મોરબી: જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાને કોંગ્રેસ દ્વારા ટીકીટ ન મળતા શુક્રવારે જ ભાજપમાં જોડાયા હતા. આ તકે મિડિયા સાથેની વાતચીતમાં તેમણે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિતનાં નેતાઓએ આર્થિક વ્યવહાર કરી ટિકિટો આપી હોવાનાં ગંભીર આરોપ લગાવ્યા હતા. જેને લઈને હાર્દિક પટેલે પોતાનાં વકીલ દ્વારા ચીખલીયાને માનહાનીની નોટીસ ફટકારી છે. જો કે ચીખલીયાએ પોતાને આવી કોઈ નોટિસ મળી હોવાનો ઇન્કાર કરી નોટિસ મળ્યે જવાબ આપવાનું જણાવ્યું છે.
હાર્દિક પટેલના વકીલ એ. જે. યાજ્ઞિકે ચીખલીયાને ફાટકારેલી આ નોટિસમાં જણાવ્યું છે કે, હાર્દિક પટેલ સામાજિક કાર્યકર, પાટીદાર સમાજ આગેવાન અને ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યરત છે. જેને લઈને તેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે કિશોર ચીખલીયાએ પોતે ભાજપમાં જોડાયા તે સમયે મીડિયાને સંબોધન વેળાએ તેનું નામ ફાઈનલ હતું. અને આર્થિક વ્યવહારો થઇ ગયા ભાઈ હાર્દિક પટેલ અને લલિત કગથરાએ આર્થિક વ્યવહારો કરીને તેને નીચે પછાડયા હોવાનું જણાવી આ કારણે પોતે ભાજપમાં જોડાયા હોવાનું નિવેદન આપ્યું હતું.
આવું નિવેદન આપીને મારા અસીલ હાર્દિક પટેલને જાહેરમાં બદનામ કર્યા છે. જેથી નોટીસ મળ્યે 10 દિવસમાં આપે કરેલા આક્ષેપોનાં પુરાવાઓ રજુ કરવા તક આપવામાં આવે છે. અને પુરાવા ન હોય તો મારા અસીલને પત્ર લખીને કરેલ આક્ષેપો લેખિતમાં પાછા ખેચી માફી માંગતો પત્ર 10 દિવસમાં મોકલી આપવા અન્યથા ફોજદારી અને દીવાની રાહે કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે.
મોરબી: જીલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયાને કોંગ્રેસ દ્વારા ટીકીટ ન મળતા શુક્રવારે જ ભાજપમાં જોડાયા હતા. આ તકે મિડિયા સાથેની વાતચીતમાં તેમણે ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિતનાં નેતાઓએ આર્થિક વ્યવહાર કરી ટિકિટો આપી હોવાનાં ગંભીર આરોપ લગાવ્યા હતા. જેને લઈને હાર્દિક પટેલે પોતાનાં વકીલ દ્વારા ચીખલીયાને માનહાનીની નોટીસ ફટકારી છે. જો કે ચીખલીયાએ પોતાને આવી કોઈ નોટિસ મળી હોવાનો ઇન્કાર કરી નોટિસ મળ્યે જવાબ આપવાનું જણાવ્યું છે.
હાર્દિક પટેલના વકીલ એ. જે. યાજ્ઞિકે ચીખલીયાને ફાટકારેલી આ નોટિસમાં જણાવ્યું છે કે, હાર્દિક પટેલ સામાજિક કાર્યકર, પાટીદાર સમાજ આગેવાન અને ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ તરીકે કાર્યરત છે. જેને લઈને તેઓ સમાજમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે કિશોર ચીખલીયાએ પોતે ભાજપમાં જોડાયા તે સમયે મીડિયાને સંબોધન વેળાએ તેનું નામ ફાઈનલ હતું. અને આર્થિક વ્યવહારો થઇ ગયા ભાઈ હાર્દિક પટેલ અને લલિત કગથરાએ આર્થિક વ્યવહારો કરીને તેને નીચે પછાડયા હોવાનું જણાવી આ કારણે પોતે ભાજપમાં જોડાયા હોવાનું નિવેદન આપ્યું હતું.
આવું નિવેદન આપીને મારા અસીલ હાર્દિક પટેલને જાહેરમાં બદનામ કર્યા છે. જેથી નોટીસ મળ્યે 10 દિવસમાં આપે કરેલા આક્ષેપોનાં પુરાવાઓ રજુ કરવા તક આપવામાં આવે છે. અને પુરાવા ન હોય તો મારા અસીલને પત્ર લખીને કરેલ આક્ષેપો લેખિતમાં પાછા ખેચી માફી માંગતો પત્ર 10 દિવસમાં મોકલી આપવા અન્યથા ફોજદારી અને દીવાની રાહે કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે.