ખેડૂતે વિંછીયામાં રહેતા બહાદુરભાઇ આપાભાઇ કાઠી પાસેથી રૂા.5 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા
પૈસા ચુકવ્યા બાદ વધારે પૈસાની માંગણી સાથે વ્યાજખોર અવારનવાર તેના બે દીકરાઓને સાથે જઈ સંઘાભાઇને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા
ત્રસ્ત 50 વર્ષીય ખેડૂત સંઘાભાઇ નારણભાઇ ધલવાણીયાએ પોતાના જ ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ લીધો
સ્યુસાઇડ નોટમાં જીવન ટુંકાવવા પાછળનું કારણ પૈસાની પઠાણી ઉઘરાણી હોવાનું જણાવ્યું
રાજકોટ : વીંછીયા પંથકમાં ખેડૂતનાં આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં ' રૂ.5 લાખનાં 45 લાખ આપ્યા તો પણ 25 લાખ માંગે છે એટલે આ પગલું ભરૂ છું'ની સ્યુસાઈડ નોટ લખી ખેડૂતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેને લઈને પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે મૃતકની પત્નીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર વિંછીયાનાં ઓરી ગામે 50 વર્ષીય ખેડૂત સંઘાભાઇ નારણભાઇ ધલવાણીયાએ પોતાના જ ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ખેડૂતે વિંછીયામાં રહેતા બહાદુરભાઇ આપાભાઇ કાઠી પાસેથી રૂા.5 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. જે પેટે રૂા.45 લાખ ચૂકવવા છતાં બહાદુરભાઇ દ્વારા વ્યાજનું વ્યાજ ગણીને વધુ રૂા.25 લાખની ઉઘરાણી કરાતી હતી. એટલું જ નહી આ વ્યાજખોર અવારનવાર તેના બે દીકરાઓને સાથે જઈ સંઘાભાઇને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. થોડા દિવસો અગાઉ પણ વ્યાજખોરે સંઘાભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને તેમણે છેલ્લું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
વ્યાજનું વ્યાજ વસુલવા ધમકીઓ આપતા હોવાનો ખેડૂતની સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
મૃતક ખેડૂત સંઘાભાઇનાં ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં તેમણે લખ્યું છે કે, મેં બહાદુરભાઇ આપાભાઇ પાસેથી રૂા.5 લાખ 10 ટકા વ્યાજે લીધેલા અને તેમને વર્ષ વ્યાજ ભરી આપતો તો તેમને મે રૂા.45 લાખ રૂપિયા વ્યાજ ભરી દીધું છે તો હજુ 25 લાખ બાકી માંગે છે તો મે કહેલ કે હવે સેના 25 લાખ બાકી રહે છે? તો કે વ્યાજનું વ્યાજ થાય છે તો મારે બે દિવસમાં પૈસા જોવે, નહીતર મારી નાખીશું, આવી ધાકધમકી આપતા હતા. આના કારણે પગલું ભરેલ છે બીજુ કંઇ પણ કારણ નથી. ઘરના સભ્યોને આ વાતની કંઇ પણ ખબર નથી. જેનું હું ખાત્રી આપું છે તો તેઓને કઇપણ કહેતા નહી બસ આટલુંકહી હું આ પગલું ભરું છું. જય માં ખોડીયાર, જય બાવા દાદા, જય જવાન જય કિસાન, વંદે માતરમ લી. સંધાજીભાઇ નારણભાઇ ઓરી
ઉલ્લેખનીય છે કે, વિંછીયા પંથકમાં વ્યાજખોરો જાણે કે પોલીસ તંત્રની કોઇ બીક જ ન હોય તેમ મધ્યમ અને ગરીબ વર્ગના ખેડૂતોને મામુલી રકમ તગડા વ્યાજે દઈ મનફાવે તેવી રકમ વસુલતા હોવાની અનેક ફરિયાદો અગાઉ પણ ઉઠી છે. જો કે આ ઘટનામાં ખેડૂત દ્વારા સ્યુસાઈડ નોટમાં પોતાની વ્યથા વર્ણવાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને મૃતકનાં પત્નીની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે.
