ઉગમણા દરવાજા બહાર રહેતાપ્રજાપતિ પરિવારના પાંચ સભ્યો ભગુડા મોગલધામ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
કારચાલકને ઝોકુ આવતાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ
સુરેન્દ્રનગર. નવા વર્ષની શરૂઆતમા જ અકસ્માતની વણઝાર સર્જાઈ છે. સવારે વડોદરા ખાતે વાઘોડિયા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં 11 મુસાફરોના મોત નિપજ્યા છે. તો બીજીતરફ, સુરેન્દ્રનગરના લખતર રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક જ પરિવારનાં 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ લખતરના ઉગમણા દરવાજા બહાર રહેતાપ્રજાપતિ પરિવારના પાંચ સભ્યો ભગુડા મોગલધામ દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં. દરમિયાન કારચાલકને ઝોકુ આવતાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ હતી. જેમાં 4 વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતાં. જયારે અન્ય એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં લખતરિયા પરિવારનાં 65 વર્ષીય લલીતાબેન, 45 વર્ષીય નવીનભાઇ, 43 વર્ષીય વર્ષાબેન, અને 17 વર્ષીય જાનુબેનના ઘટનાસ્થળે મોત થયા છે. જયારે 22 વર્ષીય રવિભાઇને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કારમાં મૃતદેહ ફસાઇ જતાં કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢીને વઢવાણ-સુરેન્દ્રનગર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતાં.
ઘટનાને લઈને હાલ વઢવાણ અને લખતરના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે દિવાળીનાં પર્વમાં અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યકિતના મોતથી પ્રજાપતિ સમાજ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
ઉગમણા દરવાજા બહાર રહેતાપ્રજાપતિ પરિવારના પાંચ સભ્યો ભગુડા મોગલધામ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા
કારચાલકને ઝોકુ આવતાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ
સુરેન્દ્રનગર. નવા વર્ષની શરૂઆતમા જ અકસ્માતની વણઝાર સર્જાઈ છે. સવારે વડોદરા ખાતે વાઘોડિયા ચોકડી પાસે થયેલા અકસ્માતમાં 11 મુસાફરોના મોત નિપજ્યા છે. તો બીજીતરફ, સુરેન્દ્રનગરના લખતર રોડ પર સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક જ પરિવારનાં 4 લોકોના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજતા અરેરાટી ફેલાઈ છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ લખતરના ઉગમણા દરવાજા બહાર રહેતાપ્રજાપતિ પરિવારના પાંચ સભ્યો ભગુડા મોગલધામ દર્શન કરીને પરત ફરી રહ્યા હતાં. દરમિયાન કારચાલકને ઝોકુ આવતાં કાર ધડાકાભેર વૃક્ષ સાથે અથડાઇ હતી. જેમાં 4 વ્યકિતઓના ઘટના સ્થળે મોત થયા હતાં. જયારે અન્ય એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતમાં લખતરિયા પરિવારનાં 65 વર્ષીય લલીતાબેન, 45 વર્ષીય નવીનભાઇ, 43 વર્ષીય વર્ષાબેન, અને 17 વર્ષીય જાનુબેનના ઘટનાસ્થળે મોત થયા છે. જયારે 22 વર્ષીય રવિભાઇને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં કારમાં મૃતદેહ ફસાઇ જતાં કારના પતરા ચીરીને મૃતદેહોને બહાર કાઢીને વઢવાણ-સુરેન્દ્રનગર પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતાં.
ઘટનાને લઈને હાલ વઢવાણ અને લખતરના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે દિવાળીનાં પર્વમાં અકસ્માતમાં એક જ પરિવારના 4 વ્યકિતના મોતથી પ્રજાપતિ સમાજ સહિત સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઇ છે.