વિનોદ ભીમાણી માત્ર 12 ધોરણ પાસ હોવા છતાં છેલ્લા 36 વર્ષથી સંતકબીર રોડ નજીક ક્લિનિક ચલાવતો હતો
નકલી ડોક્ટરે દર્દીઓને ઈન્જેકશન અને એલોપેથી દવાઓ આપતો હોવાનું કબુલ્યું
ક્લિનિકમાંથી હોસ્પિટલનાં સાધનો, ઈન્જેકશન અને દવાઓ સહિત કુલ રૂ. 2900નો મુદ્દામાલ કબ્જે લઈને મુન્નાભાઈ એમબીબીએસની અટકાયત કરી
રાજકોટ : કોરોનાની મહામારી વચ્ચે શહેરનાં ઉપલા કાંઠા વિસ્તારમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. વિનોદ ભીમાણી નામનો આ શખ્સ માત્ર 12 ધોરણ પાસ હોવા છતાં છેલ્લા 36 વર્ષથી સંતકબીર રોડ નજીક ક્લિનિક ચલાવતો હતો. ચોક્કસ બાતમીનાં આધારે થોરાળા પોલીસે આરોપીને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં વિનોદ ભીમાણી વર્ષોથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા આરોપી દર્દીની સારવાર કરતા રંગેહાથ ઝડપાયો હતો. તેની ડીગ્રીની પૂછપરછ કરતા પોતે 12 પાસ હોવાનું અને 36 વર્ષથી દર્દીઓને ઈન્જેકશન અને એલોપેથી દવાઓ આપતો હોવાનું કબુલ્યું હતું. જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે ક્લિનિકમાંથી હોસ્પિટલનાં સાધનો, ઈન્જેકશન અને દવાઓ સહિત કુલ રૂ. 2900નો મુદ્દામાલ કબ્જે લઈને મુન્નાભાઈ એમબીબીએસની અટકાયત કરી છે. હવે નિયમ અનુસાર કોરોના ટેસ્ટ કરાવી તેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. જો કે વર્ષોથી લોકો જેને ડોક્ટર સમજીને દવાઓ લેતા હતા તે પોતે નકલી નિકળતા સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ થવા લાગી છે.
વિનોદ ભીમાણી માત્ર 12 ધોરણ પાસ હોવા છતાં છેલ્લા 36 વર્ષથી સંતકબીર રોડ નજીક ક્લિનિક ચલાવતો હતો
નકલી ડોક્ટરે દર્દીઓને ઈન્જેકશન અને એલોપેથી દવાઓ આપતો હોવાનું કબુલ્યું
ક્લિનિકમાંથી હોસ્પિટલનાં સાધનો, ઈન્જેકશન અને દવાઓ સહિત કુલ રૂ. 2900નો મુદ્દામાલ કબ્જે લઈને મુન્નાભાઈ એમબીબીએસની અટકાયત કરી
રાજકોટ : કોરોનાની મહામારી વચ્ચે શહેરનાં ઉપલા કાંઠા વિસ્તારમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. વિનોદ ભીમાણી નામનો આ શખ્સ માત્ર 12 ધોરણ પાસ હોવા છતાં છેલ્લા 36 વર્ષથી સંતકબીર રોડ નજીક ક્લિનિક ચલાવતો હતો. ચોક્કસ બાતમીનાં આધારે થોરાળા પોલીસે આરોપીને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત મુજબ સંતકબીર રોડ પર બાલકૃષ્ણ સોસાયટીમાં વિનોદ ભીમાણી વર્ષોથી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે દરોડો પાડતા આરોપી દર્દીની સારવાર કરતા રંગેહાથ ઝડપાયો હતો. તેની ડીગ્રીની પૂછપરછ કરતા પોતે 12 પાસ હોવાનું અને 36 વર્ષથી દર્દીઓને ઈન્જેકશન અને એલોપેથી દવાઓ આપતો હોવાનું કબુલ્યું હતું. જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે ક્લિનિકમાંથી હોસ્પિટલનાં સાધનો, ઈન્જેકશન અને દવાઓ સહિત કુલ રૂ. 2900નો મુદ્દામાલ કબ્જે લઈને મુન્નાભાઈ એમબીબીએસની અટકાયત કરી છે. હવે નિયમ અનુસાર કોરોના ટેસ્ટ કરાવી તેનો રિપોર્ટ આવ્યા બાદ ધરપકડ કરવામાં આવશે. જો કે વર્ષોથી લોકો જેને ડોક્ટર સમજીને દવાઓ લેતા હતા તે પોતે નકલી નિકળતા સ્થાનિકોમાં અનેક ચર્ચાઓ થવા લાગી છે.