ખેડૂતે વિંછીયામાં રહેતા બહાદુરભાઇ આપાભાઇ કાઠી પાસેથી રૂા.5 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા
પૈસા ચુકવ્યા બાદ વધારે પૈસાની માંગણી સાથે વ્યાજખોર અવારનવાર તેના બે દીકરાઓને સાથે જઈ સંઘાભાઇને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા
ત્રસ્ત 50 વર્ષીય ખેડૂત સંઘાભાઇ નારણભાઇ ધલવાણીયાએ પોતાના જ ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ લીધો
સ્યુસાઇડ નોટમાં જીવન ટુંકાવવા પાછળનું કારણ પૈસાની પઠાણી ઉઘરાણી હોવાનું જણાવ્યું
રાજકોટ : વીંછીયા પંથકમાં ખેડૂતનાં આપઘાતનો એક બનાવ સામે આવ્યો છે. જેમાં ' રૂ.5 લાખનાં 45 લાખ આપ્યા તો પણ 25 લાખ માંગે છે એટલે આ પગલું ભરૂ છું'ની સ્યુસાઈડ નોટ લખી ખેડૂતે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. જેને લઈને પોલીસની કાર્યવાહી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે મૃતકની પત્નીએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર વિંછીયાનાં ઓરી ગામે 50 વર્ષીય ખેડૂત સંઘાભાઇ નારણભાઇ ધલવાણીયાએ પોતાના જ ખેતરમાં ઝાડ સાથે દોરડું બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ખેડૂતે વિંછીયામાં રહેતા બહાદુરભાઇ આપાભાઇ કાઠી પાસેથી રૂા.5 લાખ 10 ટકા વ્યાજે લીધા હતા. જે પેટે રૂા.45 લાખ ચૂકવવા છતાં બહાદુરભાઇ દ્વારા વ્યાજનું વ્યાજ ગણીને વધુ રૂા.25 લાખની ઉઘરાણી કરાતી હતી. એટલું જ નહી આ વ્યાજખોર અવારનવાર તેના બે દીકરાઓને સાથે જઈ સંઘાભાઇને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા. થોડા દિવસો અગાઉ પણ વ્યાજખોરે સંઘાભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઈને તેમણે છેલ્લું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.
મૃતક ખેડૂત સંઘાભાઇનાં ખિસ્સામાંથી એક સ્યુસાઈડ નોટ મળી છે. જેમાં તેમણે લખ્યું છે કે, મેં બહાદુરભાઇ આપાભાઇ પાસેથી રૂા.5 લાખ 10 ટકા વ્યાજે લીધેલા અને તેમને વર્ષ વ્યાજ ભરી આપતો તો તેમને મે રૂા.45 લાખ રૂપિયા વ્યાજ ભરી દીધું છે તો હજુ 25 લાખ બાકી માંગે છે તો મે કહેલ કે હવે સેના 25 લાખ બાકી રહે છે? તો કે વ્યાજનું વ્યાજ થાય છે તો મારે બે દિવસમાં પૈસા જોવે, નહીતર મારી નાખીશું, આવી ધાકધમકી આપતા હતા. આના કારણે પગલું ભરેલ છે બીજુ કંઇ પણ કારણ નથી. ઘરના સભ્યોને આ વાતની કંઇ પણ ખબર નથી. જેનું હું ખાત્રી આપું છે તો તેઓને કઇપણ કહેતા નહી બસ આટલુંકહી હું આ પગલું ભરું છું. જય માં ખોડીયાર, જય બાવા દાદા, જય જવાન જય કિસાન, વંદે માતરમ લી. સંધાજીભાઇ નારણભાઇ ઓરી
ઉલ્લેખનીય છે કે, વિંછીયા પંથકમાં વ્યાજખોરો જાણે કે પોલીસ તંત્રની કોઇ બીક જ ન હોય તેમ મધ્યમ અને ગરીબ વર્ગના ખેડૂતોને મામુલી રકમ તગડા વ્યાજે દઈ મનફાવે તેવી રકમ વસુલતા હોવાની અનેક ફરિયાદો અગાઉ પણ ઉઠી છે. જો કે આ ઘટનામાં ખેડૂત દ્વારા સ્યુસાઈડ નોટમાં પોતાની વ્યથા વર્ણવાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. અને મૃતકનાં પત્નીની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો પણ ગતિમાન કરવામાં આવ્યા છે.