1280"] મનસુખભાઈ ખારચિયા[/caption]
નોંધનીય છે કે, જિલ્લા ભાજપનાં પ્રમુખ તરીકે ડી.કે સખીયા કાર્યરત હતા. જેમને હટાવીને મનસુખભાઈ ખારચિયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. મનસુખભાઇ ખારચિયા વર્ષ 2009માં પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી ચુક્યા છે. અને તેઓ જેતપુરના મોટા ઉધોગપતિ પણ છે.
રાજકોટ. ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં શહેર-જિલ્લાનાં નવા પ્રમુખની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં કમલેશ મીરાણી સતત શહેર પ્રમુખ તરીકે રિપીટ થયા છે. જેને લઈને શહેર ભાજપ પ્રમુખ બદલવાની વાતો પર પૂર્ણવિરામ મુકાયું છે. આ તકે શહેર ભાજપમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મીરાણીનાં ફરી પ્રમુખ બનવાને લઈને દિગ્ગજ નેતાઓની હાજરીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જો કે આ તકે ફરી એકવાર સોશિયલ ડિસ્ટન્સનાં લીરેલીરા ઉડયા હતા.
કમલેશ મીરાણી અગાઉ યુવા ભાજપનાં પ્રમુખ સહિત અનેક હોદ્દાઓ પર રહી ચૂક્યા છે. સાથે જ મનપામાં પણ અનેક હોદ્દાઓ પર તેમણે જવાબદારી નીભાવી છે. અગાઉ સી.આર. પાટીલની મુલાકાત સમયે પ્રમુખ તરીકે તેમનું પત્તુ કપાવાની ચર્ચાઓ ચાલી હતી. અને નવા પ્રમુખ તરીકે સંઘનાં દિગ્ગજ નેતા કશ્યપ શુક્લનું નામ ચર્ચામાં આવ્યું હતું. જો કે કમલેશ મીરાણી રિપીટ થતા જ આ અફવાઓ પર પૂર્ણવિરામ લાગવાની સાથે રૂપાણી સામે પાટીલનું જોર ઓછું પડ્યું હોવાની નવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.
નોંધનીય છે કે, જિલ્લા ભાજપનાં પ્રમુખ તરીકે ડી.કે સખીયા કાર્યરત હતા. જેમને હટાવીને મનસુખભાઈ ખારચિયા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. મનસુખભાઇ ખારચિયા વર્ષ 2009માં પોરબંદર બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી ચુક્યા છે. અને તેઓ જેતપુરના મોટા ઉધોગપતિ પણ છે.